શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019

Value life not death

I received this message and it’s so true and somewhat funny. I couldn’t resist passing it on.

*Value LIFE Not DEATH*

*1. We care more for the dead than we do for the living!*

*2. We spend more to bury a person than we do to save their life.*

*3. We will not travel to go see a sick relative but will travel to bury him /her.*

*4. People will rarely respect you while alive but will want to "pay their last respects" to your casket.*

*5. A person may NEVER receive roses in their entire life but they will get lots dumped on their graveyard!*

*6. We will spend a night at a neighbour's funeral and it will be our first time to see the inside of their house!*

*7. No one cares to know your community until you die and they will all fill car after car to "escort" your corpse.*

*8. We will take the dead to the mosque/temple/church, knowing fully well they had nothing to do with God while alive.*

*9. We might not have granite tops in our kitchens but use the granite in the graveyard!*

*10. A person may under no circumstances be able to afford a limousine ride when alive but will be driven in one when dead!*

*We have a culture of "hypocrisy"
... a culture that is "Pro-death" and NOT "Pro-life!"*

*We need to value life BEFORE death.*

*Please love people while they are alive, show them your kindness when they need it,  your presence at their funeral will never make up for your absence when they needed you. Do it now rather than regret later.*

બુધવાર, 13 ફેબ્રુઆરી, 2019

Doctor with 2 Rs. Fee

બે રુપિયાની ફી લેતો ડોકટર બન્યો પદ્મશ્રી
**********************************
૧૯૮૫માં રેલ્વેમાં કામ કરતા દેવરાવ  કોલ્હે નાગપુર મેડિકલ કોલેજમાં ડોકટરી શિખતો પુત્ર રવિન્દ્ર ડોકટર બનીને પોતાના ગામમાં દવાખાનું શરુ કરે તેની રાહ જોતાં હતા !
રવિન્દ્ર તેના મેડિકલના પુસ્તકો સાથે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકો પણ વાંચતો હતો અને મનોમન ગરીબોની સેવા કરવામાં જીવન ખર્ચી નાંખવાનું નક્કી કરતો હતો !
ગરીબો તો ઠેર ઠેર મળી રહે પણ કયા કેવા ગરીબોની સેવા કરવી તે રવિન્દ્ર નક્કી કરી શકતો નહતો !
તે ગાળામાં રવિન્દ્રના હાથમાં David Werner નામના લેખકનું Where There Is No Doctor નામનું પુસ્તક આવ્યું તેના કવરપેજ પરના ફોટામાં ચાર માણસ એક બિમારને ઉપાડીને લઈ જતા હતા અને કેપ્શનમાં લખ્યું હતું Hospital 30 Miles Away !
આ પુસ્તકે રવિન્દ્રને સેવા કયા કરવી તે બતાવી દીધું !
ડોકટર બન્યા પછી રવિન્દ્ર અમરાવતીથી ટ્રેનમાં હરિસલ પહોંચ્યો અને ત્યાંથી ૪૦ કિ.મીટર ચાલીને બેરાગર  પહોંચ્યો !
બેરાગરમાં પ્રાથમિક સારવારનું દવાખાનું શરુ કર્યા પછી રવિન્દ્રને ખ્યાલ આવ્યો કે માત્ર એમબીબીએસના અભ્યાસથી અહીં
સેવા થઈ શકે તેમ નથી તેથી રવિન્દ્રે ફરી અભ્યાસ ચાલુ કરી MDની ડિગ્રી હાંસલ કરી અને સાથે સાથે મેટરનીટી,સર્જરી એકસ રે અને સોનોગ્રાફીની ટેકનીક પણ શીખી લીધી !

બેરાગર પરત જતાં અગાઉ સાથે કોઈ સાથીદારને લઈ જવાનો વિચાર આવતા ડો.રવિન્દ્રે જીવનસાથીની પસંદગી શરુ કરી !
જીવનસંગિની બનવા માટે ડો.રવિન્દ્રની ચાર શરત હતી !
૧) જરુર પડતા ૪૦ કિલોમિટર ચાલવાની તૈયારી હોવી જોઈએ
૨) પાંચ રુપિયામાં રજીસ્ટર લગ્ન કરવાની તૈયારી હોવી જોઈએ
૩) દર મહિને માત્ર રુ૪૦૦માં ઘર ચલાવવાની તૈયારી હોવી જોઈએ
૪) જરુર પડે તો ગરીબોને સેવા કરવા ભીખ માંગવાની તૈયારી હોવી જોઈએ
આવી અઘરી શરતો પાળવા કોણ તૈયાર થાય,એક સો કન્યાઓ તૈયાર થઈ નહી રવિન્દ્રની આશા પણ તુટવા લાગી ત્યાંજ એક શહેરમાં સારી એવી પ્રેકટીસ કરતી ડો.સ્મિતાએ તૈયારી બતાવી !

ડો.રવિન્દ્ર અને ડો.સ્મિતા મેરેજ રજીસ્ટર કરાવીને બેરાગર ઉપડી ગયા !
વરસો સુધી માત્ર બે રુપિયાની ફીથી બેરાગરવાસીઓને સારવાર કરી તો બેરાગરવાસીઓ તેમના પશુઓની દવા કરવાની માંગણી પણ કરવા માંડ્યા તો ડો. રવિન્દ્ર વેટેનરી પુસ્તકોનો અભ્યાસ કરીને ગામના પશુઓના પણ ડોકટર બની ગયા પછી ખેડુતોને સારી ખેતી કરવાનું શિખવાડવા માટે એગ્રિકલ્ચરના પુસ્તકો વાંચી ગામના ખેડુતોને આધુનિક ખેતી કરતા કર્યા !
એક વખત એક મંત્રી બેરાગર પહોંચી ગયા અને ત્યાં ડો.રવિન્દ્રને ઝુંપડામાં રહેતા જોઈ તરત જ પાકું મકાન બાંધી આપવાનો વાયદો કરવા લાગ્યા તો ડો.સ્મિતાએ જણાવ્યું કે અમારે મકાનની જરુર નથી,રોડ બનાવી આપો ઈલેક્ટ્રિક લાવી આપો !
મંત્રીજી વાયદા પુરા કરે તેવા હોવાથી આજે બેરાગરમાં રોડ અને વિજળી પહોંચી ગઈ છે !

૩૭ વરથી નિસ્વાર્થ સેવા કરતાં ડો.રવિન્દ્ર કોલ્હેને આ વરસે સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માન કર્યું !
યુવાન વયે ગાંધી વિચાર પચાવી જનાર ડો.રવિન્દ્ર બેરાગર ગામના લોકો માટે તો ગાંધી જેવા મહાત્મા જ છે !

ડો.રવિન્દ્ર અને ડો. સ્મિતા આદિવાસી વિસ્તારના બદલે શહેરના વિસ્તારમાં ડોકટરી કરી હોત તો આજે બંગલામાં રહેતા હોત,સારુ ખાતાપિતા અને પહેરતા પણ હોત પરંતુ હજારો મેડિકલ વિધાર્થીઓને ના સુઝે તે જ ડો.રવિન્દ્રને સમજાય !

ડો.રવિન્દ્રને પદ્મશ્રી બન્યાના અભિનંદન આપવા કરતાં તેમના ગાંધીમય જીવનને ધન્યવાદ આપવાનું મન થાય છે,
સાથે સાથે તેમની પત્ની ડો.સ્મિતાને પણ શત શત વદંન કરવાનું દિલ થાય છે !

મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2019

Mother, I miss you

💦 ,,, *મારી માં*😘😘😘😘
કંઈક તો ખોવાય  છે  ...
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?

આમ તેમ નજર કરૂં તો લાગે,
નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાય છે.
નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા,
પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?
વિચાયું કે સોફા  કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.
ખબર  પડી  તો યાદ આવ્યું કે,
એની ઉપર બેસનારું  કોઇ  ખોવાય છે.....

લાગે છે ઘર ના રસોડા મા કંઈ રંધાય  છે ?
શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું અડદિયા ને ચુરમાના લાડુ રંધાય છે .
જઈ ને જોયું તો ના અડદિયા કે ના ચુરમાના લાડુ રંધાય છે. ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાઇ  છે. 😭😭

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,
પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.😢

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,
" ક્યારે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .😔😔

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .🤱🏻

લાગે આજ કાલ કાન માં  ઓછું સંભળાય છે.
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે.🙇‍♀

સપના માં  લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે ઘણા વર્ષ પછી પણ આંખ ખોલી ને જોવું તો , "મારી માં" જ  ખોવાય છે

💦 ,,,😭😭😭😭😭💦miss you maa🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Doctor charging 2 rupees

બે રુપિયાની ફી લેતો ડોકટર બન્યો પદ્મશ્રી
**********************************
૧૯૮૫માં રેલ્વેમાં કામ કરતા દેવરાવ  કોલ્હે નાગપુર મેડિકલ કોલેજમાં ડોકટરી શિખતો પુત્ર રવિન્દ્ર ડોકટર બનીને પોતાના ગામમાં દવાખાનું શરુ કરે તેની રાહ જોતાં હતા !
રવિન્દ્ર તેના મેડિકલના પુસ્તકો સાથે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકો પણ વાંચતો હતો અને મનોમન ગરીબોની સેવા કરવામાં જીવન ખર્ચી નાંખવાનું નક્કી કરતો હતો !
ગરીબો તો ઠેર ઠેર મળી રહે પણ કયા કેવા ગરીબોની સેવા કરવી તે રવિન્દ્ર નક્કી કરી શકતો નહતો !
તે ગાળામાં રવિન્દ્રના હાથમાં David Werner નામના લેખકનું Where There Is No Doctor નામનું પુસ્તક આવ્યું તેના કવરપેજ પરના ફોટામાં ચાર માણસ એક બિમારને ઉપાડીને લઈ જતા હતા અને કેપ્શનમાં લખ્યું હતું Hospital 30 Miles Away !
આ પુસ્તકે રવિન્દ્રને સેવા કયા કરવી તે બતાવી દીધું !
ડોકટર બન્યા પછી રવિન્દ્ર અમરાવતીથી ટ્રેનમાં હરિસલ પહોંચ્યો અને ત્યાંથી ૪૦ કિ.મીટર ચાલીને બેરાગર  પહોંચ્યો !
બેરાગરમાં પ્રાથમિક સારવારનું દવાખાનું શરુ કર્યા પછી રવિન્દ્રને ખ્યાલ આવ્યો કે માત્ર એમબીબીએસના અભ્યાસથી અહીં
સેવા થઈ શકે તેમ નથી તેથી રવિન્દ્રે ફરી અભ્યાસ ચાલુ કરી MDની ડિગ્રી હાંસલ કરી અને સાથે સાથે મેટરનીટી,સર્જરી એકસ રે અને સોનોગ્રાફીની ટેકનીક પણ શીખી લીધી !

બેરાગર પરત જતાં અગાઉ સાથે કોઈ સાથીદારને લઈ જવાનો વિચાર આવતા ડો.રવિન્દ્રે જીવનસાથીની પસંદગી શરુ કરી !
જીવનસંગિની બનવા માટે ડો.રવિન્દ્રની ચાર શરત હતી !
૧) જરુર પડતા ૪૦ કિલોમિટર ચાલવાની તૈયારી હોવી જોઈએ
૨) પાંચ રુપિયામાં રજીસ્ટર લગ્ન કરવાની તૈયારી હોવી જોઈએ
૩) દર મહિને માત્ર રુ૪૦૦માં ઘર ચલાવવાની તૈયારી હોવી જોઈએ
૪) જરુર પડે તો ગરીબોને સેવા કરવા ભીખ માંગવાની તૈયારી હોવી જોઈએ
આવી અઘરી શરતો પાળવા કોણ તૈયાર થાય,એક સો કન્યાઓ તૈયાર થઈ નહી રવિન્દ્રની આશા પણ તુટવા લાગી ત્યાંજ એક શહેરમાં સારી એવી પ્રેકટીસ કરતી ડો.સ્મિતાએ તૈયારી બતાવી !

ડો.રવિન્દ્ર અને ડો.સ્મિતા મેરેજ રજીસ્ટર કરાવીને બેરાગર ઉપડી ગયા !
વરસો સુધી માત્ર બે રુપિયાની ફીથી બેરાગરવાસીઓને સારવાર કરી તો બેરાગરવાસીઓ તેમના પશુઓની દવા કરવાની માંગણી પણ કરવા માંડ્યા તો ડો. રવિન્દ્ર વેટેનરી પુસ્તકોનો અભ્યાસ કરીને ગામના પશુઓના પણ ડોકટર બની ગયા પછી ખેડુતોને સારી ખેતી કરવાનું શિખવાડવા માટે એગ્રિકલ્ચરના પુસ્તકો વાંચી ગામના ખેડુતોને આધુનિક ખેતી કરતા કર્યા !
એક વખત એક મંત્રી બેરાગર પહોંચી ગયા અને ત્યાં ડો.રવિન્દ્રને ઝુંપડામાં રહેતા જોઈ તરત જ પાકું મકાન બાંધી આપવાનો વાયદો કરવા લાગ્યા તો ડો.સ્મિતાએ જણાવ્યું કે અમારે મકાનની જરુર નથી,રોડ બનાવી આપો ઈલેક્ટ્રિક લાવી આપો !
મંત્રીજી વાયદા પુરા કરે તેવા હોવાથી આજે બેરાગરમાં રોડ અને વિજળી પહોંચી ગઈ છે !

૩૭ વરથી નિસ્વાર્થ સેવા કરતાં ડો.રવિન્દ્ર કોલ્હેને આ વરસે સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માન કર્યું !
યુવાન વયે ગાંધી વિચાર પચાવી જનાર ડો.રવિન્દ્ર બેરાગર ગામના લોકો માટે તો ગાંધી જેવા મહાત્મા જ છે !

ડો.રવિન્દ્ર અને ડો. સ્મિતા આદિવાસી વિસ્તારના બદલે શહેરના વિસ્તારમાં ડોકટરી કરી હોત તો આજે બંગલામાં રહેતા હોત,સારુ ખાતાપિતા અને પહેરતા પણ હોત પરંતુ હજારો મેડિકલ વિધાર્થીઓને ના સુઝે તે જ ડો.રવિન્દ્રને સમજાય !

ડો.રવિન્દ્રને પદ્મશ્રી બન્યાના અભિનંદન આપવા કરતાં તેમના ગાંધીમય જીવનને ધન્યવાદ આપવાનું મન થાય છે,
સાથે સાથે તેમની પત્ની ડો.સ્મિતાને પણ શત શત વદંન કરવાનું દિલ થાય છે !