લેબલ religion સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ religion સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 2 માર્ચ, 2023

Religeon Vs Spituality

🙏🙏 RELEGION                   Vs        SPIRITUALITY ▪ 💫Religion is not just one, there are many.▪ 💫Spirituality is one.▪💫 Religion is for those who sleep.▪ 💫Spirituality is for those who are awake.▪💫 Religion is for those who need someone to tell them what to do and want to be guided.▪💫 Spirituality is for those who pay attention to their inner voice.▪💫 Religion has a set of dogmatic rules.▪💫 Spirituality invites us to reason about everything, to question everything.▪💫 Religion is governed by codes and rules.▪ 💫Spirituality is boundless.▪💫 Religion speaks of sin and guilt.▪💫 Spirituality says, "learn from an error".▪ 💫Religion represses everything that is inconvenient.▪ 💫Spirituality transcends everything, it brings you closer to your truth !!▪💫 Religion speaks of a God; It is not God.▪💫 Spirituality is everything and therefore, it is in God.▪💫 Religion invents.▪💫Spirituality finds.▪💫 Religion does not tolerate any question.▪💫Spirituality questions everything.▪ 💫Religion is human. It is an organization with rules made by men.▪ 💫Spirituality is Divine, without human rules.▪ 💫Religion is the cause of divisions.▪💫Spirituality unites.▪ 💫Religion is looking for you to believe.▪ 💫Spirituality you have to look for it to believe.▪ 💫Religion follows the concepts of a sacred book.▪💫 Spirituality seeks the sacred in all books.▪ Religion feeds on fear.▪💫 Spirituality feeds on trust and faith.▪ 💫Religion lives in thought.▪💫 Spirituality lives in Inner Consciousness.▪💫 Religion deals with performing rituals.▪ 💫Spirituality has to do with the Inner Self.▪ 💫Religion feeds the ego.▪💫 Spirituality drives to transcend beyond.▪💫 Religion makes us renounce the world to follow a God.▪ 💫Spirituality makes us live in God, without renouncing our existing lives.▪ 💫Religion is a cult.▪💫 Spirituality is inner meditation.▪💫 Religion fills us with dreams of glory in paradise.▪💫 Spirituality makes us live the glory and paradise on earth.▪ 💫Religion lives in the past and in the future.▪ 💫Spirituality lives in the present.▪ 💫Religion creates cloisters in our memory.▪💫 Spirituality liberates our Consciousness.▪💫 Religion makes us believe in eternal life.▪💫 Spirituality makes us aware of Eternal Life.▪ 💫Religion promises life after death.▪ 💫Spirituality is to find God in our interior during the current life before death.-♦We are not human beings, who go through a spiritual experience.-♦We are spiritual beings, who go through a human experience.Happy morning 🌄

મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

Life, way to live

*શ્રી સચ્ચિદાનંદ સ્વામી  દંતાલી વાળા ના વિચારો*

*આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!*

*જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?*

*શરીરનો કોઈ વાંક નથી,તો પણ એને ભુખ્યુ રાખો. શરીરનો કોઈ જુર્મ નથી, છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’*

*મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે ,એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો*

*તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?*

*અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.*

*દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે !*

*એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે.*

*માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બિમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે;પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે.*

 *જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*

 *પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.*

*મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.*

 *હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.*

*પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું* 

*આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એજ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે.*

 *વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

      *અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.*

 *સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.*

 *સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*
*માટે જીવન મળ્યું છે તો મોજથી જીવો અને સાચા માનવ ધર્મ સાથે જીવો દોસ્ત.*

🌹🌹🌹🌹🌹🌹

મંગળવાર, 31 માર્ચ, 2020

How are we and how should we be?

A little BIG reflection on the quarantine And What COVID -19 Taught Me

1. United States 🇺🇸 is no longer the world's leading country.

2. China 🇨🇳 won the 3rd World War without firing a missile and no one could handle it.

3. Prevention saves more lives than acting at the last moment .

4. Health professionals are worth more than a footballer.

5. Europeans are not as educated as they appear.

6. We are not mistaken when we ask for more hospitals "and less war".

7. Oil 🛢 is worthless in a society without consumption.

8. Death does not distinguish race, color, or social status .

9. Human beings are opportunistic and despicable no matter their socioeconomic position when raising prices .

10. For Some Toilet paper  is more important than food.

11. Now we know how animals feel in zoos.

12. There are those who earn millions and do not serve humanity.

13. Health workers are alone, abandoned and forgotten.  Even so, they never give up.

14. No Pastor, Priest or Any Religious Leader saved A coronavirus patients. They simply are there  to serve their own self interests

15. Humans👱🏻👩🏼‍🦰👳🏼‍♂👩🏾‍🦱 are the real 🦠 viruses on the planet.

16. The planet regenerates quickly without human intervention .

17. We can reach Mars butvare not prepared for a pandemic.

18. Politicians take the opportunity to pull the rival's rug.

19. MORE SHOULD BE INVESTED IN HEALTH RATHER THAN FESTIVALS.

20. Nature Is a Gr8 Leveler. Try Not To Screw With It Or It Shall Screw Ur Happiness. Live And Let Live Other Creatures. They were on this planet much b4 us.

ગુરુવાર, 26 માર્ચ, 2020

Spell binding


राष्ट्रों की सीमाएं टूट गईं। युद्ध के नगाड़े थम गये, आतंकी बंदूकें खामोश हैं; अमीर-गरीब का भेद मिट गया। आलिंगन, चुम्बन का स्थान; *मर्यादित आचरण* ने ले लिया। क्लब, स्टेडियम, पब, मॉल, होटल, बाज़ार के ऊपर *अस्पताल* की महत्ता स्थापित हो गई। *अर्थशास्त्र* के ऊपर *चिकित्साशास्त्र* स्थापित हो गया। एक सुई, एक थर्मामीटर; गन, मिसाइल टैंक से अधिक महत्वपूर्ण हो गया। मंदिर बंद, चर्च बंद ,दरगाह, मस्जिद बंद! हृदय में विराजमान प्रभु को पूजा जा रहा है। *धर्म* पर *अध्यात्म* स्थापित हो गया। भीड़ में खोया आदमी, परिवार में लौट आया।
सिर्फ एक वायरस...
हाँ, *प्रकृति* ने मनुष्य की प्रवृत्ति* पर विजय प्राप्त कर ली है।
ईश्वर तेरी महिमा अपरंपार ।
🙏
[3/25, 13:16] Jayesh Mehta Uro: when our country is passing through the unwonted period of the last century, all countries are on the edge,  and  uncertainty of next day life is prevailing everywhere  in the epidemia corona status all over world.
At this occasion ,why such shenanigans are performed? here there are few questions by a stauch hindu?
1)why couldn't be prevented by our hindu religious foundations ?
2) why couldn't the UP guv. restraint them ?
3)why our PM ,the most powerful person,who can lock whole the country for 3 weeks , couldn't intervene?
we are torchbearer for right messages to whole the world, don't you think such  happening causes some embarrassment?

શુક્રવાર, 19 જુલાઈ, 2019

Region and country

જયરાજસિંહ પરમાર નો જબરજસ્ત લેખ .. અચૂક વાંચો👍👍👍👍👍

એક જાહેર જીવન માં રહેલી રાજકીય વ્યક્તિ આવુ સમાજ ની આંખ ઉઘાડતુ સત્ય જાહેર માં વ્યક્ત કરે એમાં એમની રાજકીય કારકિર્દી ને નુકશાન થાય એવુ ભયસ્થાન રહેલુ હોવા છતાં નિડરતા થી પોતાની વાત મુકે એ સલામ ને પાત્ર છે...

-----
આ લેખ કોઈ ધર્મ, કર્મકાંડ કે પુજા પધ્ધતિની આલોચનાના એકમાત્ર ઉદેશથી લખાયો નથી માટે એનું વિશ્લેષણ મુક્તમને કરશો એવો આગ્રહ છે. બહુમત માનસિકતાની વિરુદ્ધનો પક્ષ મુકવાના ભયસ્થાન હું જાણું જ છું છતાં એક ટકો યુવાઓના અંતર મન પર દસ્તક દઈ શક્યોતો લખેલુ સાર્થક લેખાશે તે ભરોસે જોખમ લીધું છે. પૂર્વગ્રહ કે પક્ષપાતી નજરે વાંચવાની વૃત્તિ સમાજ અને દેશનું અહિત કરશે એટલે વાંચતા પહેલા મન ને કોઈ ખુંટે બાંધેલું હોય તો મુક્ત કરી દેવાની વિનંતી સહ મારી વાતની શરૂઆત કરૂ છું.

દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દસ દેશોમાં ન્યુઝીલેન્ડ,ડેનમાર્ક  ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, નોર્વે નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા આવે છે. ભારત ૯૫ મા નંબરે છે.આશ્ચર્યની વાત એ છે કે આ દશ દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી,  રથયાત્રા , ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. ક્યાંય તાજિયાના ઝુલુસ નથી નીકળતા કે ક્યાંય હનુમાન ચાલીસા નથી વંચાતી.  ચોકે ચોકે મંદિરો, મસ્જિદો કે ધર્મ સ્થાનો નથી.  બાવા, સાધુ , સંતો, મુલ્લાઓ , પાદરીઓ કે બાબાઓ , મુનિઓ , પંડિત પુરોહિત પણ જોવા મળતા નથી આમ છતાં પ્રામાણિકતા માં તેઓ સર્વોપરી છે.
જ્યારે ભારતમાં અગણિત દેવી દેવતા  ચોકે ચોકે મંદિર અને ગલી ગલીએ મસ્જિદો કે ગુરુદ્વારો જોવા મળે .  બાવા, સાધુ, સંતો,  મુનિઓ, પંડિત,  પુરોહિત કે મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓનો જમઘટ જોવા મળે.લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય પણ લાંચ જરૂર ખાય.  લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવતા ધર્મગુરુઓ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવરાવતા નથી એ પ્રશ્ન છે. લાંચ ન ખાવાનો ગુરુમંત્ર કેમ આપતા નથી ? શું તેઓ દેશને સુધારવા ઇચ્છતા નથી કે તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ નથી ? જવાબ એ છે કે બધા જ ધર્મ ગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બંધ થઈ જાય તો દેશ સુખી સમૃદ્ધ થઈ જાય,લોકો સુખી થઇ જાય, પછી ધર્મ ગુરુઓનો કોઇ ભાવ પૂછશે નહિ કેમકે દુખોનો વેપાર જ ધર્મ ગુરુની મુડી છે.

ઓશો રજનીશને કોઈએ પૂછ્યું કે ભગવાન આ દેશનો લુચ્ચા ને જુઠ્ઠા રાજકારણીઓથી છૂટકારો  ક્યારે મળશે ??
ત્યારે ઓશો રજનીશે કહ્યું કે બહુ અઘરો સવાલ છે..સવાલ અઠંગ રાજકારણીઓથી છુટકારાનો નથી..સવાલ તમારી અજ્ઞાનતાનો છે. જ્યાં સુધી તમારી અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી તમારું શોષણ થતું રહેશે.
તમે પોતે જ્યાં સુધી અજ્ઞાની રહેશો ત્યાં સુધી સમાજનો તમામ શક્તિશાળી વર્ગ તમારું કોઈને કોઈ પ્રકારે શોષણ કરતો રહેશે. તમારું શોષણ સમાજવાદી કરે કે સામ્યવાદી તમને શું ફેર પડશે ? તમને ડાબેરીઓ છેતરે કે જમણેરીઓ તમને શું ફેર પડશે ? સરવાળે લૂંટાવાનુંતો તમારે જ છે ને...
કહેવાય છે " શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર" પણ અહીં આચાર્ય રજનીશે અંધશ્રદ્ધા પર નિશાન તાક્યું છે. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે જે હંમેશા ખેંચાયેલી રહે તેવા પ્રયાસો ધર્મ ના ઠેકેદારો કરતા જ રહેવાના.

મારી વાત એટલી જ છે કે તમે ગીતાના કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખો નસીબ   અને અંધશ્રદ્ધા પર નહિ...વ્યક્તિની જન્મ રાશિ ભલે એક જ હોય પણ કર્મ જુદા જુદા હોય છે ને પરિણામ કર્મના ફળરૂપે ભોગવવાના હોય છે..રામ અને રાવણની રાશિ એક જ  હતી પણ કર્મ બંનેના અલગ અલગ હતા અને ફળ પણ...કૃષ્ણ અને કંસ બંનેના કુળ અને રાશિ એક હતા પણ કર્મનું ફળ અલગ .
ગાંધી અને ગોડસે બંનેની રાશિ એક પણ દિશાઓ જુદી જુદી...ઓબામા અને ઓસામા એક જ રાશિના અને દુનિયાની નજરમાં બંનેના કર્મો જ હતા અને મુલવ્યા પણ એજ રીતે એટલે હંમેશા જન્મ કુંડળીને રાશિની અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે કર્મ પર વિશ્વાસ રાખો...

શ્રદ્ધા અને અતિ શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મોટી ખાઈ છે જે અત્યંત જોખમી છે..અતિશ્રદ્ધા અવળચંડી છે જે વેવલાપણાંનાં વાવેતર કરે છે. આપણે આટલો મોટો વિવિધતામાં એકતા વાળો દેશ હોવા છતાં આપણે અને પશ્ચિમ વચ્ચે કેટલો તફાવત છે તે જુઓ.
યુરોપે " અટપટાં યંત્રો " શોધી  ફૅક્ટરીમાં ફીટ કર્યા અને આપણે ફોટામાં " સિદ્ધિયંત્રો " બનાવી ફીટ કર્યાં .પશ્ચિમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીધા  અંતરિક્ષમાં અને આપણે ગ્રહોના નંગ બનાવી મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિશ્વમાં વિજાણુ યંત્રો થકી સમૃદ્ધ બન્યું અને આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી ગરીબી ને ઘરમાં પાળી.
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો  અને આપણે ધાર્મિક કર્મકાંડો થકી કંગાળ બન્યા. ભારતમાં
પરિશ્રમ થકી સ્વર્ગ ઉતારવા ના બદલે આ લોકમાં અને આપણે પુજાપાઠ–ભક્તિ કરી સ્વર્ગ ને પરલોકમાં જ રહેવા દીધું.
ઍડવર્ડ જેનરે રસી શોધી જગતમાં થી  શીતળા નાબુદ કર્યા અને આપણે ઠંડુ ખાઈ શીતળા માતાના મંદિર બાંધી મુર્ખ ઠર્યા.આખુ વિશ્વ પર્યાવરણ–પ્રદુષણથી ચિંતીત છે ત્યારે જયારે હોળીમાં અને ચિતાઓમાં લાકડા ખડકવા વૃક્ષો અને જંગલો કાપી રહ્યા છીએ.ગંગા યમુના સરસ્વતી નદીને માતાનો દરજ્જો આપી એની ગોદમાં ગંદકી ઠાલવી અને સામે પક્ષે દુનિયાએ નદીનું નદી તરીકે મહત્વ સમજી જતન કર્યુ. વાસ્તુશાસ્ત્ર જેવા ફાલતુશાસ્ત્રને શરણે જઈ ઘરની શાંતિ ડહોળી અને વાસ્તુ શાસ્ત્રીના ઘર સમૃદ્ધ થયા.  દુનિયાએ વૈજ્ઞાનિક ઢબે બ્લડ ચૅક કરી સગાઈઓ કરી અને આપણે આપણા સંતાનોને જન્મકુંડળીમાં ફસાવી દીધા. લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આપણા પણ ભરપૂર લાંચ ખાય તો પાપ  ન લાગે એવી ધાર્મિકતા વારસામાં આપી. વિદેશોમાં વરસાદ લાવવાના મશીન આવી ગયા અને આપણે હજી ટિંટોળીના ઇંડા લઇને બેઠા છીયે.કોઈ કાળામાંથી ગોરા થયાનું ઉદાહરણ નથી પણ સૌદર્ય પ્રસાધનો વેચતી કંપનીઓ મબલખ કમાણી કરે છે. જુહી ચાવલા ટીવી પર વાળ લાંબા ને કાળા કરવા માટે લોકોને ચોક્કસ તેલ વાપરવાની અપીલ કરે પણ એમના પતિદેવ જય મહેતાના માથામાં સંપૂર્ણ ટાલ કેમ છે એ સવાલ આપણને ના થાય.

આ બધી અંધશ્રદ્ધા કેમ પીરસાય છે એ પણ સમજાતું નથી.સવારે વહેલા સૂર્યોદય થાય ત્યારથી જ તેનો વેપલો શરુ થાય છે...ટીવી ચાલુ કરીએ એટલે પહેલું જ " રાશિ ભવિષ્ય " ને " ભવિષ્ય દર્શન " તમને પંડિતજી સજી ધજીને બેઠા બેઠા પીરસે ને લોકો પણ હોંશે હોંશે  ગ્રહણ પણ કરે...ટીવી વાળા લોકોને ટીઆરપી આવે એટલે એ પણ બતાવવા મજબુર થાય. એય શું કરે ?  સરવાળે એમને તો  દર્શકોને ભાવતું જ પીરસવું પડે ને..
પછી બપોરે જમ્યા પછી નવરાશના સમયે ફરી અંધશ્રદ્ધાનો બીજો હુમલો થાય. લક્ષ્મી યંત્રો, ધન વર્ષા યંત્રો વગેરે ની ભરમાર થાય...પ્રજા એ પણ વિચારતી નથી કે યંત્રોથી લક્ષ્મીજી પધારેતો દેશમાં ૨૦ કરોડ લોકો ભૂખે ના મરતા હોત...પછી હનુમાન અને શનિ રક્ષા કવચ આવે. જો આ રક્ષા કવચ જ સુરક્ષા પુરી પાડતા હોય તો પછી દેશના મહાનુભાવોના રક્ષણ માટે આટલી મોંઘીદાટ ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા શું કામ કરે છે સરકાર? વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કે પ્રધાનોના ગળામાં જ એક એક હનુમાન કે શનિ સુરક્ષા કવચ લટકાવી દેવાના ચિંતા જ નહીં ..
પશ્ચિમના દેશોમાં લોકો ટ્રાફિકના લાલ બત્તીના સિગ્નલ પર રોકાઈ જાય છે ને આપણે અહીં બિલાડી આડી ઉતરેતો જ ઉભા રહીએ છીએ..પશ્ચિમમાં વિકસિત દેશોમાં કામગીરીને આધારે પાર્લામેન્ટમાં લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે અને આપણે જાતિને આધારે ચૂંટીએ છીએ જાણે જમાઈ પસંદ કરવાનો હોય. પશ્ચિમમાં દીકરીને ભણાવવા પાછળ ખર્ચ કરે છે ને આપણે દિકરીને પરણાવવા પાછળ. વિકસિત દેશોમાં લોકો પોલીસ જોઈને પોતાને સુરક્ષિત અનુભવે છે જયારે આપણે અહીં લોકો પોલીસ જોઈને ગભરાઈ જાય છે.

આપણા દેશમાં સોનુ ધોઈ આપવાના બહાને પિત્તળ પધરાવી જતી ટોળકી આજે પણ સફળ થાય જ છે..આજે પણ ગણપતિને દુધ પીવરાવનારી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવરાવનારી જમાત અને ટુચકા, ટોટકા ને દોરા-ધાગા અને તાવીજની સંસ્કૃતિ ભૂલ્યા નથી.આજે પણ આપણે આપણે આપણા કર્મ કરતા નિર્મલબાબાના સમોસા ને તેના દ્વારા વરસતી કૃપા પર વધુ ભરોસો છે. મૃત્યુ પછીની વિધી નહીં કરીએ તો પિતૃ નડશે એવો ભય પિતાને મર્યા પછી કાગડો બનાવી વરસમાં એકવાર પુરી ને ખીર ખાવા નોંતરે. ક્યારેય વિચાર્યું છે જો આ વાત સાચી હોત તો ભારત સિવાયના તમામ દેશોમાં ક્રોધીત પિતૃઓ એ કેવું તાંડવ મચાવ્યુ હોત અને ગલીએ ગલીએ ને વૃક્ષે વૃક્ષે ભૂતપ્રેત બેઠા હોય એટલા પિતૃઓ ફરતા હોત  કેમકે ત્યાં તો આવી કોઈ વિધી થતી જ નથી. અરે ભારતમાં પણ જૈનો આ માન્યતા નથી રાખતા. જો મરણોત્તર વિધીના અભાવે બધા પ્રેતાત્મા બની જતા જતા હોત તો આ દુનિયામાં માણસો કરતા ભુત પ્રેતની સંખ્યા વધુ હોત. ગુજરાતમાં 2 લાખથી પણ વધારે માતાજીના ભૂવાઓ છે અને ૧૦ લાખ કરતાં પણ વધારે જ્યોતિષીઓ પણ છે છતાં પણ કોઇએ જાહેર જનતાના હિતમાં ભવિષ્યવાણી કરી હોય કે રાતો રાત 500 ને 1000 નોટો બંધ થવાની છે કે ભૂકંપ આવવાનો છે તો કહો . કોઈ ભવિષ્યવેત્તા એ પોતાનું ત્રિકાળજ્ઞાન પ્રગટ કરી કદીયે કહ્યું નથી કે અહીં વાવાઝોડું આવશે કે અહીં આતંકવાદી હૂમલો થવાનો છે કે બૉમ્બ ફૂટવાનો છે..એટલે આ બધી વાહિયાત વાતોમાંથી બહાર આવીએ..

કવિ અખાએ ઈસ. ૧૬૧૫ -૧૬૭૪ એટલે કે આશરે ૪૦૦ વર્ષ પહેલા અંધશ્રદ્ધામાં ગળાડૂબ સમાજને આંખો ઉઘાડતી અનેક રચનાઓ કરી હતી જે અખાના છપ્પા તરીકે ઓળખાય છે..

આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું,   
આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક,  
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

એક મૂરખને એવી ટેવ,   
પથ્થર એટલા પૂજે  દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું  ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

તિલક કરતાં ત્રેપન થયાં,   
જપમાળાનાં  નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, 
તોય ન પોચતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

ટૂંકમાં ધર્મ અને ધર્માંધતામાં અંતર સમજીએ. શ્રધ્ધા ચોક્કસ હોવી જોઈએ પણ આપણે અંધશ્રદ્ધા નહીં. યંત્રનો જમાનો છે ત્યારે માત્ર મંત્રની માળા ફેરવવી યોગ્ય નથી. સ્વયંબુદ્ધિથી વિચારીશુ તો દેશને વિકસિત બનાવી શકીશું.   દેશને વિશ્વની પ્રથમ શ્રેણીમાં મુકવો હશે તો સંકુચિત રૂઢીગત વિચાર માંથી મુક્ત થવુ પડશે.

જય હિંદ ..

ગુરુવાર, 18 જુલાઈ, 2019

Region and country

જયરાજસિંહ પરમાર નો જબરજસ્ત લેખ .. અચૂક વાંચો👍👍👍👍👍

એક જાહેર જીવન માં રહેલી રાજકીય વ્યક્તિ આવુ સમાજ ની આંખ ઉઘાડતુ સત્ય જાહેર માં વ્યક્ત કરે એમાં એમની રાજકીય કારકિર્દી ને નુકશાન થાય એવુ ભયસ્થાન રહેલુ હોવા છતાં નિડરતા થી પોતાની વાત મુકે એ સલામ ને પાત્ર છે...

-----
આ લેખ કોઈ ધર્મ, કર્મકાંડ કે પુજા પધ્ધતિની આલોચનાના એકમાત્ર ઉદેશથી લખાયો નથી માટે એનું વિશ્લેષણ મુક્તમને કરશો એવો આગ્રહ છે. બહુમત માનસિકતાની વિરુદ્ધનો પક્ષ મુકવાના ભયસ્થાન હું જાણું જ છું છતાં એક ટકો યુવાઓના અંતર મન પર દસ્તક દઈ શક્યોતો લખેલુ સાર્થક લેખાશે તે ભરોસે જોખમ લીધું છે. પૂર્વગ્રહ કે પક્ષપાતી નજરે વાંચવાની વૃત્તિ સમાજ અને દેશનું અહિત કરશે એટલે વાંચતા પહેલા મન ને કોઈ ખુંટે બાંધેલું હોય તો મુક્ત કરી દેવાની વિનંતી સહ મારી વાતની શરૂઆત કરૂ છું.

દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દસ દેશોમાં ન્યુઝીલેન્ડ,ડેનમાર્ક  ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, નોર્વે નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા આવે છે. ભારત ૯૫ મા નંબરે છે.આશ્ચર્યની વાત એ છે કે આ દશ દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી,  રથયાત્રા , ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. ક્યાંય તાજિયાના ઝુલુસ નથી નીકળતા કે ક્યાંય હનુમાન ચાલીસા નથી વંચાતી.  ચોકે ચોકે મંદિરો, મસ્જિદો કે ધર્મ સ્થાનો નથી.  બાવા, સાધુ , સંતો, મુલ્લાઓ , પાદરીઓ કે બાબાઓ , મુનિઓ , પંડિત પુરોહિત પણ જોવા મળતા નથી આમ છતાં પ્રામાણિકતા માં તેઓ સર્વોપરી છે.
જ્યારે ભારતમાં અગણિત દેવી દેવતા  ચોકે ચોકે મંદિર અને ગલી ગલીએ મસ્જિદો કે ગુરુદ્વારો જોવા મળે .  બાવા, સાધુ, સંતો,  મુનિઓ, પંડિત,  પુરોહિત કે મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓનો જમઘટ જોવા મળે.લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય પણ લાંચ જરૂર ખાય.  લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવતા ધર્મગુરુઓ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવરાવતા નથી એ પ્રશ્ન છે. લાંચ ન ખાવાનો ગુરુમંત્ર કેમ આપતા નથી ? શું તેઓ દેશને સુધારવા ઇચ્છતા નથી કે તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ નથી ? જવાબ એ છે કે બધા જ ધર્મ ગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બંધ થઈ જાય તો દેશ સુખી સમૃદ્ધ થઈ જાય,લોકો સુખી થઇ જાય, પછી ધર્મ ગુરુઓનો કોઇ ભાવ પૂછશે નહિ કેમકે દુખોનો વેપાર જ ધર્મ ગુરુની મુડી છે.

ઓશો રજનીશને કોઈએ પૂછ્યું કે ભગવાન આ દેશનો લુચ્ચા ને જુઠ્ઠા રાજકારણીઓથી છૂટકારો  ક્યારે મળશે ??
ત્યારે ઓશો રજનીશે કહ્યું કે બહુ અઘરો સવાલ છે..સવાલ અઠંગ રાજકારણીઓથી છુટકારાનો નથી..સવાલ તમારી અજ્ઞાનતાનો છે. જ્યાં સુધી તમારી અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી તમારું શોષણ થતું રહેશે.
તમે પોતે જ્યાં સુધી અજ્ઞાની રહેશો ત્યાં સુધી સમાજનો તમામ શક્તિશાળી વર્ગ તમારું કોઈને કોઈ પ્રકારે શોષણ કરતો રહેશે. તમારું શોષણ સમાજવાદી કરે કે સામ્યવાદી તમને શું ફેર પડશે ? તમને ડાબેરીઓ છેતરે કે જમણેરીઓ તમને શું ફેર પડશે ? સરવાળે લૂંટાવાનુંતો તમારે જ છે ને...
કહેવાય છે " શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર" પણ અહીં આચાર્ય રજનીશે અંધશ્રદ્ધા પર નિશાન તાક્યું છે. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે જે હંમેશા ખેંચાયેલી રહે તેવા પ્રયાસો ધર્મ ના ઠેકેદારો કરતા જ રહેવાના.

મારી વાત એટલી જ છે કે તમે ગીતાના કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખો નસીબ   અને અંધશ્રદ્ધા પર નહિ...વ્યક્તિની જન્મ રાશિ ભલે એક જ હોય પણ કર્મ જુદા જુદા હોય છે ને પરિણામ કર્મના ફળરૂપે ભોગવવાના હોય છે..રામ અને રાવણની રાશિ એક જ  હતી પણ કર્મ બંનેના અલગ અલગ હતા અને ફળ પણ...કૃષ્ણ અને કંસ બંનેના કુળ અને રાશિ એક હતા પણ કર્મનું ફળ અલગ .
ગાંધી અને ગોડસે બંનેની રાશિ એક પણ દિશાઓ જુદી જુદી...ઓબામા અને ઓસામા એક જ રાશિના અને દુનિયાની નજરમાં બંનેના કર્મો જ હતા અને મુલવ્યા પણ એજ રીતે એટલે હંમેશા જન્મ કુંડળીને રાશિની અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે કર્મ પર વિશ્વાસ રાખો...

શ્રદ્ધા અને અતિ શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મોટી ખાઈ છે જે અત્યંત જોખમી છે..અતિશ્રદ્ધા અવળચંડી છે જે વેવલાપણાંનાં વાવેતર કરે છે. આપણે આટલો મોટો વિવિધતામાં એકતા વાળો દેશ હોવા છતાં આપણે અને પશ્ચિમ વચ્ચે કેટલો તફાવત છે તે જુઓ.
યુરોપે " અટપટાં યંત્રો " શોધી  ફૅક્ટરીમાં ફીટ કર્યા અને આપણે ફોટામાં " સિદ્ધિયંત્રો " બનાવી ફીટ કર્યાં .પશ્ચિમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીધા  અંતરિક્ષમાં અને આપણે ગ્રહોના નંગ બનાવી મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિશ્વમાં વિજાણુ યંત્રો થકી સમૃદ્ધ બન્યું અને આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી ગરીબી ને ઘરમાં પાળી.
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો  અને આપણે ધાર્મિક કર્મકાંડો થકી કંગાળ બન્યા. ભારતમાં
પરિશ્રમ થકી સ્વર્ગ ઉતારવા ના બદલે આ લોકમાં અને આપણે પુજાપાઠ–ભક્તિ કરી સ્વર્ગ ને પરલોકમાં જ રહેવા દીધું.
ઍડવર્ડ જેનરે રસી શોધી જગતમાં થી  શીતળા નાબુદ કર્યા અને આપણે ઠંડુ ખાઈ શીતળા માતાના મંદિર બાંધી મુર્ખ ઠર્યા.આખુ વિશ્વ પર્યાવરણ–પ્રદુષણથી ચિંતીત છે ત્યારે જયારે હોળીમાં અને ચિતાઓમાં લાકડા ખડકવા વૃક્ષો અને જંગલો કાપી રહ્યા છીએ.ગંગા યમુના સરસ્વતી નદીને માતાનો દરજ્જો આપી એની ગોદમાં ગંદકી ઠાલવી અને સામે પક્ષે દુનિયાએ નદીનું નદી તરીકે મહત્વ સમજી જતન કર્યુ. વાસ્તુશાસ્ત્ર જેવા ફાલતુશાસ્ત્રને શરણે જઈ ઘરની શાંતિ ડહોળી અને વાસ્તુ શાસ્ત્રીના ઘર સમૃદ્ધ થયા.  દુનિયાએ વૈજ્ઞાનિક ઢબે બ્લડ ચૅક કરી સગાઈઓ કરી અને આપણે આપણા સંતાનોને જન્મકુંડળીમાં ફસાવી દીધા. લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આપણા પણ ભરપૂર લાંચ ખાય તો પાપ  ન લાગે એવી ધાર્મિકતા વારસામાં આપી. વિદેશોમાં વરસાદ લાવવાના મશીન આવી ગયા અને આપણે હજી ટિંટોળીના ઇંડા લઇને બેઠા છીયે.કોઈ કાળામાંથી ગોરા થયાનું ઉદાહરણ નથી પણ સૌદર્ય પ્રસાધનો વેચતી કંપનીઓ મબલખ કમાણી કરે છે. જુહી ચાવલા ટીવી પર વાળ લાંબા ને કાળા કરવા માટે લોકોને ચોક્કસ તેલ વાપરવાની અપીલ કરે પણ એમના પતિદેવ જય મહેતાના માથામાં સંપૂર્ણ ટાલ કેમ છે એ સવાલ આપણને ના થાય.

આ બધી અંધશ્રદ્ધા કેમ પીરસાય છે એ પણ સમજાતું નથી.સવારે વહેલા સૂર્યોદય થાય ત્યારથી જ તેનો વેપલો શરુ થાય છે...ટીવી ચાલુ કરીએ એટલે પહેલું જ " રાશિ ભવિષ્ય " ને " ભવિષ્ય દર્શન " તમને પંડિતજી સજી ધજીને બેઠા બેઠા પીરસે ને લોકો પણ હોંશે હોંશે  ગ્રહણ પણ કરે...ટીવી વાળા લોકોને ટીઆરપી આવે એટલે એ પણ બતાવવા મજબુર થાય. એય શું કરે ?  સરવાળે એમને તો  દર્શકોને ભાવતું જ પીરસવું પડે ને..
પછી બપોરે જમ્યા પછી નવરાશના સમયે ફરી અંધશ્રદ્ધાનો બીજો હુમલો થાય. લક્ષ્મી યંત્રો, ધન વર્ષા યંત્રો વગેરે ની ભરમાર થાય...પ્રજા એ પણ વિચારતી નથી કે યંત્રોથી લક્ષ્મીજી પધારેતો દેશમાં ૨૦ કરોડ લોકો ભૂખે ના મરતા હોત...પછી હનુમાન અને શનિ રક્ષા કવચ આવે. જો આ રક્ષા કવચ જ સુરક્ષા પુરી પાડતા હોય તો પછી દેશના મહાનુભાવોના રક્ષણ માટે આટલી મોંઘીદાટ ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા શું કામ કરે છે સરકાર? વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કે પ્રધાનોના ગળામાં જ એક એક હનુમાન કે શનિ સુરક્ષા કવચ લટકાવી દેવાના ચિંતા જ નહીં ..
પશ્ચિમના દેશોમાં લોકો ટ્રાફિકના લાલ બત્તીના સિગ્નલ પર રોકાઈ જાય છે ને આપણે અહીં બિલાડી આડી ઉતરેતો જ ઉભા રહીએ છીએ..પશ્ચિમમાં વિકસિત દેશોમાં કામગીરીને આધારે પાર્લામેન્ટમાં લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે અને આપણે જાતિને આધારે ચૂંટીએ છીએ જાણે જમાઈ પસંદ કરવાનો હોય. પશ્ચિમમાં દીકરીને ભણાવવા પાછળ ખર્ચ કરે છે ને આપણે દિકરીને પરણાવવા પાછળ. વિકસિત દેશોમાં લોકો પોલીસ જોઈને પોતાને સુરક્ષિત અનુભવે છે જયારે આપણે અહીં લોકો પોલીસ જોઈને ગભરાઈ જાય છે.

આપણા દેશમાં સોનુ ધોઈ આપવાના બહાને પિત્તળ પધરાવી જતી ટોળકી આજે પણ સફળ થાય જ છે..આજે પણ ગણપતિને દુધ પીવરાવનારી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવરાવનારી જમાત અને ટુચકા, ટોટકા ને દોરા-ધાગા અને તાવીજની સંસ્કૃતિ ભૂલ્યા નથી.આજે પણ આપણે આપણે આપણા કર્મ કરતા નિર્મલબાબાના સમોસા ને તેના દ્વારા વરસતી કૃપા પર વધુ ભરોસો છે. મૃત્યુ પછીની વિધી નહીં કરીએ તો પિતૃ નડશે એવો ભય પિતાને મર્યા પછી કાગડો બનાવી વરસમાં એકવાર પુરી ને ખીર ખાવા નોંતરે. ક્યારેય વિચાર્યું છે જો આ વાત સાચી હોત તો ભારત સિવાયના તમામ દેશોમાં ક્રોધીત પિતૃઓ એ કેવું તાંડવ મચાવ્યુ હોત અને ગલીએ ગલીએ ને વૃક્ષે વૃક્ષે ભૂતપ્રેત બેઠા હોય એટલા પિતૃઓ ફરતા હોત  કેમકે ત્યાં તો આવી કોઈ વિધી થતી જ નથી. અરે ભારતમાં પણ જૈનો આ માન્યતા નથી રાખતા. જો મરણોત્તર વિધીના અભાવે બધા પ્રેતાત્મા બની જતા જતા હોત તો આ દુનિયામાં માણસો કરતા ભુત પ્રેતની સંખ્યા વધુ હોત. ગુજરાતમાં 2 લાખથી પણ વધારે માતાજીના ભૂવાઓ છે અને ૧૦ લાખ કરતાં પણ વધારે જ્યોતિષીઓ પણ છે છતાં પણ કોઇએ જાહેર જનતાના હિતમાં ભવિષ્યવાણી કરી હોય કે રાતો રાત 500 ને 1000 નોટો બંધ થવાની છે કે ભૂકંપ આવવાનો છે તો કહો . કોઈ ભવિષ્યવેત્તા એ પોતાનું ત્રિકાળજ્ઞાન પ્રગટ કરી કદીયે કહ્યું નથી કે અહીં વાવાઝોડું આવશે કે અહીં આતંકવાદી હૂમલો થવાનો છે કે બૉમ્બ ફૂટવાનો છે..એટલે આ બધી વાહિયાત વાતોમાંથી બહાર આવીએ..

કવિ અખાએ ઈસ. ૧૬૧૫ -૧૬૭૪ એટલે કે આશરે ૪૦૦ વર્ષ પહેલા અંધશ્રદ્ધામાં ગળાડૂબ સમાજને આંખો ઉઘાડતી અનેક રચનાઓ કરી હતી જે અખાના છપ્પા તરીકે ઓળખાય છે..

આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું,   
આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક,  
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

એક મૂરખને એવી ટેવ,   
પથ્થર એટલા પૂજે  દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું  ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

તિલક કરતાં ત્રેપન થયાં,   
જપમાળાનાં  નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, 
તોય ન પોચતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

ટૂંકમાં ધર્મ અને ધર્માંધતામાં અંતર સમજીએ. શ્રધ્ધા ચોક્કસ હોવી જોઈએ પણ આપણે અંધશ્રદ્ધા નહીં. યંત્રનો જમાનો છે ત્યારે માત્ર મંત્રની માળા ફેરવવી યોગ્ય નથી. સ્વયંબુદ્ધિથી વિચારીશુ તો દેશને વિકસિત બનાવી શકીશું.   દેશને વિશ્વની પ્રથમ શ્રેણીમાં મુકવો હશે તો સંકુચિત રૂઢીગત વિચાર માંથી મુક્ત થવુ પડશે.

જય હિંદ ..