સોમવાર, 10 ઑગસ્ટ, 2020

Have faith in doctors

રવિવાર ૦૯/૦૮/૨૦૨૦ ભર બપોરે વધુ એક માઠા સમાચાર આવ્યા. સુરત ના જાણીતાં બાળ રોગ નિષ્ણાત અને સમગ્ર તબીબી આલમ માં જાણીતું અને લોકપ્રિય નામ એવા તબીબે એક મહિના ના સતત સંઘર્ષ બાદ કોરોના સામે નો જંગ હારી ગયા. ગુજરાત નું સમગ્ર તબીબી આલમ શોક માં ગરકાવ થયું. માત્ર ગુજરાતી શોક નહીં પણ અંગ્રેજી નું Shock પણ.
અત્યાર સુધી માત્ર ગુજરાત માં જ લગભગ પચીસેક ડોક્ટર્સ છેલ્લા ત્રણ મહિનામાં કોરોના સામે ની જંગ માં શહિદ થયી ચુક્યા છે અને સમગ્ર દેશ માં આ ગણતરી લગભગ બસ્સો ના આંકડા ને પાર કરી ગયી છે..અને આ માત્ર કોરોના ને લીધે મૃત્યું પામ્યા હોય એવા ડોક્ટર્સ નો આંકડો છે. કોરોનાગ્રસ્ત થયી ને સ્વસ્થ થયા હોય એ આંક જુદો. અને સામાન્ય પ્રજા માં મૃત્યુઆંક લગભગ ૨- ૩ ટકા જેટલો છે ત્યારે ડોક્ટરો માં આ જ મૃત્યુઆંક લગભગ ૧૧-૧૨ ટકા જેવો થવા જાય છે.
યુધ્ધગ્રસ્ત પરિસ્થિતિ માં જે કામ સૈનીકો સીમા પર કરતા હોય છે એ જ કામ અત્યારે ડોક્ટરો સીમા ની અંદર કરી રહ્યા છે. પોતાના જીવ ના જોખમે પણ સમાજ કાજે એવા દુશ્મન સાથે બાથ બિડી ને મંડ્યા છે જે દુશ્મન નરી આંખેથી દેખાતો પણ નથી. કદાચ આને કટોકટી ના સમય ની તબીબી ફરજ નો ભાગ ગણવા માં આવે અને એ ફરજ મોટા ભાગ ના તબીબો સુપેરે નિભાવી પણ રહ્યા છે . પણ તો પછી એમને જવાનો ની જેમ સન્માનિય દૃષ્ટિએ જોવાની વાત તો દૂર રહી પણ તબીબી આલમ પર રીતસર ના માછલાં ધોવાની હવે તો જાણે ફેશન ચાલી છે. મેડિકલ નો મ ય ના આવડતો હોય એવાં લોકો હવે ફાટી ને ધૂમાડે થાય છે અને ઉપર થી શિખામણો નો ધોધ વ્હેડાવે. "તમારે આમ કરવું જોઈએ ને તમારે તેમ તો નો જ કરાય"."આવું તો તમારા થી થાય જ કેમ? " આમાંથી એક ને પણ પીપીઈ કીટ આપીને માત્ર અર્ધો કલાક કોરોના વોર્ડ માં ખાલી આંટો મારવાનો કહેશો ને તો પણ એકેય ઉભો ના રહે ,બધા ઉભી પૂંછડીએ ભાગશે.પણ છેલ્લી ઘડીએ લવાયેલ દર્દી ને જો ડૉક્ટર પૂરતા પ્રયત્નો છતાં ના બચાવી શકે તો આવા pseudo ભડવીરો ના રોષ નો ભોગ બની જાય.

તાજેતર માં જ છેલ્લા એક મહિના ની અંદર બે એક જેવા જ બન્યા જેમાં રાજકોટ ના રેસકોર્સ રિંગ રોડ પર મોર્નિંગ વૉક માં નિકળેલ અમુક નાગરિક હાર્ટ એટેક ને લીધે રસ્તા પર જ ઢળી પડયા અને સંજોગવાશત બંને બનાવ માં મોર્નિંગ વૉક માં જ નીકળેલ અને ત્યાંથી પસાર થતા ડોક્ટર્સ એ કોરોના કાળ માં પોતાનો જીવ જોખમ માં નાંખી ને એમને cardiac thumps અને mouth to mouth  શ્વાસોચ્છવાસ આપીને બચાવવા ના  પ્રયત્નો કર્યા. એમને ન માત્ર પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો પણ ડૉક્ટરી ફરજ પણ અદા કરી અને એ પણ નિઃસ્વાર્થ ભાવે. એક કિસ્સા માં રાજકોટ ની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડૉ. અજીતસિંહ વાઢેર હતા જેમને એક પેરામેડીકેલ સ્ટાફ નો પણ સહકાર મળેલ અને બીજાં કિસ્સા માં રાજકોટ ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ બીના ભટ્ટ હતા. બંને ડોક્ટર્સ ના સોશ્યિલ મીડિયા પર ખૂબ વખાણ થયા. અને થવા જ જોઈએ. સારા કામ ને બિરદાવવું જ રહ્યું.કમનસીબે બંને કિસ્સામાં દર્દી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી માં એમનું પ્રાણપનકહેરુ ઉડી ચૂક્યું હતું પણ વિચારવાની વાત એ છે કે આવો જ scenario હોસ્પિટલમાં થયો હોત અને ડોક્ટર્સ પોતાના બધા પ્રયત્નો છતાં દર્દી ને બચાવી ના શકત તો એમને આવી વાહવાહી મળી હોત કે પછી અજ્ઞાની સગાં વ્હાલા ના રોષ નું ભોગ બનવું પડ્યું હોત. બંને પરિસ્થિતિ માં ડોક્ટરોએ તો પોતાના થી બનતા બધાં પ્રયત્નો જ કર્યા તા તો પછી આવું કેમ?
અમે આપ સૌને, સમાજ ને બે હાથ જોડી ને વિનંતી કરીએ છીએ કે અમારી ઉપર ભરોસો રાખો. અમારે નથી જોયીતું કે અમને ભગવાન નું રૂપ માનો . અમે પણ માણસ છીએ ,માત્ર મેડિકલ ક્ષેત્રે થોડું ઘણું જાણીએ છીએ એટલે આપના દુઃખ દર્દ મટાડવાની કોશિશ કરીયે છીએ પણ ઈશ્વરની ઈચ્છા આગળ અમારું પણ કશું ચાલતું નથી. જો ચાલતું હોત તો અમે ડોક્ટર બંધુઓ ને શુ કામ મૃત્યું પામવા દઇએ. એક વિનંતી ફરીવાર

#HAVEFAITHINDOCTORS

ટિપ્પણીઓ નથી: