લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

Gandhiji and freedom

ગાંધીજીનો આજે વિદાય દિવસ....વિવિધ ચર્ચા થશે. 

એક વાત સતત
.. એમણે એકલાએ આઝાદી અપાવી હતી? 

ના, એમણે નહોતી અપાવી.....લ્યો આ જવાબ.

આ લેખ 2019નો છે પુનઃ પુનઃ મારી પાસે આવતો રહે છે. અનેક મેગેઝિન આ સૌજન્ય.....એવું લખીને છાપી ચૂક્યા છે.


Dt. 05-11-2019 

*આવો, ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી બાદ કરી નાખીએ*

 *જ્વલંત છાયા* 
      Mob. 99099 28387
      
【Jwalant Chhaya જ્વલંતભાઇ, અદ્ભુત હો.... આ લેખ લખતાં તમે કલમ અટકાવી શું કામ? હજી હાલવાં દેવું'તું ને ! લેખ પૂરો કરવાની જરુર જ નહોતી. ક્યા બાત હૈ ! જમાવટ છે જમાવટ... તાકાત વાળો લેખ.... જીયો જીયો.... એક શ્વાસે વાંચી ગયો, અફલાતુન !!! મિત્રો, વાંચો આ ગાંધીજી પર જ્વલંત છાયા દ્વારા લખાયેલ એક અસામાન્ય લેખ】

અગાઉ એવું લખી-બોલી ચૂક્યો છું કે ગાંધીજી એક સૂર્ય છે. એની સામે ધૂળ ઊડાડીએ અને કણું આપણી આંખમાં પડે તો જવાબદાર આપણે. હાથની મુઠ્ઠી ભરીને કોઇ ઘૂળ ઊડાડે તો સૂર્યને અસર ન થાય. પણ મોટા મોટા ભૂંગળા- ચિમની માંથી જ્યારે ધૂમાડો આકાશમાં ઉડવા લાગે તો વાતાવરણ ડહોળાય તો ખરું !! અને ગાંધીજીને ભાંડવાના કારખાના શરુ થયાં છે. પહેલાં જે ગણગણાટ હતો એ હવે અવાજમાં તબદીલ થયો છે. હજી વધારે બુલંદ બનશે. આ કંઇ નવું નથી, એમના સમયથી છે. *મોહનદાસ ગાંધી નામનો એક દરીયો ઘૂઘવે છે અને નાની મોટી ગટરો એનું માપ મન પડે ત્યારે આપે છે.* ફર્ક ગાંઘીજીને નથી પડતો પરંતુ પ્રજા તરીકે આપણને પડવો જોઇએ. મોટી ગેરસમજનું સર્જન સતત કરવામાં આવે છે કે ગાંધીજી એટલે કોંગ્રેસ. ગાંધીજી એટલે અમુક જ નેતાઓ માટેનો પ્રેમ ધરાવતા વ્યક્તિ.

ફૂટબોલના મેદાનમાં જેમ બોલ હોય એમ છેલ્લા ઘણા સમયથી એક બોલ - મુદ્દો ફેંકવામાં આવે છેઃ *દેશને આઝાદી ફક્ત ગાંધીજીએ નહોતી અપાવી.* ઘણા લોકો શહીદ થયા હતા. આમાં કોણ અસંમત છે?  સ્વયં ગાંધીજીએ પણ આવો દાવો કર્યો નથી કે આઝાદી એમના એકલાના લીધે આવી. *ગુલામીગ્રસ્ત આ રાષ્ટ્ર આઝાદ થવું જોઇએ એવો વિચાર 1857થી શરુ થયો. ગાંધીજીનો જન્મ 1869માં થયો.* આપણને જે વિપ્લવ-બળવો તરીકે ઘટના ભણાવાઇ એ હકિકતમાં પ્રથમ ક્રાંતિ હતી. એટલે આ વિવાદ-વિરોધ ગાંધીજીના વિરોધીઓ જ ઉભો કરી રહ્યા છે. બસ ફર્ક એટલો હતો કે *અનેક લોકો દેશ માટે નાની ઉંમરે શહીદ થયા. ગાંધીજી દેશ માટે મોટી ઉંમર સુધી જીવ્યા. એટલે દેશ માટે મરવું કેમ એ અનેક મહાન લોકો પાસેથી શીખી શકાય, દેશ માટે જીવવાનું શિક્ષણ ગાંધીજી-સરદાર પટેલ જેવા લોકો જ આપી શકે.*

ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્ય?  ઇતિહાસના દસ્તાવેજો તો કહે છે સુભાષચંદ્ર બોઝે. પણ ગાંધીજી કોઇ પદ,પ્રતિષ્ઠા,બિરુદમાં બંધાવા નહોતા સર્જાયા. *સ્થિતિ એવી થઇ ગઇ છે કે કોઇ પણ ટટપુંજિયો આવીને ગાંધીજી વિશે કંઇ પણ બોલે આપણી પ્રજા એને તાલીઓથી વધાવી લે છે.* 
 *કોઇ પાન ખાઇને પિચકારી મારે, થૂંકે એને અભિષેક ન કહેવાય એવી સાદી સમજ આપણે ગુમાવી રહ્યા છીએ.*

 ચલો એક પ્રયોગ કરીએ.-એમણે જીદગી ભર પ્રયોગ કર્યા એટલે તો એમનું જીવન યોગ બનીને આપણી સામે આવ્યું છે. એક પ્રયોગ કરીએ- *આઝાદીની સમગ્ર ચળવળ માંથી થોડી મિનિટ ગાંધીજીની બાદબાકી કરી નાંખીએ!!!* 

આવું કરવાનું કારણ એ છે કે સતત જો ફેલાવવામાં આવતું હોય કે ગાંધીજીએ તો કંઇ કર્યું નહોતું તો  પ્રશ્ન  થયો કે દુનિયા તો પણ કેમ આ વિભૂતિ પાછળ ઘેલી છે?  *બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન એટલી જાણે અવતાર પુરુષ હોય એમ એના એક વિધાનને ક્વોટ કરવામાં આવે છે કે દેશ આઝાદ થયો એમાં ગાંધીજીની અહિંસાનું કોન્ટ્રીબ્યુશન- પ્રદાન ઓછામાં ઓછું હતું.*  પરમ બુધ્ધિમાનો  આ સાંભળીને ચોંકી ઉઠે છે. એટલીને મનોમન અગરબત્તિ ધરવા લાગે છે. અરે ભાઇ, અહિંસા એ માત્ર આઝાદી માટેનો કન્સેપ્ટ જ નહોતો. *સૌ થી મહત્વની વાત કે ભારતની આઝાદી માટેની લડત એ ગાંધીજીના વિરાટ અને વિશાળ જીવનનો એક હિસ્સો હતી.* ફક્ત આઝાદી એમનું કાર્ય નહોતું અને જે આઝાદી મળી એમાં તો એ રાજી નહોતા જ. જુઠ જ ઓકવું છે એ તો કંઇ પણ કહે, બાકી દેશ આઝાદ જે રીતે થયો એ ભારત ગાંધીજીના સ્વપ્નનું હતું જ નહીં.

આપણે આપણા જ ચશ્મા પહેરીને બધું જોવા ટેવાયેલા છીએ. *રાષ્ટ્રવાદ શબ્દ કેવો સરસ છે? ગાંધીજી રાષ્ટ્રવાદી નહીં, રાષ્ટ્રપ્રેમી હતા.* દેશને બંધારણીય આઝાદી અપાવીને એમને સંતોષ નહોતો. ખરા અર્થમાં આર્થિક, સામાજિક, માનસિક આઝાદી એમનું લક્ષ્ય અને કલ્પના હતી. *એટલે આપણે ચલો ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી કાઢી જ નાંખીએ.*  અસહકાર આંદોલન, જેને લીધે વલ્લભભાઇ સરદાર બન્યા એ બારડોલી અને ખેડા સત્યાગ્રહ, 1909થી જેના બીજ રોપાયાં હતા અને અંગ્રેજ સરકાર હલી ગઇ એ મીઠાં સત્યાગ્રહ કે ભારત છોડો આંદોલન- આમાંનું કંઇ જ સફળ નથી. આ કંઇ કરવાથી આઝાદી નહોતી મળી એવું માની લઇએ. ગાંધીજીના અવસાન પછી 1948 પછી કદાચ દેશ આઝાદ થયો હોત. માની લઇએ. તો પણ ગાંધીજીનું જીવન જે સ્તર પર છે એવું બીજું કોણ જીવ્યું?  *આ તો કેવું છે ખબર છે, કે કૃષ્ણે ગોપીના ઘરમાં જઇને માખણ ન ચોર્યું હોત તો?! તો ભગવત ગીતા ન મળત? તો કંસવધ ન થાત?  તો મહાભારતના યુધ્ધમાં પાંડવોનો પરાજય થાત!!  માણખ ચોરી વગરનું કૃષ્ણ ચરિત્ર કેવું લાગે?* 

જે લોકો ગાંધીજી વિશે ભાઉ ભાઉ કરે છે એ લોકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે તો બોલતા જ નથી. સર, વિચાર તો કરો અહીંથી લંડન ગયેલો માણસ ત્યાં જઇને વેજિટેરીયનની મુવમેન્ટમાં જોડાય. આજે દુનિયાના અનેક દેશ આ ચળવળ અપનાવી ચૂક્યા છે. પછી એ જ વ્યક્તિ આફ્રિકા જાય, ત્યાં લાખો રુપિયાની પ્રેક્ટિસ છોડીને અન્યાય સામે લડે. એના પર ત્યાં હુમલો થાય. બેભાન થઇ જાય. ભાનમાં આવીને સૌથી પહેલો પ્રશ્ર્ન એ પૂછે કે મને મારનારનું શું થયું? એને છોડી મુકજો. કોઇ કામ એના પર ન ચલાવતા. એ હુમલો કરનાર પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સૌથી પહેલો ગાંધીજીની સાથે ઉભો રહે. ફિનિક્સ અને ટોલ્સટોય ફાર્મ. *ત્યાં પરદેશમાં ઇન્ડિયન ઓપિનીયન નામનું અખબાર અને અંગ્રેજ સરકાર એ છાપું બિલોરી કાચ રાખીને વાંચે.*

 ત્યારે ક્યાં ભારતની આઝાદીની વાત પણ હતી?

1915માં ભારત આવ્યા પછી ટ્રેનના થર્ડક્લાસના ડબ્બામાં આ બારિસ્ટર મુસાફરી કરે, ગરીબોની અવદશા જોઇને બે-ત્રણ માસ બે જ વસ્ત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા લે અને પછી એ જીવનભર પાળે. એક કિસ્સો તો છેક મોડે મોડે બન્યો- *નોઆખલી જતા હતા એ સમયે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં વરસાદને લીધી પાણી ભરાયું.  અધિકારીઓ કહેવા આવ્યા કે તમે બીજાં કમ્પાર્ટમેન્ટમાં બેસી જાઓ. ગાંધીજી કહે તો એ લોકો ક્યાં બેસશે?  પેલા કહે એમને અહીં શિફ્ટ કરશું. તો ડોસા કહે, જો એમને અહીં બેસાડી શકાય તો મને શું વાંધો હતો? રાષ્ટ્રપિતા એટલે કહેવાયા. એમાં આરટીઆઇ કરવાની જરુર નહીં.*   હિન્દુસ્તાનના સાત લાખ ગામડાંની આર્થિક આઝાદી માટે રેંટિયો શસ્ત્ર છે એવી સમજ. ખાદીનો વ્યાપ. “એક એક તાર કાંતું ત્યારે મારા મનમાં હિન્દુસ્તાનના કંગાળોનું ચિંતન છે.”  –
 આઝાદીની લડતમાં ગાંધીજીએ કંઇ નહોતું કર્યું બસ. પણ આ કોણે કર્યું?  

જેલમાં પણ પ્રાર્થના, જેલમાં પણ સ્વાધ્યાય. અરે કેવી કેવી કૃતિઓ જેને ગાંધીજીએ પ્રાર્થના બનાવી દીધી. કેવા કેવા સાક્ષરો, સમર્થ લોકોએ ત્યાં જાણે શરણું લઇ લીધું.-બહુ બહુ લંબાણ થઇ જશે. વિનોબા હોય કે સ્વામી આંનદ. કે કાકા કાલેલકર કે ઉમાશંકર જોશી….ગાંધીજીના વિચારથી કોઇ કોઇ અલિપ્ત રહી ન શક્યા. એ પ્રાર્થનાના પડઘા હજી ક્યાંક વાતાવરણમાં છે. ઘોંઘાટ વધુ છે એટલે આપણને ઓછા સંભળાય છે. *કુષ્ટરોગીઓની સારવાર ક્યા સમાંતર નેતાએ ગાંધીજીના પ્રમાણમાં કરી?  અને અસ્પૃશ્યતા નિવારણ માટે શેરી-શેરી પગપાળા ફર્યા ગાંધીજી. દેશ આઝાદ ન થયો હોત અને આ કલંક મટી ગયું હોત તો? દેશ આઝાદ થઇ ગયો તો પણ શું જો અસ્પૃશ્યતા યથાવત છે.* 

ચંદ્રકાન્ત બક્ષી 1981માં પાકિસ્તાન ગયા ત્યારે લિયાકત અલીના પત્ની રાનાને મળ્યા હતા. *પાકિસ્તાનના એ મહિલાએ બક્ષીને કહ્યું હતું. “અમારે આજે (1981માં) મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં પરદેશ મોકલવી હોય તો વિચાર કરવો પડે છે. ગાંધીજી 1919માં મહિલાઓને દારુના અડ્ડા સામે પિકેટીંગ કરવા રસ્તા પર લાવ્યા હતા.* 
 પાકિસ્તાનની મહિલાનું આ અવલોકન છે. જેને પેલા એટલી જેટલી પ્રસિધ્ધિ નથી મળી. સ્ત્રી સશક્તિકરણના આવાં તો સેંકડો ઉદાહરણ ગાંધીજીની જીવન માંથી મળે છે.-
 કબુલ માત્ર ગાંધીજીને લીધે દેશને આઝાદી નહોતી મળી. પણ આ બધું?  

જે સ્વદેશી માટે ભાઇ રાજીવ દીક્ષિત જીંદગી ભર દેશમાં ફર્યા. એ સ્વદેશીની વાત ગાંધીજીએ તો વીસમી સદીના પહેલા બે દાયકામાં કરી હતી..

હિન્દુ વિરોધી ગાંધી- એવું હસવું આવે હો. અરે હિન્દુઓનો સૌથી મહત્વનો, મોટો ગ્રંથ ભગવત ગીતા. આના અનાસક્તિયોગ પર ગાંધીજનું ભાષ્ય વાંચ્યું છે?  ભાષ્ય નહીં ફક્ત પ્રસ્તાવના જ વાંચીએ તો ખબર પડે કે આ કેટલા મોટા હિન્દુ હતા!!? રામનામ-એમના શ્વાસ હતું. અહિંસા આપણી સંસ્કૃતિ નથી. એવું પણ કોઇને લાગે છે. *અરે ભગવત ગીતાનો સાર શું? મહાભારત યુધ્ધનું શાસ્ત્ર નથી. ઊંડે જવું પડે. એ યુધ્ધની નિરર્થકતા કહેતું શાસ્ત્ર છે. સેંકડોના સંહાર અને ભીષણ રક્તપાત પછી પણ કોને શું મળ્યું? હેમાળે હાડ ગાળવા જ જવું પડ્યું ને?  તો એ યુધ્ધ શું કામ નું?  આ ભગવતગીતાનો સંદેશ છે. અશોકને લોકો સમ્રાટ કહે છે પણ એ તો પછી રાજપાટ છોડી ગયા. આ ભગવતગીતાને ગાંધીજીએ જીવનમાં ઉતારી હતી.* અને ગીતા હિન્દુઓનો ગ્રંથ નથી એ હિન્દુ શાસ્ત્રકાર દ્વારા વિશ્વને અપાયેલી જીવન જીવવાની જડીબુટ્ટી છે.

*ગાંધીજીની અહિંસા સામે આંગળી ચીંધવી એટલે મહાવીરની અહિંસા સામે શંકા, ગાંધીજીના સત્યને પડકારવું એટલે રાજા હરિશ્ચંદ્રના સત્યને પડકાર. ગાંધીજીના સર્વધર્મ સમભાવને પડકાર એટલે રામરાજ્યના કન્સેપ્ટ સામે સીધો સવાલ. ગાંધીજીની સહ્રદયતા સામે શંકા એટલે શ્રીમદ રાજચંદ્ર જેવા મહાપુરષ સાથે અસંમતિ. કારણ કે આ બધું એ કોઇને કોઇ વ્યક્તિ-વિભૂતિ કે વિભાવના પાસેથી પામ્યા હતા. હવે નક્કી આપણે કરવાનું આપણે આ બધા મહાન લોકોને માનવા કે કોઇ લલ્લુ ગાંધીજી વિશે કંઇ પણ બોલે એ માનવું?*  

- આમાં ક્યાંય ગાંધીજીની આઝાદીની ચળવળ વાળી વાત નથી.

આહારના પ્રયોગ,કેળવણી. આજે વિશ્વના પ્રગતિશીલ દેશો નઇ તાલીમના કન્સેપ્ટને અનુસરવા દફતર તૈયાર કરી રહ્યા છે એના ગુરુ ગાંધીજી હતા.

આપણને પેલા એટલી- એટલી બધીવાર આંખ સામે ધરવામાં આવે છે કે ગાંધીજીની પ્રતિભાને આપણે એમની આંખે જોવા લાગીએ છીએ. *ગાંધીજી વિશે આઇન્સ્ટાઇને કહ્યું હતું એ તો બહુ જાણીતું છે. ફ્રેન્ચ નવલકથાકાર રોમા રોલાંએ ઇંગ્લેન્ડની યુવતી મેડલિન સ્લેડને કહ્યુઃ “ગાંધીજી તો બીજા જિસસ ક્રાઇસ્ટ છે.”  અને મેડેલિન ભારત આવીને, મીરાં બનીને રહ્યાં.*  ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો ગાંધીજીને ખાસ મળવા જાય. એ ગાંધીજી ગોળમેજી પરિષદમાં જાય ત્યારે લેન્કેશાયરની મીલના મજુરોને મળે અને કહે કે “હું તમારું બૂરું નથી ઇચ્છતો પણ હિન્દુસ્તાનનો ભુખમરો ય નથી ઇચ્છતો.”  પોતડી પહેરીને જ બધાને મળે. સંદેશ સ્પષ્ટ કે હું તો ગરીબ દેશના લોકોનો પ્રતિનિધી છું. *અને કોઇ બાળક પૂછે કે તમને મારી મા કપડાં સીવી દે? તો કહે ચાલીસ કરોડ લોકોના સીવી શકશે?* 

-ગાંધીજીએ જ માત્ર દેશને આઝાદ કરાવ્યો એવું નથી.

આજે આપણને ગાંધી માંથી આપણા મનમાં રહેલી કાયરતાની, આપણા મનમાં રહેલી અનેક વૃત્તિની ગંધ આવવા લાગી છે, ગાંધીજીનો વિચાર ક્યાં સુધી  એવું આપણે પૂછીએ છીએ. પણ વિશ્વના અનેક દેશમાં ગાંધીજી ખીલી ચૂક્યા છે. ગાંધીજી મહેકી રહ્યા છે. *અમેરિકન પત્રકાર લુઇ ફિશરે લખ્યું હતુઃ  હું લેનિન, ચર્ચિલ, રુઝવેલ્ટ, સ્તાલિન, એટલી, આઇન્સ્ટાઇનને મળ્યો છું. પણ ગાંધી કરતાં વધારે ચમત્કારિક માણસને હું મારી જિંદગીમાં મળ્યો નથી, અમેરિકન સાપ્તાહિક ટાઇમે  મેન ઓફ ધ મિલેનિયમ -એક હજાર વર્ષના મહાપુરુષોની સૂચિમાં એક ડઝન નામ મુક્યાં હતાં એમાં જ્યોર્જ વોશિંગ્ટન પછી તરત ગાંધીજીનું નામ હતું અને પછી નામ હતાં કોલંબસ, ચર્ચિલ, હિટલર, સિગમંડ ફ્રોઇડ.*

*ઇંગલેન્ડના સામ્રાજ્ઞી એલિઝાબેથના લગ્ન પ્રસંગે ગાંધીજીએ હાથે વણેલી ખાદીનું ટેબલ કવર ભેટ મોકલ્યું હતું- રાજ પરિવારે વર્ષો સુધી એ સાચવ્યું. મુંબઇના ભૂતપૂર્વ ગવર્નર બેરન લોઇડ ઓફ ડોલોબ્રાએ દાંડીકૂચ વિશે કહ્યું હતુઃ ગાંધીએ અમને ખરેખર ધ્રુજાવી નાંખ્યા. દુનિયાના ઇતિહાસમાં આ સૌથી વિરાટ પ્રયોગ હતો.*
 – ગાંધીજીને લીધે જ દેશને આઝાદી મળી એવું કોણ કહે છે?

*બીજા વિશ્વ યુધ્ધ પછી અમેરિકાના મોટરકાર ઉદ્યોગના માંધાતા હેનરી ફોર્ડને ગાંધીજીએ ભેટ રુપે રેંટિયો મોકલ્યો હતો.  હોંગકોંગના એશિયાલિક સાપ્તાહિકે ગાંધીજીની હત્યા પછીના પચાસમાં વર્ષે લખ્યુઃ મહાત્મા ગાંધીને હવે શાંતિ માટેનું મરણોત્તર નોબેલ પારિતોષિક આપીને નોબેલ કમિટિએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી લેવું જોઇએ* 

*જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં એક રોડનું નામ મહાત્મા ગાંધી રોડ છે. બર્લિનની એક શાળાને ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. જ્યોર્જિયાના આટલાન્ટામાં માર્ટિન લ્યુથર કિંગ સેન્ટરમાં ગાંધીજીની છ ફૂટની કાંસ્ય પ્રતિમા ઊભી કરાઇ છે. નેલસન મંડેલાની આત્મકથા છે લોંગ વોક ટુ ધ ફ્રીડમ એમાં એમણે લખ્યું છેઃ અંધારાના એ દિવસોમાં ગાંધી પ્રેરક પ્રકાશ હતા. મેક્સિકોના ખેત મજુરોના નેતા સિઝારેએ ગાંધીજીની પરંપરાને અનુસરીને આંદોલન ચલાવ્યું હતું. ઇઝરાયલના સ્થાપક ડેવિડ બેન ગુરિયોના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો હોવાની વાત ચંદ્રકાંત બક્ષીએ 3 ઓગસ્ટ 1998ના ચિત્રલેખામાં લખી હતી.*

આ બધા દેશોની આઝાદીમાં ગાંધીજીનું શું યોગદાન હતું? કંઇ નહીં. છતાં વિશ્વ એમને વંદન કરે છે.  *જનરલ સ્મટ્સનું નામ સાંભળ્યું છે?  દક્ષિણ આફ્રિકામાં જેલમાં એમણે ગાંધીજીને હેરાન કર્યા હતા. પછી પ્રમુખ પણ બન્યા.   ગાંધીજીએ એમને હાથે બનાવેલા ચપ્પલ મોકલ્યા. સ્મટસે લખ્યું છે, એ ચપ્પલ મેં સાચવી રાખ્યા છે.ગાંધીના પેંગડામાં પગ નાખવાનું મારું ગજું નથી.*

*સુરાહવરદી- કટ્ટર મુસ્લિમ. કોલકતામાં હજારો હિંદુઓની કતલ કરાવવાનો એમના પર સંગીન આરોપ હતો. એ પછી તો પાકિસ્તાન ગયા. ત્યાં ગાંધીજીના રસ્તે આંદોલન કર્યું. એટલે એમની હત્યા થઈ.*

 ગાંધીજી રાજ્ય,રાષ્ટ્રના સીમાડા વટાવી ચૂકેલા વિશ્વ માનવ હતા. આપણને અમુક ક્વોટેશનનું ઝેર પીવડાવવામાં આવે છે. ગાંધીજી વિશે અમૃત કહી શકાય એવા અવતરણો,કવિતાઓ,દુહાઓ પણ છે. ગાંધીજી એટલે ફક્ત કોંગ્રેસ નહીં, ગાંધીજી એટલે ફક્ત આઝાદીની લડત અને નહેરુની પસંદગી નહીં. ગાંધીજી અને સરદાર, ગાંધીજી અને કસ્તુરબા એ પણ વિષયો છે. ગાંધીજી અને પર્યાવરણ પણ વિષય છે. *અને આનંદ છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તો આ પર્યાવરણ સહિતના અનેક મુદ્દે ગાંધીજીનું વારંવાર સ્મરણ કરે છે. એ લાલ કિલ્લા પરથી પણ ગાંધીજીને યાદ કરે છે અને ડિસ્કવરીના શો માં પણ એમને યાદ કરે છે.*  
દેશને ફક્ત ગાંધીજીને લીધે જ આઝાદી નહોતી મળી. એવું કહેવા વાળા મિત્રોને ખમ્મા-ઘણી ખમ્મા. પણ આટલા ચિંતકો, દેશનેતાઓ, પરદેશનેતાઓ એમને અનુસરે-વખાણે એ કંઇ ફક્ત દેશની આઝાદી માટે થોડું હોય? જે અન્ય કોઇ નેતા વિચારી પણ ન શકે એ ગાંધીજી જીવ્યા. એટલે હજી જીવે છે.

આપણે લાગી પડ્યા છીએ ગાંધીજીને કંઇ પણ કહેવા. ચલો, *ગાંધીજીને આઝાદીની ચળવળના ઇતિહાસમાંથી અલવિદા કહી દો. પણ માનવતાના ઇતિહાસમાંથી એમનું નામ નહીં નીકળી શકે*  ગાંધીજી માનવતાના શરીરમાં ફક્ત રક્ત નથી ડીએનએ છે. જે લોકોને ગાંધીજી નથી ગમતા એમને મારી વિનંતિ છે. એમના વિશે જાણીને વિરોધ કરાય, કરારી ટીકા કરાય. ગાંધીજીની ટીકા કરનારા લોકો થોમસ આલ્વા એડીસનના ૯૯૯ પ્રયોગની ટીકા કરે છે. ગાંધીજી સ્વાવલંબી હતા - ટીકામાં પણ. 

*ગાંધીજીને ધક્કો મારવાના બહુ પ્રયાસ થાય છે.ગાંધીજીને ધક્કો મારવાથી શું થાય? એક રેલ અધિકારીએ પીટર મારિત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર ગાંધીજીને ધક્કો માર્યો હતો. તો એક ક્રાંતિ સર્જાઇ. ધક્કો મારવાથી બેસી પડે એ ગાંધીજી નહીં. એને ધક્કો લાગ્યો તો એમણે સરકારોને ધકેલી દીધી.* એટલે પ્લીઝ ગાંધીજીને ધક્કો મારવાનું રહેવા દો. એ બેઠા છે ત્યાં બેસવા દો, કાંતતા હોય તો કાંતવા દો. ધક્કો મારશો તો વળી ક્રાંતિ થશે.

 
----------------------------
ટીમ
✍🏼
*Limited 10પોસ્ટ* વતી
મહેન્દ્ર મેરવાણા

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[34 ગ્રુપ, 8000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post 
.

રવિવાર, 26 જાન્યુઆરી, 2025

Family

*The family system will no longer stand. Studies say that it will soon collapse...*

*The reasons for that are:*

1. *Excessive intelligence, pride, and arrogance of having money.*

2. *Impatience that cannot tolerate even small mistakes. Lack of patience.*

3. *Children and adults are unable to sit down and talk to each other wholeheartedly.*

4. *Most of the time is spent on TV, phones, and other net programs. (You can tell what the hero and heroine of a movie somewhere ate and what they are doing, but you don't know what mom and dad ate and what they are doing at home)*

5. *Being bored with small things and staying away from even your own family.*

6. *The whole family is disturbed due to someone's rudeness and anger.*

7. *Not taking the advice of the elders in financial matters*

8. *Since husband and wife and parents often quarrel, children are afraid of marriage. They have come to a point where they don't want to get married...*

9. *Man is not interested in another man... Fighting for dominance. They like loneliness.*

10. *There are no mediators. They say they want everyone. Even if they say good things, they don't like it.*

11. *Managing a family is a great art. Another reason is that they do not know.*

12. *Human relations and sensitivity have been forgotten, and rude behavior has come. Husband and wife have forgotten to run the family together. The trend of "me", "me alone", "I must do what I say" has become prevalent.*

13. *Whatever happens on social media is true, they are acting as if what happens at home is a drama.*

14. *When someone dies, they post an attractive message and shake hands... They do not go to the houses to greet them. There is no situation where four people come to carry them.*

15. *People are becoming detached, as if they are all their own... They just watch and walk away even when there is a fight going on nearby, and do not try to stop it.*

*If this situation continues, it is not an exaggeration to say that not only the family system, but also the actual human relationships will be severed very soon..!*

✍🏻 Survey Janah Sukhinobhavantu..

બુધવાર, 8 જાન્યુઆરી, 2025

HLR

🇮🇳 Healthcon Lifestyle Regimen (HLR) 🇮🇳

Simple , scientific  & effortless lifestyle to prevent lifestyle diseases (Obesity, Diabetes, Hypertension, Coronary disease)

Salient points  of HLR

1. Three meals a day.
2. No sugar, milk, rice, maida, processed food & company goods
3. Eat more protein (up to100 gm per day). Eat more fibers. Moderate amount of carbohydrate and fat.
4. Limited cooking oil (<20 ml per day). Limited salt (5gm/day)
5. One hour simple exercises at heart rate 100-140 zone.
6. Once a week Dinner to Dinner ( D2D) fasting.
7. Vitamins suppliments
8. Sleep 7  hours a day
9. ATAA mind exercise ( Attention tracking Awareness Augmentation)
10. Social get together for Health purpose e.g. trekking or running etc. (Not cocktail party)



---
Exclusions : HLR is not recommended to following people

1. Pregnancy and lactation
2. Children below 18 years
3. Atheletes & body building
4. Diabetes patients on OHA drugs.
5. Thin persons BMI below 18.

Dr Ram




No fancy diet.
No fancy recipes
No fancy exercises
No suppliments except vitamins.
Fire dietecian. Hire fresh vegetables/fruit supplier

And
FREE

#hlr


---After reading HLR, one might wonder, What's the big deal in it? 
"Everyone knows it", 
And, that's the exact reason for inaction. Common sense is not common.
Everyone knows that healthy food is good. Everyone knows that exercise is a must. Then why do people embrace an unhealthy lifestyle and keep taking Statins lifelong to reduce LDL instead of eating less sugar?
Why do people keep on increasing dose of oral hypoglycemic agents Instead of reducing dose of processed foods?
Just having knowledge is not enough; one needs to put knowledge into action. And any action needs a force. That's exactly what Healthcon does. 
At least a million people know how to make burgers better than McDonald's, then why don't they make them?
because they don't have a system.
Healthcon is a system to get results from knowledge that already exists.

Dr Ram , Healthcon Founder

મંગળવાર, 20 ઑગસ્ટ, 2024

Please give us death suddenly

પ્રિય પ્રભુ ને નમ્ર અરજી 🙏

એવી ખુમારીથી જીવ્યા છીએ કે .......
કોઈના પર ડીપેન્ડન્ટ રહેવાનું નહીં જ ફાવે.

પોતાના શ્વાસ છોડી ને ઉધાર ના શ્વાસ નહિ ફાવે......
અને.......એટલે જ.... કદાચ......
વેન્ટીલેટર ઉપર રહેવું પણ નહીં  ફાવે........

શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય......
અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની........ કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ
  ત્યારે નહિ મારતો......!!!!!!!
                             પણ..........
મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય.........
    અને .........
કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે ....
એ દીવો ઠરે, એવી રીતે અમને ઠારજે હોં...કે

હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને......
   ત્યારે જ મારજે.....

પાનખર આવવાની રાહ જોઈને,......
ડાળી ઉપર લટકી રહેલા શ્વાસ..........
  અમારાથી નહિ જોવાય ......

જેમની સાથે આખી જિંદગી વિતાવી છે.......
એ બધા લોકોને કેવી રીતે કહી શકશું ગૂડબાય ??

તું મૃત્યુને તૈયાર થતી પત્નીઓની જેમ મોકલતો નહિ...... કે........એ.......   ‘આવું છું..આવું છું’ કહીને !!!!           ક્યાંય...... સુધી રાહ જોવડાવે.....
 
તું મૃત્યુને ઘરમાં રહેલા કોઈ વડીલના આશીર્વાદની ...... જેમ ........મોકલજે   

કે.........
ખબર પણ ન પડે અને વરસી જાય.

તેં જીવતર નામની ઘાત આપી છે....... તો એ ઘાતમાંથી પણ તું જ ઉગારજે.........

હે ઈશ્વર🙏🙏🙏

અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને.......
ત્યારે જ અમને મારજે.

તારે દુવાઓ નથી જોઈતી ??????

જીવ બચ્યા કરતા જીવ ગયાની,!!!!!!

તને વધારે દુવાઓ લાગશે.

કોઈપણ જાતની નોટીસ વગર, 
આમ અચાનક તારા ઘરે આવીએ !!!!!
તો સાચું કહી દે ઈશ્વર
    શું તને એમ ફાવશે ???

સુખની યાદીમાં નામ ન રાખે તો કાંઈ નહિ.....
યમરાજની યાદી વખતે તો અમને સંભારજે ....
              
હે ઈશ્વર 🙏🙏🙏
અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને....
   ત્યારે જ અમને મારજે........ 

~ ડૉ. નિમિત્ત ઓઝા

શનિવાર, 6 જુલાઈ, 2024

डाक्टर्स डे पर मेडिकल गीता का ज्ञान--

डाक्टर्स डे पर मेडिकल गीता का ज्ञान--

1- जो मरीज आज तुम्हें दिखा रहा है, वो कल किसी और को दिखा रहा था और परसो किसी और को दिखाएगा। तुम उसे अपना समझ कर मग्न हो रहे हो, यही प्रसन्नता तुम्हारे दुखों का कारण है।

2- कोई भी मरीज ना तुम्हारे देखने से बचता है और ना ही तुम्हारे न देखने से मर जायेगा। जब तुम दो महीने की छुट्टी पर जाते हो या या बीमारी की वजह से कई महीने मरीज नहीं देख पाते, तब भी तुम्हारा मरीज दूसरों को दिखा लेता है।

3- जितना तुम्हें मरीज की जरूरत है, उससे ज्यादा मरीज को तुम्हारी जरूरत है। इसलिए मरीज कम होने पर अवसाद की स्थिति से बाहर आओ। 

4- अगर तुम्हें किसी बीमारी के कारण या उम्र की वजह से, इंफेक्शन होने की संभावना ज्यादा है, तो ये तुम्हारी समस्या है, मरीज की नहीं। ऐसे में जान बूझकर ज्यादा मरीज देखकर आत्मघाती कदम न उठाओ। अगर तुम्हें कुछ हुआ तो उसका मूल्य तुम्हें या तुम्हारे परिवार को ही चुकाना होगा! बाकी लोग तो फेसबुक पर श्रद्धाजलि देकर दो दिन में भूल जाएंगे और जल्दी ही तुम्हारे अस्पताल की बिक्री का विज्ञापन आ जाएगा।

5- कोई भी मरीज मेरी मर्जी से ही अस्पताल में भर्ती होता है, मेरी मर्जी से ही डिस्चार्ज होता है। तुम अपने इलाज पर क्यों गर्व करते हो। अगर तुम इतने ही शक्तिशाली होते तो तुम्हारे सारे ही मरीज ठीक हो जाते। मगर सत्य ये है कि एक से मरीजों को एक सा इलाज करने के बावजूद कुछ ठीक होते हैं और कुछ नहीं। ये सारा खेल नियति का रचाया हुआ है, तुम तो बस निमित्त मात्र हो।

6- कोई मरीज़ कहता भी तब भी अपने आप को भगवान न समझो। इन्सान बन कर कार्य करो तो दुखद अनुभव कम होंगे

7- मुंह पर मरीज़ चाहें जितनी तुम्हारी बड़ाई करें लेकिन वह आपको लुटेरा और खून चूसक से 
ज़्यादा कुछ अहमियत नहीं देगा 

7- मरीज़ द्वारा दूसरे डाक्टर की बुराई सुन सुन कर जो तुम्हारे मन में जो लड्डू फूट रहे हैं वह मिथ्या हैं।
यही मरीज दूसरी जगह तुम्हारी बखिया उधेड़ेगा !
🙏👍😃🙏👍😃

બુધવાર, 3 જુલાઈ, 2024

Life after retirement

*રિટાયર્ડ થયા પછી.?*
 *બે ટંક શાંતિથી ભોજન લઇ*
*શકાય એટલા પૈસા ભગવાને આપ્યા હોય તો...*
*માણસે રીટાયર્ડ થયા પછી ૬૦-૬૫ વર્ષે પણ શું કામ પૈસા પાછળ દોટ મુકવી જોઈએ ???*

*"સોલ ગાર્ડન અને હેરોલ્ડ બ્રેચરે" એક પુસ્તક લખ્યું જેનું શીર્ષક છે ...*

*"Life Is Uncertain…;*
*Eat Your Dessert First"!!!*

*જિંદગી અનિશ્ચિત છે, પહેલાં*
*મિષ્ટાન્ન આરોગવાનું રાખો..*

*મિષ્ટાન્ન એટલે મનગમતી પ્રવૃત્તિઓ, સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે ગમતું કામ..!!!*

*જિંદગી અનિશ્ચિત છે.*
*એ કટુ સત્ય નિવૃત્ત થયેલા મિત્રો માટે વધારે સાચું છે...*

 *પૈસા ભેગા કરવા દોડતા રહેવું,*
*પદ અને પ્રતિષ્ઠાનો મોહ* 
*રાખવો ..એ બધું યૌવનની પાંખો વીંઝાતી હોય ત્યાં સુધી યોગ્ય છે ;*
*પરંતુ  "સાંઠ અને સિત્તેર" ની* 
*વય પછી તો આપણી* 
*નજર માત્ર*
*પસંદગીની અગ્રિમતાઓ*
*પર  જ તો  સ્થિર થવી જોઇએ ...*

*ગયા અઠવાડિયે વરિષ્ઠ નાગરિકોની સભામાં સંબોધન કર્યા પછી મેં* 
*એક પ્રશ્ન ઉછાળ્યો :*
*"તમારામાંથી કેટલા મિત્રો*
*પૂર્ણકાલીન* 
*નોકરી કે ધંધામાં વ્યસ્ત છે?"*

*લગભગ ત્રણસો મિત્રો ત્યાં* 
*ઉપસ્થિત હતા. સત્તાવીસ*
*આંગળીઓ ઊંચી થઇ.* 
*મેં બીજો પ્રશ્ન રજૂ કર્યો.*
*આ સત્તાવીસમાંથી કેટલા મિત્રો*
*એવા છે કે જેમણે આજીવિકા*
*માટે કામ કરવું જ પડે એવું છે?*

*આખી સભામાં માત્ર ચાર સભ્યો* 
*એવા હતા કે જેમણે આવક* 
*અને ખર્ચના બે છેડા* 
*ભેગા કરવા..* 
*લાચારીથી કામ કરવું પડતું હતું!!*
 
*બાકી રહેલા ત્રેવીસનું શું?* 

*તેઓ જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા*
*હોય એ પ્રવૃત્તિ એમને*
*મનગમતી હોય તો પણ એ* 
*ફરજ પૈસા અને પગાર*
*સાથે જોડાયેલી હોવાથી પેલા*
*ત્રેવીસ જણને એમાંથી* 
*નિર્ભેળ આનંદ પ્રાપ્ત થાય* 
*એવી સંભાવના ખૂબ ઓછી છે.*
 
*નિવૃત્તિ પછી આપણી અગ્રિમતા કઈ હોઈ શકે...???*

 *વહેલી સવારે ફરીથી* 
*દોડીને ટ્રેન પકડી, બોસની*
*સેવામાં હાજર થઇ* 
*જવાની?*

*જે  "ત્રીસમા કે ચાળીસમા"  વર્ષે કર્યું*
*એ જ જો  "પાંસઠ/સિત્તેર" મા વર્ષે પણ કરવાનું હોય તો ..;*
*ધિક્કાર છે એવી જિંદગીને !!!* 

*ડેવીડ પોસન*
*"Your Self A Break" - માં*
*નોંધે છે, માણસે વૃદ્ધાવસ્થામાં* 
*સ્ટ્રેસ જન્માવે એવી પ્રવૃત્તિઓથી*
*દૂર રહેવું જોઇએ. નિવૃત્તિ*
*પછી ..નિવૃત્ત થવાને બદલે પૈસા,* *પ્રતિષ્ઠા અને સત્તા મેળવવાના* 
*મોહમાં ઘણી બધી જવાબદારીઓ આપણે માથે મારનારો*
*હોદ્દો સ્વીકારીએ તો ,*
*હાર્ટએટેકથી કે*
*ઊંચાં બ્લડપ્રેશરથી અચાનક*
*લાંબી યાત્રાએ નીકળી*
*પડવાની તૈયારી રાખવી પડે..*

*નિવૃત્તિ પછી માણસે શું કરવું અને શું છોડવું તે નક્કી કરવા માટે પોતાની ઉંમરનો આદર જાળવીને નિર્ણયો લેવા પડે...*

 *ગયા અઠવાડિયે હાથ* 
*ધરાયેલા સર્વેક્ષણમાં*
*નેવું ટકા ...90% વરિષ્ઠ*
*નાગરિકોએ*
*પોતાની અગ્રિમતાઓ* 
*નીચેના ક્રમમાં દર્શાવી*

- *સ્વાસ્થ્યની જાળવણી*. - 

*પરિવારજનો સાથે સમય પસાર કરવો.*  

 *પૈસા પાછળ ક્યાં* 
*સુધી દોડશો???*

=====================

*ખૂબ ઓછા-દસ ટકા-વરિષ્ઠ નાગરિકો રૂપિયા કમાવા* 
*નોકરી-ધંધે જવાનું કે* 
*સત્તા મેળવવા ઊંચું પદ*
*મેળવવાનું પસંદ કરે છે.*
*આખી જિંદગી, નિવૃત્ત થયા*
*ત્યાં સુધી જે કામ કર્યું એ*
*કામ નિવૃત્તિ પછી નહીં સ્વીકારવું*
*એ શેષ જીવન શ્રેષ્ઠ રીતે* 
*પસાર કરવાનો એક માત્ર વિકલ્પ છે.*

*છોડવા જેવાં આ કામો કયા છે?* *કાવાદાવા ખેલવા,*
*વિરોધીઓને માત કરવા,*
*પ્રપંચ રચવો,*
*ઇર્ષા-અદેખાઇમાં રાચવું,*
*પોતાની લીટી લંબાવી શકવાની* *આવડત ન હોવાથી બીજાની લીટીને*
*ભૂંસતા રહેવું,*
*સૌની સાથે લડાઈ-ઝઘડો કરતા રહેવું .*
*એ બધાં કામો માણસે નિવૃત્ત થતાંની*
*સાથે જ છોડી દેવાં જોઇએ.*

*સાચું જીવન* 
*નિવૃત્તિ પછી શરુ થાય છે*

*જો જીવતાં આવડે*
*અને માણતાં આવડે તો…!!*
 Old man has 8 hair on his head.

He went to Barber shop.
    
Barber in anger asked:

shall i cut or count ?

Old man smiled and said:

"Colour it!" 

LIFE is to enjoy with whatever you have with you, keep smiling

If you feel STRESSED,

Give yourself A Break.

Enjoy Some..

Icecream
Choclates
Candy
Cake

Why?
B'Coz

STRESSED backwards spelling
is DESSERTS ...enjoy


Alphabetic advice for you:

*A B C*
Avoid Boring Company..

*D E F*
Don't Entertain Fools..

*G H I*
Go for High Ideas .

*J K L M*
Just Keep a friend like ME..

*N O P*
Never Overlook the Poor 

*Q R S*
Quit Reacting to Silly tales.. 

*T U V*
Tune Urself for ur Victory..

*W X Y Z*
We Xpect You to Zoom ahead in life

Very ....beautiful lines pls store it.

ONE Good FRIEND is equal to ONE  Good Medicine. . .

Likewise ONE Good Group is equal to ONE Full medical store...
🙏🏻👍🏻✌🏻👌🏻
☺😊😉😄

So    Believe   in    YOURSELF

We all are tourists on Planet Earth and we are lucky to have lived and met! So “Enjoy the "Trip" called LIFE...

You will never come back again .. .Live Today Meaningfully

*When you wake up tomorrow, remember to make full/best use of it*

Send to all people who are important to you.. 
👍👍👍

સોમવાર, 26 ફેબ્રુઆરી, 2024

Life learnings from facebook

From my friend Tejaswini Murthy’s wall

Forwarded as received.

******************************************

It took a long time for me to realise..

If we don’t like something we need not choose sad emoji. 

If we don’t like someone we can still pick up their calls or be there when needed

If we don’t approve someone’s actions we can express our displeasure without being rude or hurtful

There is always no competition for things that are left because no one chooses them. They will be the most exquisite!

There is power in waiting…. Wait for the right opportunity, right person, right time, right feelings and wait for the right words.

Don’t feel hurt for the words of someone who is suffering. Pain makes people say and do things they will regret.

If they care they will be there.

Life is beautiful only when you can be happy when alone.

Gratitude cannot be taught but when learnt can create miracles.

End conversations when people talk about others to avoid being the topic of their next conversation.

If you have kids be careful of what you do. They will bear the effects of your karma.

Law of attraction works. If you truly want something it will end up in your lap.

Not all battles belong to you. Don’t be a warrior in every war you witness.

Guilty get angry. When angry on someone find out if you are guilty of something.

Jealousy brings bad luck. Everyone is fighting unseen struggles. Be kind and wish well.

Life is precious. Be kind to your loved ones. 

Words and thoughts have more power than you think. Never utter anything you don’t wanna manifest. 

Love is unconditional. Give it to receive it. 

Ego is the cause for all fights, letting go will bring peace. 

It’s impossible to teach someone to love enough to cross mountains to be with you. If someone does it respect them. If someone doesn’t respect their choice too.

Those who lie to escape from helping or from responsibility, will never be by your side when in distress. If someone says the truth on your face embrace them with full grace. 

Never respond regret reply or curse when angry.

Never talk about others in front of your children. Never create opinions in their virgin brains about people. You will never know who they will end up needing at different walks of their lives. 

Watch what you utter in front of kids because you are creating an image of yourself in their brains. If you speak bad of others they will think you are bad! 

Expectations result in disappointment. Be open and see how grateful you become.

Don’t show love for things instead show ur for people, plants, experiences.

God never punishes. There should be no god fear. 

Talk to your friends. They will understand you better. 

Social status is not measured with money, possessions or job. It’s measured with smiles, laughter, food and love. 

Imagine the person you are speaking about to be sitting next to you when you speak. Automatically you will know what to say and what not to. 

Sleep is underrated.

Books can help declutter mind. 

Only buy what you will use. Your kids shouldn’t be sorting 
#lifelessonslearned

સોમવાર, 8 જાન્યુઆરી, 2024

Bio clock after 60

*આ msg બધાએ ખાસ વાચવો અને સમજવો. જેને પણ msg લખિયો છે ખુબજ સરસ વાત કરી છે. અને thanks તું મારા કલ્યાણ મિત્ર ને જેને આ msg મને મોકલાવો.*
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
🙋🏼‍♂️
*બાયો-ક્લૉક*
*એટલે તમારું માઈન્ડ-સેટ*

મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ એ છીએ.

તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ.

આને *Bio-Clock (માઈન્ડ સેટ)* કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીર ને તે પ્રમાણે હુકુમ કરે છે.

આપણે આપણા મનથી આવા ઘણા એલાર્મ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે Set કરી લીધા હશે.

આપણામાંના ઘણા એવું માનતા હોય છે. આપણે ૬૦ વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો ખોટકાવા જ માંડે.

આવી ખોટી માન્યતા ઓ પણ આપણું *Bio clock* આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ, વૃદ્ધત્વ તરફ ધકેલાઈ જઇએ છીએ.

ઘણા લોકો આ ઉંમરે પણ આરામથી મસ્ત જીવતા હોય છે, કારણકે તેમનું *Bio-Clock* તે પ્રમાણે સેટ થયેલું હોય છે.

આપણે પણ આપણું *Bio-clock* એવી રીતે જ set કરીએ કે તંદુરસ્ત જીવન જીવીએ.

આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે.

જયારે કેટલાય મિત્રો ૬૦ ની ઉંમરમાં પણ ખખડી ગયેલા હોય છે.

યાદ રાખો
*Age is only number and Old age is your mind set.*

લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી Tip.

૧.
આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવવું છે. રોજ સવારે *હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધુજ કરી શકું છું, મને કોઇ બીમારી નથી.* આ દસ વખત બારી ની બહાર જોઈને જોર થી બોલો.

આપણા મનમાંથી બધા નકારાત્મક વિચારોને તિલાંજલી આપી દેવાની છે.

ઘણા વિચારે કે,
આ લાંબુ જીવન કોને માટે જીવીએ.?

આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ.?

આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે,
*આપણું નિર્માણ લોકોની સેવા કરવા માટે અને બધાને ઉપયોગી થવા માટેજ થયું છે.*

*આપણે હજી ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને કુદરત ની અમાપ શક્તિનો ધોધ જોઈશે.*

બસ આવી રીતે પોઝિટિવ વિચારવાથી આપણું Bio-clock આપો આપ એવી રીતે set થતું જશે.

એટલે સૌથી પહેલું
Important કામ.

*Throw out negative thoughts from your mind and try to implant positive thoughts*

૨.
*Look Young...*
તમારો દેખાવ અને પહેરવેશ એવો રાખો કે તમે સદા યુવાન લાગો. મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. યોગ્ય સારા ફેશન વાળા કપડા પહેરો. જુના કપડાં ને ઘણા વર્ષો સુંધી ઘસેડ્યા ના કરો. પ્રસંગ પ્રમાણે ખુબ સારી રીતે તૈયાર થઇ ને જાઓ. જાણે તમારો આ ખાશ પ્રસંગ હોય.

૩.
હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. દરોજ્જ ચાલો અને બની શકે તો દોડો. લોકો ને મળવા નું રાખો. લોકો ને મદદ રૂપ થાઓ.

*Be Active*
*Idle mind is devil's workshop.*

૪.
*Keep confidence that your health is improving.*
તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. તેવો આત્મવિશ્વાસ રાખો. રોજ અરીશા માં પોતાને જોઈને ખુશી અનુભવો. ગર્વ કરો કે હું મસ્ત છું.

*Our Mindset Is The Reason For Everything.*

૫.
*Never allow the Bio-clock to set you are ending.*
હંમેશા સારુ જીવન જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર તો કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો. બીમારી તો આવે ને જાય. તંદુરસ્તી ના ઉપાયો છે. સમયસર દવા કરાવો. યોગ્ય ભોજન લો, ખુશી થી આરોગો, જીવવા માટે ખાઓ નહીં કે ખાવા માટે જીવો.

૬.
તમારી જાતને કદી નીચી ના સમજો. તમે ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તેનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. તમારા જીવનના નિયમો તમારા હોવા જોઈએ બીજા એ નક્કી કરેલા નહીં. બીજા શું વિચારશે એની ફિકર કરવાની છોડી દો.

*તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન પણ આપે છે.*

તમારા Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા પોઝિટિવ કમાન્ડ જ આપવાના. તો એની બધી અસર તમારા જીવનમાં ખુબ સરસ થશે.

*આ આખી જિંદગી ની રમત આ માઈન્ડ સેટ (Bio Clock) પર જ છે.*

*તમે જેવો કમાન્ડ્સ તમારા મનને આપશો એવુ તે બહાર લાવશે.*

*ખુશ રહો અને તંદુરસ્ત રહો..મસ્ત રહો, યોગ કરો, રોજ કરો...✍🏼*

*🕉️🙏🕉️🧎🏻🪷🧎🏻*

ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023

Thank you dear God.

(લહેર પડી ગઈ, યાર!) – ચંદ્રકાંત બક્ષી

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

 ચાય ની ચૂસકી લેતાં લેતાં  
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી  શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ 
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

– ચંદ્રકાંત બક્ષી

શુક્રવાર, 8 ડિસેમ્બર, 2023

Devi Shetty on life after 40

Dr. Devi Shetty writes: 

Lost 8/9 of my dearest acquaintances and some celebrities forever in last few years. They were in their forties and died because of the extra effort to be 'physically fit'.

In anything in life, the most important thing is moderation.
Neither the 'zero figure' nor the exaggeration of a hundred is correct.

A moderate amount of exercise is needed every day - about 20 minutes. 
Eat everything, no detoxification, no keto moto diet, eat everything your ancestors ate, all local and seasonal foods available in your town - but in small amounts. No need for exotic 🥝, kale🥬 or olive oil. 

7 hours of intensive sleep is required, the needs of the body must be met.
 
Eat everything you ate growing up, but in small amounts; 
Do twenty/thirty minutes of light exercise and a little walk regularly and stop taking supplements.

Add a few moments of silent meditation a day to your routine, this is best done through prayer.

Listen, understand and pay attention to your body 👅.

After 40 some physiological changes start, after 50 more, after 60 the body starts to relax, after 70 it starts to close, after 80 every year is a bonus. 

So 60 is the new 40 or age is just a number - stop saying that. These are not correct. 

After 40 or 50, be grateful if your health is intact, but slow down a bit to keep your heart rate up.

There are logical reasons for timing retirement. Your body and mind can no longer handle the pressure that you once could. You look great on the outside, thanks to your 'genes', but on the inside the organs are decaying.

Be happy and beautiful, not outwardly, but inwardly as well.

|| Footnote, 6 instructions:
▪20 minutes of light exercise
▪Walking regularly
▪Seven hours of deep sleep
▪Some time alone meditation
▪Eating all foods - in small amounts
▪Listening to the body and taking action accordingly.

No theory is universal, those who disagree, that's their right - I respect their opinion.

🙏Be happy internally and not externally.!!👏

શનિવાર, 25 નવેમ્બર, 2023

Parents

👌👌👌👌👌👌👌
સ્મિતાબેન પટેલ રાજકોટ 

ગમે તે જ્ઞાતિ હોય કે
ગમે તે ધર્મના લોકો હોય પણ
આ મેસેઝ ખાસ વાંચજો...
વિચારજો અને અનુસરવાનો
પ્રયત્ન કરજો...

મને ગમ્યો એટલે તમને મોકલ્યો છે
જો તમને ગમ્યો હોય તો
આગળ મોકલજો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*પરિવારનો દરેક યુવાન*
*ફરજિયાત આખું વાંચે* 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે...

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન
ભલે આપણે ગાઈયે પણ
વડીલોની સાચવણ અને
માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં
ઘણાં *'પાછળ* છીએ ...

આજે પણ તમો જોતાં હશો કે...

👉૮૦% બુઢ્ઢા માબાપ ને
જમવા અલગ બેસાડાય છે...

👉૨૦% માબાપને સગવડતા હોય તોય
ઘરવાળીના ડરથી  અલગ રખાય છે ...

👉 ૯૦% પુત્રો કામેથી આવીને
સાંજે બાળકોને ચુમી ઉઠે છે તો અમુક તો
ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ
લબાડવેડા કરી ભેટી પડે છે...

પણ ઘરમાં બા-બાપુજી ને
*'કેમ છો બા ?'* કહેતાં નથી !

👉 ૭૦% મા-બાપો
ઘરડાં થાય ને કંઈ પણ બોલે તો
*"તમને ખબર નો પડે ...!"*
એમ કહીને ચૂપ કરાય છે ...

👉૯૦% ઘરડાં માત-પિતાને
દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી ! 
ભીખની જેમ રુપિયા માંગવા પડે છે...

*જેવું કરશો તેવું જ ભરશો...*

એ મુજબ
મારા સર્વે પ્રમાણે જે લોકો
મા-બાપને એકલાં છોડી મુકે છે કે
માન સન્માન આપતાં નથી તેમનાં
પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ
વધુ બુરા હાલ થાય જ છે...

અમુક કુટુંબોમાં તો આવુ
પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે

મા-બાપો કુતરાંની જેમ
બિચારાં થઈ જીવતાં હોય...ને
આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે

સમજો ... વિચારો ... યુવાનો ...

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને જ્યારે
તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે
તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો
ચાલ્યાં જાય...

ઓટા-ચોરાના મિત્રો
એક પછી એક ચાલ્યાં જાય...

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ
સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય....

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે
શરીર સાથ ના દે...
સંભળાય નહીં... 
ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન
પળપળ બદલાતી હોય ત્યારે
બધાં સાથે સંકલન અશક્ય બની જાય
ત્યારે જીવવું એ જ બોજ બની જાય

માનવ જિંદગીનો સૌથી
ભયાનક અને બિહામણો તબક્કો
ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે...

આવા સમયે
પુત્ર - પુત્રવધૂઓએ પોતાનાં
બાળપણને યાદ કરવું જોઈએ...

જન્મથી જ આપણને
ખાતાં, ચાલતાં, બોલતાં ને
આ દુનિયાના આટાપાટા જેણે
ખંત અને મહેનતથી શીખવ્યા હોય...
તેને જ્યારે જરુર પડે ત્યારે
આટલા બધાં હલકટવેડા ?

વિચારો...

માત-પિતાને તરછોડીને
આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી... 
થવાનું નથી...(થવા પણ ના જોઈએ)

*કુતરાંના મોતે ના મરવું હોય અને*
*ઘડપણમાં સુખેથી જીવવું હોય તો*

*મા-બાપની*
*પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો*

*"કેમ છો બા ? કેમ છો બાપુજી ?"*

આટલાં શબ્દો જ તેમને
ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.

જ્યાં લખવું હોઈ ત્યાં લખી લો...

*માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે*
            *તેને ભરપુર પ્રેમ કરો ...*

કચરા જેવા મેસેજ
બધાને બહુ મોકલ્યા

આ સાચું લાગ્યું હોઈ ને
હિમ્મત હોઈ તો
આ ફોરવર્ડ કરો...
સાર્થક કરી બતાવો જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે...

*કડવું છે ને સત્ય પણ એટલું જ છે !*
🙏  🙏

રવિવાર, 19 નવેમ્બર, 2023

Medical friends

Medical Friendship is unique like No other…
You will love reading it and relate with each words...

MEDICAL FRIENDSHIP: 👇🏼

Mommy, Is Rishi Uncle your rakhi brother?? My elder one asks me ! 

No sweetie...!

OK Is he your platonic friend  then ??

No sweetheart, he's momma's Medical Friend!!!

So what's a Medical Friend momma ?? 

You might not know this but your papa and Jaya aunty will totally relate to it, since they both are medicos!!!
Let me try to elaborate....

Medical Friendship is for life long. Every where !! 

Since medical College life of 5 years is one of the toughest to navigate, friendships formed during these formative years remain for life.

Dissection Hall friendships are unique and unbreakable. 
Later amongst enormous load of studies, ward duties, living with each other for 5 years in ups and downs forms a bond which no other profession can boast off....!

You learn to go through good and bad phases of your medical life with the support of these friends. They know you through your lowest point!! 

Also the special thing about medical friendship is it, being unisex, means both boys and girls are your equal friends…!!
Medical studies and life does not differentiate between sexes. A male and a female can be a great medical friend !!

And this medical friendship can be tested in later part of life.

Once a batchmate, always a batchmate aka medical friend.

And when you meet them after 25yrs, 50 years, 60 years or so in your silver jubilee, golden Jubilee , Diamond Jubilee etc… you meet them at the same level as you were in college. 

No matter he is a Group Captain in Air Force today, or a big shot Cardiologist or a Nephrologist etc etc. You still use expletives for them and open your hearts and hug them without comparing. You get rejuvinated after meeting them and it is most cathartic for you. But you need to be a medico to realise the depth of this unique relationship!!

ગુરુવાર, 16 નવેમ્બર, 2023

Lesson after retirement

નિવૃત્તિ-બોધ

આ નિવૃત્તિ પછીની  મારી પહેલી દિવાળી હતી. વરિષ્ઠ હોદ્દા પર ગાળેલા ત્રણ દાયકા વિષે વિચારવાનું શરુ કર્યું - લગભગ દિવાળીના એક અઠવાડિયા પહેલાથી જ લોકો તમામ પ્રકારની ભેટો લઈને આવવા માંડતા, અને જો બધી ભેટ એક જગ્યાએ મુકીયે તો રૂમ ગિફ્ટ શોપ જેવો લાગતો. ડ્રાયફ્રુટનો જથ્થોતો એટલો મોટો હોતો કે  સગા-સંબંધીઓ અને મિત્રોમાં વહેંચ્યા પછી પણ ઘણું વધતું. 

આ વખતે, પરિસ્થિતિ તદ્દન અલગ હતી. બપોરના 2 વાગ્યા હતા, પણ અમને દિવાળીની શુભેચ્છા આપવા કોઈ આવ્યું ન હતું. નસીબના આ અચાનક પલટાથી હું એક્દુમ હતાશા  અનુભવતો હતો અને મારી વિચારોને વાળવા માટે  મેં એક અખબારની આધ્યાત્મિક કોલમ વાંચવાનું શરૂ કર્યું. સદનસીબે, મને એક રસપ્રદ દંતકથા મળી. તે એક ગધેડા વિશે હતી કે જે મહાપુજા માટે તેની પીઠ પર દેવતાઓની મૂર્તિઓ લઈ જતો હતો. જે જે રસ્તામાં એ પસાર થતો, ત્યાં ત્યાં લોકો મૂર્તિઓ ને નમન કરતા અને એને સત્કારપૂર્વક જોવા ઘણી ભીડ ભેગી થતી.

ગધેડો વિચારવા લાગ્યો કે ગામલોકો તેને નમન કરે છે અને આ નવા મળેલા આદરથી એ ખુબ રોમાંચિત થઇ ગયો. પૂજા સ્થળ પર મૂર્તિઓ ઉતાર્યા પછી, ગધેડાના માલિકે તેના પર શાકભાજી લાદી અને તેઓ પાછા ફરવા લાગ્યા. આ વખતે ગધેડા તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. ગધેડો ખુબ નિરાશ થઇ ગયો અને એણે ગ્રામજનોનું ધ્યાન દોરવા માટે ભોંકવાનું શરૂ કર્યું. એના આ અવાજથી ચિડાઈને ઘણા લોકોએ તો  ગરીબ પ્રાણીને મારવાનું શરૂ કર્યું, જે આટલી ક્રૂર સારવારથી એક્દુમ હેબતાઈ ગયો.  

એકાએક મને જ્ઞાન થયું. ખરેખર, હું પણ આ ગધેડા જેવો જ હતો. આ બધી ભેટો અને આદર મારા માટે નહોતા પરંતુ મારા હોદ્દા માટે હતા. મેં મારી પત્નીને કહ્યું: 'મારા પ્રિય, હું ખરેખર ગધેડો હતો. હવે જ્યારે સત્ય સમજાઈ જ ગયું છે, લોકો ની રાહ જોવાને બદલે, ચાલ આપણે દિવાળીની ઉજવણી કરીયે.'

ત્યાં તો છેલ્લો ફટકો એના તીક્ષ્ણ જવાબ પેટે આવ્યો: 'હું *આટલા વર્ષોથી કહેતી કે તમે ગધેડા જેવા છો, ત્યારે નહોતા માનતા* પણ આજે અખબારની એક વાર્તા વાંચતાજ તમે તે તરત જ સ્વીકારી લીધું!

ભરતેન્દુ સૂદ
ઘ ટ્રિબ્યુન

મંગળવાર, 31 ઑક્ટોબર, 2023

My life now

*હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો*
૦૧ )
કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે..
૦૨ )
તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.
૦૩ ) 
સામેવાળીવ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.
૦૪ )
ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. 
૦૫ )
નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૦૬ )
 ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૦૭ )
રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.
૦૮ )
વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૦૯ )
ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૧૦ )
સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૧ )
બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૨ )
 હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૩ )
 જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. 
૧૪ )
હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫ )
ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬ )
પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.
 ૧૭ )
ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું
૧૮ )
નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.
✍🏻 આયખા ના વર્ષ નુ સરવૈયું ...

🤔😀😅😃🤣😆😜😂

*શરીર મા-બાપ ની દેન, આત્મા પરમ કૃપાળુ પરમાત્મા ની દેન,  નામ ફોઇબા ની દેન હવે આપડુ પોતાનુ કાંઇ હોય નહીં તો વળી નફો નુકસાન કેવુ...???*

🙏🏻🙏🏻👍🏻💐💐

મંગળવાર, 3 ઑક્ટોબર, 2023

Life after 60

*મેં ૬૦ વટાવ્યા પછી મારા માં આવેલા બદલાવો,*
************************************
૧...વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.
૨... ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.
૩... નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૪... ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૫... રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.
૬... વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૭... ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.
૮... ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૯... સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૦... બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૧... હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૨... જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.
૧૩... લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.
૧૪... હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫... ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬... પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.
૧૭... કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.
✍🏻 ~ ચંન્દ્રકાન્ત બક્ષી 🙏🏻

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2023

Life after 50

*Chandrakant Baksi—*

*મેં 50 વટાવ્યા પછી મારા માં આવેલા બદલાવો, વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી*

*ખુદના માટે સમય કાઢું છું.સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી.મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.*

*નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.*

*ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.*

*રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.*

*વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.*

*ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.*

*ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.*

*સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.*

*બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.*

*હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.*

*જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.*

*લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.*

*હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.*

*ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.*

*પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.*

*કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું*

બુધવાર, 1 માર્ચ, 2023

Enjoy life

*પુરૂ વાંચી પછી ડીલીટ કરશો* 

🙏🙏🙏

તમને જે ગમે તે કરો અને ખુશમાં રહો...!!!*

કારણ કે:

1. *ટ્રેડમિલના શોધકનું* 

54 વર્ષની વયે અવસાન થયું

2. *જિમ્નેસ્ટિક્સના શોધકનું* 

57 વર્ષની વયે અવસાન થયું

3. *વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયન* 

41 વર્ષે મૃત્યુ પામ્યો

4. *વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર મેરાડોનાનું* 

60 વર્ષની વયે અવસાન થયું

*પણ...પરંતુ...*

5. *KFC શોધકનું* 

94 વર્ષની વયે અવસાન થયું.

6. *ન્યુટેલા બ્રાન્ડના શોધકનું* 

88 વર્ષની વયે અવસાન થયું.

7. *સિગારેટ ઉત્પાદક વિન્સ્ટનનું*

102 વર્ષની વયે અવસાન થયું.

8. *અફીણના શોધક* 

116 વર્ષની ઉંમરે ભૂકંપમાં મૃત્યુ પામ્યા.

9. *હેનેસીની વિશ્વ વિખ્યાત બ્રાન્ડી બ્રાન્ડના શોધકનું* 

98 વર્ષની વયે અવસાન થયું.

10. *MDH મસાલાવાળા* સજ્જન 

97 વર્ષ જીવ્યા...

તો પછી આ ડોકટરો કેવી રીતે નિષ્કર્ષ પર આવ્યા કે 

*કસરત કે પ્રાણાયામ કરવાથી લાંબુ જીવન જીવાય છે.*

સસલું હંમેશા ઉપર અને નીચે કૂદકો મારે છે પરંતુ તે માત્ર 2 વર્ષ જીવે છે 

અને 

જે કાચબો કસરત કરતો નથી તે 400 વર્ષ સુધી જીવે છે.

તેથી, 

થોડો આરામ કરો, 

શાંત રહો, 

શાંતીથી ખાઓ, પીઓ 

અને 

તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો.

*જલસા કરો ભાઈ જલસા...*

*ભોગવે એ ભાગ્યશાળી*

૭૨ વર્ષની ઉમરે એકલવાયુ જીવન જીવતાં બુજુર્ગ ડીપ્રેશનમાં આવી ગયા એટલે તેમને મનોચિકિત્સિક ડોકટર પાસે લઈ ગયા...

ડો. : તમારા દિકરા દિકરી શું કરે છે ?

બુજુર્ગ : એમને મેં પરણાવી દીધા છે અને તેઓ સુખી છે.

પત્નિ ગુજરી ગયા છે.

જીવનમાં કોઇ જલસો નથી....

ડો. : એવી તમારી કોઇ ઇચ્છા ખરી કે જે પુરી ના થઈ હોય

બુજુર્ગ : હા...

એક ઇચ્છા હતી કે એક દિવસ કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં રોકાવ.

ડો. : તમારી પાસે કેટલી મિલ્કત છે?

બુજુર્ગ : હું હાલમાં રહું છું તે એક ફલેટ અને એક મોટો ૧૦૦૦ મીટરનો ખાલી પ્લોટ છે 

જેની કિમત આશરે ૮ કરોડ રૂપિયા હશે.

ડો. : તમને એમ નથી થતું કે તમારી પાસે જે મિલ્કત છે તે વેચીને તમે જલસાની જીંદગી જીવો?
 
મારૂ માનો તો તમે એ પ્લોટ વેચી નાખો..

જે ૮ કરોડ રૂપિયા આવે તેમાંથી એક ચાર કરોડની મિલ્કત લઈ લો 

અને 

બાકીના ચાર કરોડ વાપરવા માંડો..

એક ફાઇવ સ્ટાર હોટેલમાં જેનું ભાડુ રોજના ૧૦ હજાર છે તેમાં રહેવા માંડો...

ત્યાં તમને સ્વીમીંગ પુલ. જીમ અનેક જાતનાં ભાવતા ભોજન અને અનેક લોકોને મળવાનું બનશે.

અને દર ત્રણ મહિને શહેર બદલી નાખો..

તમને જીવન પ્રત્યે પ્રેમ જાગશે અને તમારૂ ડીપ્રેશન કાયમ માટે દૂર થઈ જશે.

બુજુર્ગ ૧૦ હજારનાં ભાડાવાળી ફાઇવસ્ટાર હોટેલમાં રહેવા ગયા...

ટેશ અને જલસામાં દિવસો પસાર થવા માંડયા...

૮૨ માં વર્ષે જયારે તેમનું અવસાન થયું ત્યારે ચાર કરોડમાંથી ૧.૫ કરોડ હજુ બચ્યા હતાં 

અને ચાર કરોડની લીધેલ પ્રોપર્ટીના ભાવ ૮ કરોડ થઈ ગયા હતાં..

કહેવાની જરૂર નથી કે ડીપ્રેશન તો સંદતર નાબુદ થઈ ગયું હતું અને જીવવા માટેના અનેક બહાના પણ મળતા રહ્યા હતા..

*બોધ* : 

*મરણ મુડી પણ મરણ પહેલા વાપરી નાખવી અને જલસાથી પાછલી જીંદગી જીવવી...*

*ભોગવે એ ભાગ્યશાળી*

*શુભેચ્છક*

*સિનિયર સિટીઝન એસોસિયેશન*

હરી-ફરી લે, 

હમણાં તબિયત છે ફાંકડી,

કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.

નીરખી લે, નીરખી લે, 
હમણાં નજર છે વશમાં,

કાલે આવશે મોતિયો ને આંખે હશે કાળા ચશ્મા.

નીકળી પડ મિત્રો સાથે ફરવા, મોજ મસ્તી કરવા,

કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા.

આજે જ રૂબરૂ મળવાનો છે પુરેપૂરો સ્કોપ,

કાલે સામે બેઠો હશે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.

કરી નાખ ઉજાણી, 
પી લે પાણી લીટર બે લીટર,

જો જે કદાચ કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.

ચાલો સહુ ભેગા થઇએ,
છોડો

વોટ્સએપ, 

ઇન્સ્ટાગ્રામ 

ને 
ટ્વીટર,

કોઈ નથી જાણતું...
ક્યારે પુરા થઈ જાશે 
આ હૃદયના કિલોમીટર...!!!

*જીંદગી ડોકટર ની ગોળી સાથે નહીં..*

*પણ મિત્રો ની ટોળી સાથે જીવવાની હોય છે!!!*                              💖ENJOOOOY LIFE💖💐

મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

Life, way to live

*શ્રી સચ્ચિદાનંદ સ્વામી  દંતાલી વાળા ના વિચારો*

*આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!*

*જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?*

*શરીરનો કોઈ વાંક નથી,તો પણ એને ભુખ્યુ રાખો. શરીરનો કોઈ જુર્મ નથી, છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’*

*મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે ,એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો*

*તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?*

*અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.*

*દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે !*

*એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે.*

*માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બિમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે;પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે.*

 *જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*

 *પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.*

*મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.*

 *હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.*

*પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું* 

*આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એજ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે.*

 *વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

      *અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.*

 *સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.*

 *સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*
*માટે જીવન મળ્યું છે તો મોજથી જીવો અને સાચા માનવ ધર્મ સાથે જીવો દોસ્ત.*

🌹🌹🌹🌹🌹🌹

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

આનંદમ્ પરમ સુખમ્

*શાંતિથી પૂરેપૂરો મેસેજ વાંચજો*

*_" આનંદમ્ પરમ સુખમ્ "_*

_એક ગ્રુપમાં દર મહિનાનાં પહેલા_ 
_શનિવારે એક વિષય નક્કી કરી,_  
_એ વિષય પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_* _અર્થાત્_ 
*_બને એટલા ઓછા શબ્દોમાં_*
_પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહેતું હતું ._

_આ વખતે વિષય હતો ;_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

 _બધાએ_ 
*_" આનંદમ્ પરમ સુખમ "_* 
_પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_*
_માં રજૂ કરવાનું શરૂ કર્યું . . ._

👴
_એક આધેડ ઉંમરના કાકા બોલ્યા_
 _" ઘરે પહોંચું ત્યારે,_
_ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા , , ,_
_એટલે મારે મન . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👦
_એક યુવાન બોલ્યો :_
 _કંઈ વાંધો નહિં,_
_બીજી નોકરી મળી જશે,_
_કહેતો, પત્નીનો હિંમત_
_આપતો અવાજ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏾‍🍼
_એક પિતાએ કહ્યું :_
_કંઈ જ કહ્યા વિના,_
_બધું સમજી જતું સંતાન એટલે_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏻‍💼 
_એક ભાઈએ કહ્યું :_ 
_રોજ ઈશ્વર સમક્ષ,_
_કોઈ માગણી વિનાની_
_પ્રાર્થના એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩 
_એક કાકીએ કહ્યું :_
_રોજ જમતી વખતે_
_આ પ્રભુકૃપા જ છે,_ 
_એનો અહેસાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👨 _એક કાકા બોલ્યા : વહેલી સવારે મૉર્નિંગ વૉક પર_
_પાછળથી ધબ્બો મારી,_
_અલ્યા રસીકયા . . ._
_કહી, વર્ષો પછી મળનાર_
_જૂનો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_તો બીજા કાકાએ કહ્યું :_
_સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી, વહુનો મીઠો રણકો એટલે_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👳
_એક દાદા બોલ્યા :_
_પૌત્રના સ્વરૂપમાં મળી જતો,_ 
_એક નવો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩🏻‍🦱 
_એક યુવતી બોલી :_
_ઓફિસેથી ઘરે પહોંચતાં જ_ 
_સાસુમાએ આપેલો_
_પાણીનો ગ્લાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩‍⚖ 
_એક મહિલાએ કહ્યું :_ _થાકી ગયાં હોઈએ ,_
_ત્યારે વહાલથી_ 
_પતિનું કહેવું,_
_કોઈ એક વસ્તુ બનાવ,_
_ચાલશે, એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_છેલ્લે છેલ્લે મેં કહ્યું :_
_તમારા જેવા મિત્રો સાથે,_
_વાતો કરતાં કરતાં_
_જે આનંદ આવે એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

 _આ બધાં_ 
*_" આનંદમ્ પરમ સુખમ "_* 
*_ની વાતોમાં ક્યાંય_*
*_પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો નથી,_*
*_એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે_*

*_" આનંદમ્ પરમ સુખમ "_* 

_ની ક્ષણો તમારી પાસે છે, 
એ તપાસી_ *_ઈશ્વર_*_નો_
_આભાર ચોક્કસ માનજો_ .

 🙏😊🌹😊🌹🙏

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2022

Good Life quotes

*Must Read..📖*

તમે હેરાન થાઓ છો
એનો અર્થ એ નથી કે,
તમારૂ નસીબ ખરાબ છે. 
એનો અર્થ એ છે કે,
તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.
🙏🙏
મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી 
કે 
જે મને નફરત કરે છે.....
કેમ કે, 
હુ એવા લોકોમા વ્યસ્ત છુ
જે લોકો મને પ્રેમ કરેછે...
🙏🙏
ભૂખ તો ...
સંબંધોને
પણ..
લાગે છે !!

બસ,
લાગણીઓ..
સ્વાદિષ્ટ હોવી જોઈએ.
🙏🙏
ભક્ત હોય તો 
નરસિંહ મહેતા 
અને મીરા જેવી 
જેમાં ટેન્શન
 હંમેશા ભગવાનને
 જ લેવુ પડે..

🙏🙏

ગામમાં લીમડા
ઘટતા જાય છે
અને
ઘરમાં કડવાશ
વધતી જાય છે..!!

 હોઠો પરથી 'સુગર' ઘટી છે ,

ત્યારે થી લોહીમાં વધી છે...!!

🙏🙏

મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

🙏🙏
"ઘર નાનું હોય કે મોટું" 
પણ 
જો મીઠાશ ન હોય તો... 
માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

🙏🙏

લાગણીઓ 
જ થકવી જાય છે,
બાકી, માણસ તો
 બહુ મજબુત હોય છે..

🙏🙏

પ્રેમ અને દોસ્તી 
મા ચઢીયાતી 
દોસ્તી છે દોસ્તો, 
ત્યારે તો રાધા રડે 
છે કૃષ્ણ માટે અને 
કૃષ્ણ રડે છે, સુદામા માટે

🙏🙏

પરિસ્થિતિ 
આપણને સાચવી લે 
તે આપણું નસીબ,

પરિસ્થિતિને 
આપણે સાચવી લઈએ 
તે આપણી સમજણ..

🙏🙏
  
  એ સફળતાની 
            નિસરણી 
શું કામની કે જેમાં માણસ 
    તો ઉપર ચઢે પણ 
         માણસાઇ 
   નીચે ઊતરી જાય ?..

🙏🙏

આ દુનીયા ની સૌથી સુંદર 
જોડી...
"હાસ્ય" અને "આંસુ" 
આ બંનેનુ સાથે 
આવવુ   અશક્ય છે....
પરંતુ સાથે આવે એ 
સમય સહુ થી 
ખુબસુરત હોય છે...

🙏

આજકાલ કોઇ નેએલાર્મ
 નથી જગાડતુ સાહેબ... 

હર કોઇને તેની 
જવાબદારીઓ 
જ જગાડે છે....

🙏🙏

કોઇપણ વસ્તું કે
 માણસની એટલી 
બધી અપેક્ષા ન 
રાખવી કે તેના વગર
 જીવી ના શકાય.

🙏🙏
🙏

અફવા એ એવું
 ઝડપી ગતીવાળું 
પક્ષી છે, જેની 
પાંખોને ક્યારેય 'વા'
 લાગતો નથી.

🙏🙏
🙏

આપણે જેમને 
સહુથી વધુ ચાહીએ 
 તેમનામાં જ 
 આપણને વધુ 
દુઃખ આપવાની 
શક્તિ રહેલી હોય છે.

🙏🙏.   

   દુનિયાની સાચી હકીકત 

જ્યાં સુધી "સાચી વાત" 
ઘરની બહાર નીકળે......
ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી 
હોય છે..

સિંહ અને વાઘ 
ખુબજ શક્તિશાળી છે. 
પણ શિયાળ ક્યારે
 સર્કસમાં કામ 
નથી કરતો.

( શાંતિથી વિચારજો )

🙏🙏
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો.
કારણ કે...... 
દુનિયા જીતીને 
પણ 
સિંકદર ખાલી હાથે જ ગયો....

🙏🙏

ઘડિયાળ ની ટીક 
ટીક ને મામુલી ના 
સમજો સાહેબ..
એટલું સમજી લ્યો કે 
જિંદગીના વૃક્ષ પર 
કુહાડી ના વાર છે..! 

🙏🙏

તમે ભલે તમારા 
જીવનથી અસંતુષ્ટ 
હોવ. પણ ઘણા લોકો 
એવા હશે જે તમારા 
જેવુ જીવન જીવવા 
તરસતા હશે.

🙏🙏

કોઇને 
' સારા ' લાગશો,
કોઈને 
' ખરાબ ' લાગશો, 
પણ
ચીંતા ના કરશો...
જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

🙏🙏

લાગણીઓ ના વ્યવહાર માં 
ખેલ ના કરાય વાલા. કારણ કે 
સાચા મિત્રોના ક્યાંય સેલ ના 
ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી 
હાજરી એટલે મહેફિલ.

🙏🙏

રેતી માં ઢોળાયેલ
 ખાંડ કીડી વીણી સકે 
પરંતુ હાથી નહિ 
તેથી ક્યારેય નાના 
માણસ ને નાનો ના 
ગણવો ક્યારેક નાનો
 માણસ મોટું કામ કરી 
જાય છે..

🙏🙏

આપણને ગમતી 
વ્યક્તિ દર વખતે 
આપણને ગમે એવું 
વર્તન જ કરે એ 
જરૂરી નથી. આપણને 
ગમતી વ્યક્તિ જે કંઈ
વર્તન કરે એ ગમે એ 
જ ખરો સંબંધ છે. 

🙏🙏

કોણે  કહ્યુ,
💎 કોહીનુર 💎 
અહી નથી?????

દોસ્તો,
મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.....
કેટલાય 
💎 કોહીનુર 💎
મળશે....!!
🙏🙏 🙏🙏