શનિવાર, 4 જુલાઈ, 2026

Men’s life is easy

*Why are men so happy?*



A woman responded to this.……


Because their life is set:


They keep the same surname throughout their life.


They never get pregnant.


Mechanics don't talk to them about complicated technical matters or try to fool them.


Wrinkles enhance their personality.


Grey hair makes them even more attractive.


New shoes do not harm their feet.


Their phone calls last only 30 seconds.


For a 15-day vacation, all they need is one suitcase – and that is almost always half empty.


They can open any jar or bottle without any help.


They don't mind if someone else at the party is wearing the same clothes as them; they might even become friends.


They have no qualms about wearing the same suit for 12 consecutive wedding ceremonies.


They can watch TV with a friend for hours without talking, and it doesn't even occur to them: "Is he angry with me?"




Three pairs of shoes are enough for him for ten years.


Plus


The same hairstyle lasts for years, maybe decades, or even a lifetime. And if they get bored, they shave their heads without regret.


They can wear swim trunks regardless of how their legs look or whether their stomachs are sticking out. They don't care; they're happy either way.


They never worry about: "What to cook for lunch the next day.”


Even if their weight increases by five kilos, they don't even notice. And even if they do, it doesn't bother them.


Whether they have a belly or not, if they have money, they get a lot of attention.


And the worst part is that...


*Every Single One of these things is absolutely true !!!*

😇

From Blogger iPhone client

બુધવાર, 1 જુલાઈ, 2026

Doctor’s prayer

ડોક્ટર ની પ્રાર્થના 


એ મારી મોટી વિડંબણા છે ભગવાન

કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.


પણ એ મારું સદભાગ્ય પણ છે

કે લોકોની પીડા દૂર કરવાની

એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની

એક ઉત્તમ તક તેં મને આપી છે.

મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.

એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું

એવી મને શક્તિ આપજે.


દર્દીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું

રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું

કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું

તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું

તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં

એવી મને સદબુદ્ધિ આપજે.


તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું

તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં

નિદાન અને દવા ઉપરાંત

આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ

તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં

તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા

અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું

એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.


આ વ્યવસાય પૂણ્યનો છે,

પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,

તેમાં હું મારી જાતને જાળવી રાખું

ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે

વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા

અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે

સમતોલપણું જાળવી શકું

એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.


અને આ બધોય વખત

સૌથી મહાન ઉપચારક તો તું જ છે,

સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે

હું તો માત્ર નિમિત્ત છું –

એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.


– કુંદનિકા કાપડિયા

(‘પરમ સમીપે’)

From Blogger iPhone client

શુક્રવાર, 26 જૂન, 2026

God is tired

*ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે*

 *જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે*

 

*થાકેલો પ્રભૂ*


તમે 

*કરોડો* 

છો

ને હું 

*એક*

 છું


મારે 

*શાંતિ* 

થી રહેવું હોય

પણ.....


તમારે 

*મંગળા આરતી* 

કરવી હોય એટલે મને 

*વાઘાં* 

પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર

કરી દો છો....


*ભોગ* 

મને ધરાવો છો

અને 

*આરોગો* 

છો પોતે...!


જે દિવસે એક જલેબી 

ચાખીશ....

એ દિવસથી

*પ્રસાદ* 

ધરાવવાનું બંધ 

થઈ જશે....

તે જાણું છું


*લગ્ન* 

નથી થતાં

તે 

*મંગળફેરા* 

માંગે છે


*સંતાન* 

નથી

તે 

*ઘોડિયું* 

માંગે છે


કોઈને 

*નોકરી* 

જોઈએ છે

તો કોઈને 

*છોકરી*


*માબાપ ખાસ કોઈને*

*જોઈતાં નથી*

પણ 

*મિલકત*

બધાંને જોઈએ છે


કોઈ 

*કમાવા* 

માંગે છે

તો કોઈ 

*ચોરી*

 કરવા 

માંગે છે...


કોઈને

 *બજાર* 

ઊંચું લઈ 

જવું છે તો કોઈને

 *મફતનું*

જોઈએ છે....


કોઈ 

*રોટલો* 

માંગે છે

તો કોઈ 

*ઓટલો*


જે આવે છે તે

*ઘંટ*

 ખખડાવી ને મારા 

કાન કોતરે છે...


હું કોઈનું કામ નથી કરતો

તો મારા પરની

 *શ્રદ્ધા* 

ઘટી જાય છે...


કોઈનું કામ થઈ જાય છે

તો મને

 *મહાભોગ* 

ચડે છે


*વરસાદ* 

નથી આવતો

તો 

*યજ્ઞ*

 થાય છે


આકાશ ખાબકે છે

તો ખમ્મા કરવાનું મને 

કહેવાય છે....


પણ સાચું કહું

*હું કૈં નથી કરતો*


નથી હું પરણાવતો

કે નથી કોઈ નું છૂટું કરતો


*જંગલ* 

હું નથી કાપતો


*હાઇરાઈઝ*

 મેં નથી બાંધ્યાં


*અમીર* 

હું નથી કરતો


*ગરીબી* 

મેં નથી આપી


તમને

*લીલીછમ* 

પૃથ્વી 

આપી રહેવા માટે

એની તમે 

*રાખ* 

કરો તો

*એમાં મારો શો વાંક....?*


મેં 

*અણુ* 

આપ્યો

ને તમે 

*બૉમ્બ* 

બનાવ્યો

પછી કહો કે

*શાંતિ*

વાર્તા કરો

તો કેવી રીતે કરું....?


સાચું કહો

તમે મને

*ઈશ્વર* 

માનો છો કે 

*નોકર...?*


*પ્રાર્થના* 

ની આડમાં

તમે 

*આજ્ઞાઓ* 

જ કરો 

છો....

કે બીજું કૈં....?


ને તમે ઈચ્છો છો કે

તમે 

*સેવા* 

કરો છો છતાં પણ

હું કોઈનું સાંભળતો નથી....?


હું 

*મેરેજ બ્યુરો* 

નથી ચલાવતો

કે નથી ચલાવતો

કોઈ

 *એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ*


મેં કોઈનું કૈં બગાડ્યું નથી

કે નથી મારે

કોઈ પાસે થી કૈં જોઇતું


*શ્રીફળ* 

વધેરી અને

મને વધેરવાનું રહેવા દો તમે


*આપવાનું હતું તે આપ્યું જ છે*


હવે મારી પાસે કૈં નથી

કૃપા કરી ને

હવે કૈં માંગી અને

મને

*શરમાવશો* નહી...


🙏🏻

                        

તમારું કામ થઈ જશે એમ કહેનાર

મારા કોઈ

*સહાયક* કે *કમિશન એજન્ટો*

મેં નિમેલા નથી     

માટે તેવા લોકો થી બચો 

                                 

તમે આજ સુધી

ઘણી પ્રાર્થનાઓ કરી

પણ

આજે હું તમને

એક પ્રાર્થના કરું છું


અને એ પણ જાણું છું

હું જે કહું છું એ પછી કોઈ

મારી પાસે મંદિરમાં આવવાનું

નથી....


*તોય કહું છું....*


*કોઈ માંગણી ન હોય*

તો જ... 

*મારી પાસે આવજો*


અને હા....

છેલ્લે છેલ્લે એટલું જ 

કહીશ કે


*તમારા કર્મ પર*

 *ધ્યાન આપજો*

 

મારી 

*વ્યથા* ને અનુભવજો

એવી આશા સાથે....

શબ્દો ને 

*વિરામ* આપુ છું.... 


*આ બધું કર્મ નું ચક્ર છે.* 

*કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.*


*જેવા કર્મ કરશો તેવું ભોગવશો....*


   *લિ. તમારો પણ*

*તમારાથી થાકેલો પ્રભુ* 


🙏🙏🙏🙏



🌹🙏🏻🌹

From Blogger iPhone client

બુધવાર, 17 જૂન, 2026

Prayer and poem from childhood

*જેની પહેલી બે કડી રાત્રે સૂતી* *વખતે ગાતા..આખી કવિતા વાંચ્યા ને તો ઘણો સમય થઈ ગયો હશે!!*

*તો માણો....*

       

 ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.


હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.


પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય

ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.


અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય

જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.


સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત

શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.


વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ

સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.


આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ

ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.


ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત

ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.


ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ

ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.


જોવા આપી આંખડી, સાંભળવાને કાન

જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.


ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર

પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.


તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ

તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.


અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર

બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.


કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ

કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.


ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ

આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.


મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ

એવી બુધ્ધિ દો અને,‌ પાળો બાળ તમામ.


*કવિ દલપતરામ*


*શ્રી દલપતરામની આ કવિતા જેટલી વાર વાંચીએ એટલી વાર ભગવાન ઉપર આપણો અહોભાવ વધતો જ જાય છે...આ ઉપરાંત ભગવાન પાસે શું માંગવું અને કેવી રીતે માંગવું અને કેવી રીતે આભાર વ્યક્ત કરવો એ બધુજ આ કવિતામાં આવે છે એટલે કોઈ પણ વ્યક્તિ રોજ સવારમાં ફક્ત આ કવિતાનો પાઠ કરે* 🙏

From Blogger iPhone client

મંગળવાર, 16 જૂન, 2026

Keep silence for a while when you are angry

https://whatsapp.com/channel/0029Vb7K0LDDOQIXMQrONe0k


એક વ્યક્તિને વાતે વાતે બહુ જ ગુસ્સો આવી જતો હતો. સ્વભાવની આ આદતના કારણે આખું પરિવાર ભારે પરેશાન રહેતું હતું. ઘરમાં કાયમ કલેશ અને અશાંતિનું વાતાવરણ છવાયેલું રહેતું હતું.


એક દિવસ તે ઘરના દરવાજે કોઈ સાધુ મહારાજ પધાર્યા. તે વ્યક્તિએ આદરપૂર્વક મહારાજને વંદન કર્યા અને પોતાની આ મોટી સમસ્યા વિશે વાત કરી. 


તેણે ખૂબ જ આજીજી કરતા કહ્યું, "મહારાજ! મને બહુ જલ્દી અને અતિશય ગુસ્સો આવી જાય છે. હું દિલથી ઈચ્છવા છતાં પણ મારા ગુસ્સા પર જરાય નિયંત્રણ રહેતું નથી. કૃપા કરીને આમાંથી બચવાનો કોઈ સચોટ ઉપાય બતાવો."


સાધુ મહારાજ બધી વાત શાંતિથી સમજી ગયા. તેમણે પોતાની ઝોળીમાંથી એક નાની દવાની શીશી કાઢીને આપી. 


તેમણે ઉપાય બતાવતા કહ્યું, "જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે તરત જ આ દવાના ચાર ટીપાં પોતાની જીભ પર નાંખી લેવા. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ૧૦ મિનિટ સુધી આ દવાને મોંમાં જ રાખવાની છે."


"ત્યાં સુધી મોં બિલકુલ ખોલવાનું નથી! જો ૧૦ મિનિટ પહેલાં મોં ખુલશે, તો આ દવાની કોઈ જ અસર થશે નહીં!" સાધુ મહારાજે ગંભીર થઈને ચેતવણી આપી.


તે વ્યક્તિએ સાધુ મહારાજે જણાવ્યા પ્રમાણે જ દવાનો ઉપયોગ શરૂ કરી દીધો. જ્યારે પણ ગુસ્સો આવવાનો ઉભરો થાય, ત્યારે તરત જ શીશીમાંથી ચાર ટીપાં જીભ પર મૂકીને મોં સજ્જડ બંધ કરી દેવામાં આવતું.


આશ્ચર્યની વાત એ હતી કે માત્ર સાત દિવસમાં જ ગુસ્સો કરવાની વર્ષો જૂની આદત એકદમ છૂટી ગઈ! ઘરમાં વાતે વાતે થતી તકરાર બંધ થઈ ગઈ.


બરાબર સાત દિવસ પછી તે સાધુ મહારાજ ફરીથી તે જ દરવાજે આવ્યા. સાધુને જોતાં જ તે વ્યક્તિ દોડીને તેમના પગે પડી ગઈ. 


તેણે અત્યંત ખુશ થઈને કહ્યું, "મહારાજ! તમારી આ ચમત્કારી દવાથી મારો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો છે! હવે મને વાત વાતમાં ક્રોધ નથી આવતો અને મારા આખા પરિવારમાં પરમ શાંતિનું વાતાવરણ રહે છે."


ત્યારે સાધુ મહારાજ સહેજ હસ્યા અને તેમણે એક મોટું રહસ્ય ખોલતા જણાવ્યું, "અરે ભાઈ! એ શીશીમાં કોઈ ચમત્કારી દવા નહોતી!! તેમાં તો ફક્ત સાદું પાણી ભરેલું હતું!!"


વાસ્તવમાં ચમત્કાર પાણીનો નહીં, પણ મૌનનો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ક્રોધની અવસ્થામાં હોય છે, ત્યારે તેની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને મોંમાંથી માત્ર કડવા વેણ જ નીકળે છે. 


ગુસ્સાનો સાચો ઈલાજ માત્ર અને માત્ર ચૂપ રહીને જ કરી શકાય છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો હંમેશા વિવાદ અને દુશ્મની વધારે છે, જ્યારે મૌન તે આગને ઠારી દે છે. 


ક્રોધ એ ક્ષણિક પાગલપન છે, તેને શાંત કરવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય મૌન ધારણ કરી લેવું તે જ છે. તેથી જ કહેવાયું છે કે, "ન બોલવામાં નવ ગુણ." ✨હરેકૃષ્ણ" …✍

From Blogger iPhone client

સોમવાર, 15 જૂન, 2026

Age of 60, 70, 80, 90, 100

*सामान्य ज्ञान में एक रोचक जानकारी*


दक्षिण भारत में *60, 70, 80, 90 और 100 वर्ष* की आयु पूर्ण होने पर विशेष उत्सव मनाने की परंपरा है।


कभी किसी ने पूछा—"इन आयुओं को इतने विशेष और भव्य रूप से क्यों मनाया जाता है? क्या यह केवल एक परंपरा है या इसके पीछे कोई आध्यात्मिक रहस्य भी छिपा है?"


इसका उत्तर महाभारत के प्रसिद्ध राजा *ययाति* की कथा में मिलता है।


राजा ययाति ने जीवन के सभी सुखों, वैभव और ऐश्वर्य का भरपूर आनंद लिया। लेकिन जब वृद्धावस्था उनके जीवन में आई, तब उन्हें एक गहन सत्य का बोध हुआ—


*"भोगों की सीमा होती है, लेकिन इच्छाओं की कोई सीमा नहीं होती।"*


इस अनुभूति ने उनके जीवन की दिशा बदल दी। उन्होंने वृद्धावस्था को स्वीकार किया और बताया कि जीवन में पाँच महत्वपूर्ण आंतरिक पड़ाव आते हैं। ये केवल आयु के पड़ाव नहीं, बल्कि चेतना और समझ के पड़ाव हैं।


संयोग से भारतीय संस्कृति में मनाए जाने वाले 60, 70, 80, 90 और 100 वर्ष इन्हीं आंतरिक परिवर्तनों के प्रतीक माने जाते हैं।


*60 वर्ष — षष्टिपूर्ति*


संग्रह से समझ की ओर यात्रा।


इस आयु में मन यह पूछना छोड़ देता है कि "और कितना पाना है?" और यह सोचने लगता है कि "अब वास्तव में महत्वपूर्ण क्या है?"


आत्मचिंतन बढ़ता है, प्रशंसा और दिखावे का आकर्षण कम होने लगता है।


यह पतन नहीं, बल्कि परिपक्वता की शुरुआत है।


*70 वर्ष — भीमरथ शांति*


स्वयं को सिद्ध करने से अधिक मूल्यवान हो जाती है शांति।


इस अवस्था में व्यक्ति बहस जीतने की अपेक्षा संबंध बचाने को अधिक महत्व देता है।


उसे अनुभव होता है कि—


*"सही होने से अधिक महत्वपूर्ण शांत रहना है।"*


इसी कारण 70वें वर्ष का विशेष सम्मान किया जाता है।


*80 वर्ष — शताभिषेकम्*


आपकी उपस्थिति ही आशीर्वाद बन जाती है।


अब लोग केवल सलाह लेने नहीं आते, बल्कि आपके अनुभव, धैर्य और स्नेह की छाया पाने आते हैं।


आपकी उपस्थिति ही यह संदेश देती है—


*"जीवन चलता रहता है और अंततः सब ठीक हो जाता है।"*


इसीलिए 80 वर्ष की आयु को अत्यंत पवित्र माना गया है।


*90 वर्ष — नवति*


अहंकार का शांत विसर्जन।


इस अवस्था में व्यक्ति दूसरों को सुधारने की आवश्यकता महसूस नहीं करता।


वह बातों को व्यक्तिगत रूप से लेना छोड़ देता है।


जीवन के अनुभव उसे सिखा देते हैं कि छोटी-छोटी बातें अपनी ऊर्जा खर्च करने योग्य नहीं हैं।


यह विनम्रता ही वास्तविक आध्यात्मिकता है।


*100 वर्ष — शतमानम्*


जीवन व्यक्तिगत कहानी से ऊपर उठ जाता है।


100 वर्ष की आयु केवल वर्षों की गणना नहीं है, बल्कि जीवन की संपूर्णता का प्रतीक है।


तब समझ आता है कि जीवन की अधिकांश चिंताएँ व्यर्थ थीं।


जो प्रेम हमने दिया और पाया, वही सबसे मूल्यवान था।


और जीवन सदैव किसी अदृश्य करुणामयी शक्ति के संरक्षण में आगे बढ़ता रहा।


इस अवस्था में व्यक्ति केवल एक इंसान नहीं रह जाता, बल्कि एक प्रेरणादायी उपस्थिति बन जाता है।


*सारांश*


हमारे ऋषि-मुनियों ने केवल आयु का नहीं, बल्कि आयु के साथ होने वाले आंतरिक विकास का उत्सव मनाया।


*60 वर्ष — प्राथमिकताएँ बदलती हैं।*


*70 वर्ष — शांति शक्ति बन जाती है।*


*80 वर्ष — उपस्थिति ही उपचार बन जाती है।*


*90 वर्ष — अहंकार शांत हो जाता है।*


*100 वर्ष — जीवन पूर्णता को प्राप्त करता है।*


वृद्धावस्था कमजोरी नहीं है, बल्कि आत्मा के परिष्कार की एक सुंदर प्रक्रिया है, जिसमें अंततः ज्ञान, विनम्रता और करुणा ही शेष रह जाती हैं।


*आज का विचार*


*"बढ़ती हुई आयु का अर्थ बूढ़ा होना नहीं, बल्कि अधिक निर्मल, अधिक बुद्धिमान और अधिक सौम्य बनना है।"*


सभी वरिष्ठ नागरिकों को सादर नमन। 🙏

From Blogger iPhone client

બુધવાર, 10 જૂન, 2026

Roots

*🙏🏻પ્રણામ🙏🏻*

*મારા વાચક મિત્રો,*


 *સંસ્કારનું મૂલ્ય*


"બા, મેં તને હજાર વાર કહ્યું છે કે ચિન્ટુની સામે તારી આ ગામઠી ભાષા ના બોલ્યા કર. કાલે તેનું 'ઈન્ટરનેશનલ સ્કૂલ'માં ઈન્ટરવ્યુ છે. જો તેણે ત્યાં જઈને 'કા હો', 'કેમ છો' કે 'રામ-રામ' બોલી દીધું ને, તો મારી નાક કપાઈ જશે. તને ખબર છે ત્યાં ડોનેશન આપીને પણ એડમિશન નથી મળતું, માત્ર સ્ટેટસ અને ક્લાસ જોવાય છે."


સમીરે પોતાની માતા, કાવેરી દેવી પર ગુસ્સે થતા કહ્યું. કાવેરી દેવી, જે ગામડાથી આવ્યા હતા અને શુદ્ધ દેશી બોલી બોલતા હતા, દીકરાનો ઠપકો સાંભળીને ચૂપ થઈ ગયા. તેમણે પોતાની પોટલીમાંથી જે લાડુ બહાર કાઢ્યા હતા, તે પાછા અંદર મૂકી દીધા. તેમનું મન હતું કે પૌત્રને પોતાના હાથના બનાવેલા લાડુ ખવડાવે અને ઢગલાબંધ આશીર્વાદ આપે, પરંતુ દીકરાના 'સ્ટેટસ' ની આગળ તેમની મમતા સંકોચાઈ ગઈ.


સમીર અને તેની પત્ની રિયા, પોતાના પાંચ વર્ષના દીકરા આરવ (ચિન્ટુ) ને છેલ્લા એક મહિનાથી પોપટની જેમ ગોખાવી રહ્યા હતા. "સે હેલો," "સે ગુડ મોર્નિંગ," "માય નેમ ઇઝ આરવ." ઘરનું વાતાવરણ એવું હતું જાણે કોઈ મિલિટરી ટ્રેનિંગ ચાલી રહી હોય. કાવેરી દેવીને કડક સૂચના હતી કે જ્યાં સુધી આરવનું ઈન્ટરવ્યુ ન પતે, ત્યાં સુધી તેઓ તેનાથી દૂર જ રહે, જેથી તેમની 'ગામઠી' ભાષાની અસર બાળકના 'ક્લાસ' પર ન પડે.


બીજે દિવસે સવારે, સમીર, રિયા અને આરવ સ્કૂલ પહોંચ્યા. શહેરની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ, જ્યાં અમીરોની લાંબી કતારો લાગેલી હતી. દરેક જણ અંગ્રેજીમાં વાત કરી રહ્યું હતું. સમીર અને રિયા નર્વસ હતા. ત્યારે જ તેમનો વારો આવ્યો.

પ્રિન્સિપાલની કેબિન ખૂબ મોટી હતી. મિસ્ટર ડિસૂઝા, જે સ્કૂલના પ્રિન્સિપાલ હતા, એક કડક મિજાજના વ્યક્તિ માનવામાં આવતા હતા. 


તેમણે આરવને અંગ્રેજીમાં નામ પૂછ્યું, રંગોના નામ પૂછ્યા. આરવે ગોખેલા જવાબો આપી દીધા. સમીર અને રિયાના ચહેરા પર સ્મિત હતું. બધું પ્લાન મુજબ થઈ રહ્યું હતું.

ત્યારે જ મિસ્ટર ડિસૂઝાએ પોતાની પેન નીચે મૂકી અને આરવની આંખોમાં જોઈને પૂછ્યું, "બેટા, જ્યારે તમારા ઘરે કોઈ વડીલ મહેમાન આવે, અથવા તમે તમારા દાદા-દાદીને મળો, તો સૌથી પહેલા શું કરો છો?"


સમીરના હૃદયના ધબકારા ચૂકાઈ ગયા. તેણે આ તો શીખવાડ્યું જ નહોતું. તેણે બસ "હાય-હેલો" શીખવાડ્યું હતું. આરવ ચૂપ થઈ ગયો. સમીરે ઈશારાથી તેને 'ગુડ મોર્નિંગ' બોલવા કહ્યું.

પરંતુ આરવે એ ન કર્યું જે સમીરે શીખવ્યું હતું. આરવ પોતાની ખુરશી પરથી નીચે ઉતર્યો, ધીમે-ધીમે ચાલીને પ્રિન્સિપાલ મિસ્ટર ડિસૂઝા પાસે ગયો અને વાંકા વળીને તેમના પગે લાગ્યો. પછી હાથ જોડીને ખૂબ જ નિર્દોષતાથી બોલ્યો, "પ્રણામ ગુરુજી! રામ-રામ!"


રૂમમાં સોપો પડી ગયો. સમીરને લાગ્યું કે હવે તો રિજેક્શન પાક્કું છે. તેને પોતાની મા પર ગુસ્સો આવવા લાગ્યો કે નક્કી ચોરીછૂપીથી તેમણે જ આ બધું શીખવાડ્યું હશે. રિયાએ પોતાનું માથું પકડી લીધું.

પરંતુ બીજી જ પળે કંઈક એવું થયું જેની સમીરે કલ્પના પણ નહોતી કરી. મિસ્ટર ડિસૂઝા, જે અત્યાર સુધી ગંભીર હતા, જોરથી હસી પડ્યા. તેમણે આરવને ઊંચકીને ખોળામાં બેસાડી લીધો.

"મિસ્ટર સમીર," પ્રિન્સિપાલે કહ્યું, "આજે સવારથી મેં પચાસ બાળકોના ઈન્ટરવ્યુ લીધા. બધા રોબોટની જેમ 'હાય', 'હેલો' અને 'ગુડ મોર્નિંગ' બોલી રહ્યા હતા. પરંતુ તમારા દીકરાએ જે કર્યું, તે આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કાર પુસ્તકોમાં નથી મળતા."

સમીર ડઘાઈ જ ગયો.

મિસ્ટર ડિસૂઝાએ આગળ કહ્યું, "આજકાલના ભણેલા-ગણેલા મા-બાપ પોતાના બાળકોને અંગ્રેજ બનાવવાની હોડમાં પોતાના મૂળિયાં કાપી રહ્યા છે. બાળક અંગ્રેજી તો સ્કૂલમાં શીખી જ લેશે, પરંતુ વડીલોને પગે લાગવું, 'રામ-રામ' કહેવું, પોતાની ભાષા પર ગર્વ કરવો... આ તો ઘરેથી જ મળે છે. કોણ શીખવે છે આને આ બધું?"


આરવ ઉત્સાહથી બોલ્યો, "મારા દાદી! એ કહે છે કે વિદ્યા તો વિનય આપે છે, અને સૌથી મોટું ભણતર ઝુકવું (નમ્રતા) હોય છે."

પ્રિન્સિપાલે સમીર સામે જોયું, "તમારા માતાને મારા પ્રણામ કહેજો. તેમનો પૌત્ર આજે ફક્ત એટલા માટે સિલેક્ટ થયો છે કારણ કે તેની પાસે એક અલગ ઓળખ છે. ભાષા સંવાદનું માધ્યમ છે, શરમનો વિષય નથી."


*'ગામઠી' દાદીના સંસ્કારોએ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અપાવ્યું એડમિશન*


ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં સન્નાટો હતો. સમીરને પોતાના કહેલા શબ્દો યાદ આવી રહ્યા હતા—"ગામઠી ભાષા," "નાક કપાઈ જશે." આજે એ જ 'ગામઠી' સંસ્કારોએ તેને સૌથી મોટી સ્કૂલમાં સન્માન અપાવ્યું હતું.


ઘરે પહોંચતા જ સમીર સીધો પોતાની મા પાસે ગયો. કાવેરી દેવી આંગણામાં તુલસી પાસે બેઠા હતા. સમીરે કશું બોલ્યા વગર પોતાની માના ચરણોમાં માથું મૂકી દીધું.


"અરે-અરે, શું થયું લલ્લા? ઈન્ટરવ્યુ ખરાબ ગયું કે શું? મેં કહ્યું હતું ને, મારો પડછાયો ન પડવા દેતા તેના પર," કાવેરી દેવીએ ગભરાતા કહ્યું.

"ના મા," સમીરની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. "ઈન્ટરવ્યુ ખૂબ સારું ગયું. અને એ ફક્ત તારા લીધે. મને માફ કરી દે મા. હું ભૂલી ગયો હતો કે ઝાડ ગમે તેટલું ઊંચું થઈ જાય, જો મૂળિયાંથી કપાઈ ગયું તો સુકાઈ જશે."


સમીરે આરવને પાસે બોલાવ્યો અને કહ્યું, "બેટા, દાદીને બતાવ તેં સ્કૂલમાં શું કર્યું."

જ્યારે આરવે જણાવ્યું, ત્યારે કાવેરી દેવીએ તેને ગળે લગાવી લીધો. તે દિવસે સમીરને સમજાઈ ગયું કે સૂટ-બૂટ અને અંગ્રેજીથી તમે 'મોડર્ન' બની શકો છો, પરંતુ 'માણસ' તમે તમારા સંસ્કારોથી જ બનો છો. તેણે અનુભવ્યું કે સાચું જ કહેવાય છે—ઓછું ભણેલા વડીલોના કારણે જ આપણી માતૃભાષા અને સંસ્કૃતિ બચી છે, નહીંતર આપણા જેવા ભણેલા-ગણેલા લોકો તો હવે 'રામ-રામ' બોલવામાં પણ શરમાય છે અને તેને પછાતપણું માને છે.


તે સાંજે સમીરે પણ ઘરમાં પ્રવેશતી વખતે માને "હાય મોમ" નહીં, પરંતુ હાથ જોડીને "રામ-રામ" કહ્યું. કાવેરી દેવીના કરચલીઓ વાળા ચહેરા પર જે સ્મિત આવ્યું, તે કોઈપણ ડિગ્રી કરતા વધારે કિંમતી હતું.



વાર્તાનો સાર:

મિત્રો, આધુનિક બનવું ખોટું નથી, પરંતુ પોતાના મૂળ, પોતાની ભાષા અને પોતાના વડીલોને ભૂલી જવા એ સૌથી મોટી મૂર્ખામી છે. અંગ્રેજી એક ભાષા છે, કળા છે, પરંતુ આપણી માતૃભાષા અને આપણા સંસ્કાર આપણી ઓળખ છે. પોતાની સંસ્કૃતિ પર શરમાશો નહીં, પણ ગર્વ કરો.

તમારા માટે પ્રશ્ન:

શું તમને પણ લાગે છે કે આજની પેઢી અંગ્રેજીના ચક્કરમાં પોતાના સંસ્કારોથી દૂર થતી જાય છે? શું માતા-પિતાએ ઘરમાં પોતાની માતૃભાષા બોલવા પર ભાર મૂકવો જોઈએ? 

જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.🌹🙏🌹

From Blogger iPhone client