શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

After the age of 50

After fifty, the body stops sending polite emails and begins issuing official memos.


You wake up one morning and discover that your knees now have opinions. Your back has started keeping records. Your blood pressure has developed ambitions. Somewhere inside you, cholesterol is quietly building a retirement home along your arteries without asking for planning permission.


At this age, the doctor no longer greets you with “How are you?” but with “What are we monitoring this year?”


Cardiovascular disease waits like an old classmate who never forgot you owed him money. Type two diabetes lurks like a relative who visits without notice and stays longer than expected. Osteoporosis is busy negotiating with your bones, slowly convincing them that density is overrated. Arthritis joins the conversation just to ensure every movement is discussed in advance.


And cancer, well, cancer is that uninvited guest whose name everyone lowers their voice to mention.


This is the season of life where the body demands respect, receipts, and a lifestyle audit.


Suddenly you begin to hear sentences you once ignored. Eat more vegetables. Reduce salt. Walk daily. Sleep well. Avoid stress. Drink water. You realize these were not suggestions. They were survival tips that your younger self laughed at while chewing foofoo or deep fried dough pastries, at midnight.


Exercise becomes less about looking good and more about remaining able to stand up without negotiating with the furniture. You are told to do weight bearing exercises for your bones. Brisk walking, stair climbing, squats. At this point, even climbing into a bus feels like resistance training. You are advised to practice balance exercises like standing on one leg. You try it and immediately discover why chairs were invented.


Swimming is recommended for your joints. Cycling is excellent. Yoga is wonderful. Tai chi is calming. You nod seriously, knowing very well the only consistent exercise you have mastered is turning over in bed with skill and experience.


Then the diet arrives.


Calcium. Vitamin D. Vitamin K. Magnesium. Fiber. Protein. Antioxidants. Suddenly your plate begins to look like a pharmacy shelf. You are told to eat cabbage, cucumbers, collard greens, jute mallow, small dried sardines, beans, whole grains, fruits, nuts, fish, and leafy things that your younger self considered decoration.


You are told to reduce salt to less than two grams a day. Two grams. That is the amount of salt that accidentally falls from the shaker while you are thinking about something else.


Sugar becomes a criminal. Fried food becomes suspicious. Processed food becomes a public enemy. Ice creams are now spoken of in past tense like former lovers who were bad for your future.


You are advised to flavor food with garlic, ginger, lemon, and herbs. You discover that food without salt tastes like a motivational speech. Healthy, inspiring, and slightly difficult to swallow.


Portion control is introduced. A fist sized portion of carbohydrates. A palm sized portion of protein. You begin to look at your hands and wonder why they are not bigger.


But beneath all the humor, something becomes very clear.


After fifty, health is no longer automatic. It is a daily decision. It is a quiet discipline. It is choosing to walk when you could sit. Choosing vegetables when you could fry. Choosing sleep when you could scroll. Choosing kindness to your body the same way you should choose kindness to people.


You realize that old age is not decided by years but by habits.


So you walk. Slowly at first. You eat your recommended meals with new respect. You stare at veggies and whisper apologies for past neglect. You attempt a squat and hear sounds from your knees that remind you of opening an old wooden door.


And in the middle of all this, you laugh.


Because the same body that carried you recklessly through youth is now asking for a little cooperation. Not miracles. Just moderation. Not punishment. Just discipline.


After fifty, you finally understand something profound.


Good health is not a gift. It is a project.


And like all serious projects, it begins with small, stubborn, consistent actions.

From Blogger iPhone client

Our beloved teens

Not Spoiled….Just Wired…Gentle Boundaries …. Pause, Breathe, Connect: Practical Parenting …..for Gen Alpha



Who are Gen Alpha


Generation Alpha are the children born into a world where screens and constant connectivity are the default. They grew up with instant access to information, interactive media, and devices from toddlerhood, which shapes how they think, learn, and feel A. This is not about being “spoiled”; it’s about a different brain environment and a different developmental tempo B.




A brain in acceleration


Their nervous systems have been in acceleration mode since early childhood: fast inputs, bright instant rewards, and rapid mental processing. That speed brings strengths — quick learning, pattern recognition, and early fluency with technology — and vulnerabilities: waiting feels intolerable, long repetitive tasks drain them, and boredom registers as stress. This is an overloaded attention system, not simple misbehavior.




Screens are the strongest stimulus, not the enemy


Screens deliver the most powerful, concentrated stimulation these kids experience. The issue isn’t the gadget itself; it’s that the brain often doesn’t get the recovery it needs after intense input. After screen time, children need a return to the body:


• Movement

• Water and nourishing food

• Real human contact



Without those pauses, overstimulation builds and meltdowns follow A.




What overstimulation looks like


Gen Alpha children often receive more stimulation in a single day than previous generations did in a week. The common signs are:


• Faster fatigue

• Emotional outbursts

• “Everything is fine and then an explosion”



These reactions are a nervous system without pauses — not deliberate defiance. They may have a rich emotional vocabulary but still lack the regulation skills to hold intense feelings; connection must come before logic.




What doesn’t work and what does


What doesn’t work


• “Because I said so”

• Pressure

• Shouting



What does work


• A calm adult

• Predictable rules

• A feeling of “I am safe with you”



For Gen Alpha, authority equals stability, not fear. They are highly sensitive to evaluation even when they don’t show it, so home must be a recovery base — a place to be imperfect and unperformed, not another stage.




Why strictness backfires


Harshness raises anxiety, and anxiety blocks learning. The result is predictable: the child shuts down, resists, or breaks inside. These kids don’t learn through pressure; they learn through structure + support. That means boundaries that are firm but delivered from a regulated adult presence B.




What they really need


Not perfect parents. But:


• Clear boundaries

• Consistent routines

• An adult who can regulate their own emotions



Adult regulation equals child regulation. When caregivers stay steady, children can practice calming skills and rebuild their nervous systems with predictable pauses and recovery.




Practical starting points


• Create short, predictable transitions after screen time: a walk, a snack, a hug.

• Build routines that include movement and sensory breaks.

• Name feelings with the child, then offer containment before explanations.

• Model calm: breathe, lower your voice, and keep rules consistent.

• Make home a nonjudgmental zone where mistakes are learning, not performance.





In the end


Gen Alpha kids aren’t “too much.” They’re growing up in a high-stimulation world and need structure + connection, not pressure or fear. If you want to build strong boundaries without breaking your child’s spirit, start with steadiness: be the calm, predictable anchor they can return to when the world moves too fast

From Blogger iPhone client

ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2026

Doctors and MBA

𝐈 𝐭𝐫𝐚𝐢𝐧𝐞𝐝 14 𝐲𝐞𝐚𝐫𝐬 𝐭𝐨 𝐛𝐞𝐜𝐨𝐦𝐞 𝐚 𝐬𝐮𝐫𝐠𝐞𝐨𝐧. 𝐓𝐡𝐞𝐧 𝐈 𝐬𝐩𝐞𝐧𝐭 2 𝐲𝐞𝐚𝐫𝐬 𝐮𝐧𝐥𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐞𝐯𝐞𝐫𝐲𝐭𝐡𝐢𝐧𝐠 𝐢𝐧 𝐚𝐧 𝐌𝐁𝐀 𝐩𝐫𝐨𝐠𝐫𝐚𝐦.


* MBBS

* MS

* Super-specialization

* Fellowships

* Years of sleep deprivation, trauma calls, ward rounds, complications, CPRs, and coffee.


13–14 𝐲𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐭𝐫𝐚𝐢𝐧𝐢𝐧𝐠 𝐭𝐨 𝐥𝐞𝐚𝐫𝐧 𝐡𝐨𝐰 𝐭𝐨 𝐬𝐚𝐯𝐞 𝐥𝐢𝐯𝐞𝐬.


Then I did my MBA from 𝐕𝐚𝐧𝐝𝐞𝐫𝐛𝐢𝐥𝐭 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲. Not to run away from medicine, but to understand why it often feels like doctors are the only ones not running medicine.


And here’s the irony.

In those two MBA years, I had to unlearn almost everything I knew.


👨‍⚕️ In medicine:

– Do not assume.

– Rely on evidence.

– Do no harm.

– The patient comes first.


👨‍💼 In business:

– Assume everything, then build a pitch deck.

– Evidence? Optional. Excel can prove anything.

– Make profit.

– The investor comes first.


At Vanderbilt, I learned how hospitals are financed, why reimbursements work the way they do, and how most decisions in healthcare are non-clinical.


I learned that:


💸 A guy with a weekend certificate in "healthcare leadership" was now CEO of a 1,000-bed hospital.

📊 A doctor with 20 years of clinical experience was reporting to an MBA with 2 years of work ex & 0 years of empathy.


𝐀𝐧𝐝 𝐲𝐞𝐭, 𝐈 𝐝𝐨 𝐧𝐨𝐭 𝐫𝐞𝐠𝐫𝐞𝐭 𝐭𝐡𝐞 𝐌𝐁𝐀. 𝐈𝐧 𝐟𝐚𝐜𝐭, 𝐢𝐭 𝐰𝐚𝐬 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐢𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭 𝐝𝐞𝐜𝐢𝐬𝐢𝐨𝐧𝐬 𝐨𝐟 𝐦𝐲 𝐥𝐢𝐟𝐞.


Because it showed me what they never teach you in med school:


🩻 How hospitals function behind the scenes.

🧾 Why patient care often comes second to revenue cycles.

🔌 Why the person saving lives is often the one with the least say in hospital strategy.


𝐒𝐨, 𝐰𝐡𝐲 𝐚𝐫𝐞 𝐦𝐨𝐫𝐞 𝐝𝐨𝐜𝐭𝐨𝐫𝐬 𝐝𝐨𝐢𝐧𝐠 𝐌𝐁𝐀𝐬?


Because we’re tired of being foot soldiers in a war we didn’t start.


Today’s doctor doesn’t just need a scalpel. They need strategy.


We need doctors who can do a craniotomy and also read a P&L statement.


We need a generation of surgeons who can dissect a balance sheet as confidently as a hernia.


This is not to say everyone should do an MBA.


𝐁𝐮𝐭 𝐞𝐯𝐞𝐫𝐲 𝐝𝐨𝐜𝐭𝐨𝐫 𝐬𝐡𝐨𝐮𝐥𝐝 𝐤𝐧𝐨𝐰 𝐡𝐨𝐰 𝐬𝐲𝐬𝐭𝐞𝐦𝐬 𝐰𝐨𝐫𝐤—𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐢𝐟 𝐰𝐞 𝐝𝐨𝐧’𝐭, 𝐭𝐡𝐞𝐲 𝐰𝐢𝐥𝐥 𝐰𝐨𝐫𝐤 𝐚𝐠𝐚𝐢𝐧𝐬𝐭 𝐮𝐬.


And to the people who say,

“You became a doctor and then did an MBA? Why?”


Let me tell you the real joke...


_It took me 14 years to learn how to save a life..._

_And only 2 years to learn why I’m often not allowed to..._


💬 If you’re a doctor thinking about an MBA, or have done one, share your story. 𝐋𝐞𝐭’𝐬 𝐧𝐨𝐫𝐦𝐚𝐥𝐢𝐳𝐞 𝐜𝐥𝐢𝐧𝐢𝐜𝐢𝐚𝐧-𝐥𝐞𝐚𝐝𝐞𝐫𝐬.


📕 𝐅𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐚𝐮𝐭𝐡𝐨𝐫 𝐨𝐟 “*_𝐃𝐨𝐜𝐭𝐨𝐫𝐬 𝐀𝐫𝐞 𝐍𝐨𝐭 𝐌𝐮𝐫𝐝𝐞𝐫𝐞𝐫𝐬_”


_Because sometimes, the system is the real killer_

From Blogger iPhone client

સોમવાર, 26 જાન્યુઆરી, 2026

Friendship

*મિત્રતામાં મંદીનો સમય*

*હાલમાં Harvard Business Review માં એક લેખ વાંચ્યો. એમાં લખ્યું છે કે :*

૧. દુનિયામાં “Friendship Recession” એટલે કે મિત્રતામાં ઘટાડો ઝડપથી વધી રહ્યો છે.

૨. 1990 થી અત્યાર સુધી અમેરિકામાં “મારો કોઈ નજીકનો મિત્ર નથી” એવું કહેતા લોકો ચાર ગણાં વધી 12% થઈ ગયા છે.

૩. જ્યારે “10 કે તેથી વધુ નજીકના મિત્રો” ધરાવતા લોકો ત્રીજા હિસ્સા જેટલા ઘટી ગયા છે.

૪. ભારતના શહેરી વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ છે – ઓળખાણ વધી રહી છે,પરંતુ સાચી મિત્રતા ઓછી થઈ રહી છે.

૫. અગાઉ અજાણ્યા લોકો સાથે કેફે, ક્લબ કે કાર્યક્રમોમાં વાતચીત થતી. હવે લોકો ભીડ વચ્ચે પણ એકલા જ રહે છે.

૬. અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં એકલા ભોજન કરનારા લોકોની સંખ્યા 29% વધી છે.

૭. Stanford University એ તો મિત્રતા શીખવવાનો કોર્સ પણ શરૂ કર્યો છે.

૮. આ માત્ર સામાજિક નહીં, પણ સાંસ્કૃતિક સમસ્યા છે.

૯. મિત્રતા માટે સમય કાઢવો હવે વૈભવ નહીં, જરૂરિયાત છે.

૧૦. એકલતા આદત બની રહી છે. જો મિત્રતાને મહત્વ નહીં આપીએ તો નવા મિત્રો તો મળશે નહીં, પણ જૂના સંબંધો પણ ખોવાઈ જશે.

*શોધ કહે છે કે:*

૧. એકલતાથી હૃદયરોગ, ડિમેન્શિયા અને વહેલી મરણદર વધી જાય છે

૨. તે દરરોજ 15 સિગારેટ પીવા જેટલું હાનિકારક છે

૩. મિત્રતા માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે જરૂરી છે

૪. Harvard ની 80 વર્ષની સ્ટડી મુજબ સાચું સુખ અને આરોગ્યનું મુખ્ય કારણ નજીકના સંબંધો છે

૫. પૈસા કમાઈ શકાય, માન-સન્માન બદલાઈ શકે, પણ સાચો મિત્ર એ જ છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે.

૬. મિત્રતા એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટી નથી પડતી. એટલે ફક્ત ઓળખાણમાં ન અટકો, મિત્રોને મહત્વ આપો, કારણ કે સારા મિત્રો જ જીવનની સાચી સંપત્તિ છે.

૭. મિત્રતા નિભાવો, સમય કાઢો, ક્ષમા કરો, યાદો બનાવો.

૮. સાચા મિત્રો સાથે જીવન વધારે સુંદર બની જાય છે. 


✍️🙏🤝

From Blogger iPhone client

રવિવાર, 25 જાન્યુઆરી, 2026

You are not sick.

 *તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે* 

ઘણા રોગો હકીકતમાં રોગ નથી — 

એ ઉંમર વધતાં શરીરમાં દેખાતા *કુદરતી સંકેત* છે.

 *બેઇજિંગના એક હોસ્પિટલના ડિરેક્ટરે* *વૃદ્ધો માટે આપેલી પાંચ* *સલાહ પર ધ્યાન આપો —* 

તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે.

 *તમને લાગતા ઘણા* “ *લક્ષણો* ” *હકીકતમાં શરીર વૃદ્ધ થતું હોવાનું સ્વાભાવિક નિશાન છે.* 


1️⃣ *સ્મૃતિ શક્તિ ઓછી થવી* 

આ *અલ્ઝાઇમર* નથી. આ મગજની પોતાને બચાવવાની રીત છે. ડરશો નહીં — મગજ જૂનું થઈ રહ્યું છે , બીમાર નથી.

જો તમે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જાઓ, પણ પછી પોતે શોધી શકો — તો તે *ડિમેન્શિયા* નથી.


2️⃣ *ચાલવાની ગતિ ધીમી થવી અથવા* *પગ અસ્થિર થવા* 

આ *પેરાલિસિસ* નથી, પણ *નસો* અને *સ્નાયુઓની કમજોરીનું* પરિણામ છે.

ઉપાય દવા નથી — વધુ *હલનચલન* જ ઉપાય છે.


3️⃣ *ઉંઘ ન આવવી* 

આ રોગ નથી, મગજ પોતાની *રિધમ* બદલી રહ્યુ છે.

ઉંઘની રચના બદલાઈ રહી છે. ઊંઘની ગોળીઓ પર આધાર રાખશો નહીં —

 *એથી પડવાનું, ભૂલકાંપણું અને* *નબળાઈ વધે છે.* 

 *સર્વોત્તમ ઊંઘની દવા: દિવસ* *દરમિયાન સૂર્યપ્રકાશમાં સમય પસાર* *કરો* ,

અને નિયમિત જીવનશૈલી અપનાવો.


4️⃣ *શરીરમાં દુખાવો થવો* 

આ *સંધિવાત* નથી, પણ *વૃદ્ધત્વથી* *નસોની નબળાઈનું* કુદરતી પરિણામ છે.


5️⃣ *હાથપગમાં દુખાવો* 

ઘણા લોકો કહે છે “આ *સંધિવાત* છે કે *હાડકાંની વૃદ્ધિ?”* હાડકાં નબળાં થાય છે, પણ ૯૯% દુખાવો રોગ નથી.

 *નસોની સંવેદના ધીમી થાય છે, એટલે* *દુખાવો વધારે લાગે છે —* 

તેને *સેન્ટ્રલ સેન્સિટાઈઝેશન* કહે છે.

આ વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ છે.

વેદનાશામક દવા ઉપાય નથી.

 *ઉપાય: હળવો વ્યાયામ,* *ફિઝિયોથેરાપી, ગરમ પાણીનો શેક,* 

 *હળવી મસાજ — દવાઓ કરતાં વધુ* *અસરકારક છે.* 


6️⃣ *તપાસમાં દેખાતા થોડા* “ *અસામાન્ય” મૂલ્યો* 

તે પણ રોગ નથી — કારણ કે ધોરણો જૂના છે.


7️⃣ *વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO  )* *કહે છે કે* 

વૃદ્ધો માટે ચકાસણીના ધોરણો થોડી છૂટછાટવાળા હોવા જોઈએ. *થોડું* *વધારે કોલેસ્ટ્રોલ ખરાબ નથી —* 

એવા લોકો વધુ જીવે છે! કારણ કે *કોલેસ્ટ્રોલ હોર્મોન્સ અને કોષની* *દિવાલ* બનાવવા જરૂરી છે.

 *ખૂબ ઓછું હોય તો પ્રતિકાર શક્તિ* *ઘટે છે.* 

 *ચીનના માર્ગદર્શનમાં વૃદ્ધો માટે બ્લડ* *પ્રેશરનું લક્ષ્ય <150/90* *mmHg રાખવામાં આવ્યું છે,* 

 *જ્યારે યુવાનો માટે <140/90 છે.* 

 *વૃદ્ધત્વને રોગ તરીકે ન જુઓ;* *પરિવર્તનને લક્ષણ તરીકે  લો.* 


8️⃣ *વૃદ્ધ થવું રોગ નથી —* 

 *તે જીવનનો સ્વાભાવિક પ્રવાસ છે.* 


 *વૃદ્ધો અને તેમના બાળકો માટે સૂચનો:* 

1️⃣ દરેક અસ્વસ્થતા એટલે રોગ નહીં.

2️⃣ ડર એ વૃદ્ધોનો સૌથી મોટો દુશ્મન છે. રિપોર્ટ કે જાહેરાતોના ગુલામ ન બનો.

3️⃣ *બાળકોની ફરજ ફક્ત* *માતાપિતાને હોસ્પિટલમાં લઈ જવા* *નથી —* 

 *તેમની સાથે ચાલો, વાત કરો, ખાવો,* *સૂર્યના તડકામાં બેસો,* 

 *અને ભાવનાત્મક સંબંધ જીવંત રાખો.* 

 *ઉંમર વધવી શત્રુ નથી;* 

 *સ્થિર બેસી રહેવું — એ જ ખરો શત્રુ* *છે* !

     *સ્વસ્થ રહો!* 


 *બ્રાઝિલના કેન્સર નિષ્ણાતના વિચારો:* 

1️⃣ *વૃદ્ધત્વ ૬૦ વર્ષની ઉંમરે શરૂ થાય* *છે અને ૮૦ સુધી ચાલે છે.* 

2️⃣ *“ચોથી અવસ્થા” — ૮૦થી ૯૦* *વર્ષની વચ્ચે.* 

3️⃣ *“દીર્ઘાયુષ્ય” — ૯૦ પછી મૃત્યુ* *સુધી* .

4️⃣ *વૃદ્ધો માટે સૌથી મોટું દુઃખ —* *એકલતા* .

 *દંપતિમાંનો એક જાય, પછી* *વિધવાપણું કુટુંબ માટે ભારરૂપ બને છે.* 

 *મિત્રો સાથે સંબંધ જાળવો, મળતા* *રહો* —

 *બાળકો અને પૌત્રો પર ભાર ન બનો* *(ભલે તેઓ કહેતા ન હોય).* 

મારી  વ્યક્તિગત સલાહ:

 *તમારું જીવન તમારા હાથમાં રાખો —* 

 *ક્યારે બહાર જવું, કોની સાથે રહેવું,* 

 *શું ખાવું, શું પહેરવું,* 

 *કોને ફોન કરવો, ક્યારે સૂવું, શું વાંચવું,* *શું અનુભવવું —* 

 *બધું તમે જ નક્કી કરો.* 

 *નહીંતર તમે બીજાઓ પર ભાર બની* *જશો* .

 *વિલિયમ શેક્સપીયર કહેતા હતા:* 

 *“હું હંમેશા ખુશ રહું છું, કારણ કે હું* *કોઈ પાસેથી કંઈ અપેક્ષા રાખતો* *નથી.”* 

અપેક્ષા એ સૌથી મોટી પીડા છે.

દરેક સમસ્યાનો ઉકેલ હોય છે —

મૃત્યુ સિવાય.

 *પ્રતિક્રિયા આપતા પહેલા... ઊંડો* *શ્વાસ લો.* 

 *બોલતા પહેલા... સાંભળો.* 

 *ટીકા કરતા પહેલા... પોતાને જુઓ.* 

 *લખતા પહેલા... વિચારો.* 

 *આક્રમણ કરતા પહેલા... સમર્પણ* *કરો* .

 *મરતા પહેલા... સંપૂર્ણ જીવો!* 

 *સૌથી સારો સંબંધ એ નથી જ્યાં* *વ્યક્તિ પરફેક્ટ હોય,* 

 *પણ એ છે જ્યાં વ્યક્તિ જીવનને સુંદર* *અને આનંદી બનાવવા શીખી* *હોય* .

 *બીજાની ખામીઓ જુઓ, પણ તેમના* *ગુણોની પ્રશંસા કરો.* 

 *જો તમાંરે ખુશ થવું હોય —તો બીજાને* *ખુશ કરો.* 

 *કંઈ મેળવવું હોય, તો પહેલાં કંઈ* *આપો* .

 *તમારા આસપાસ પ્રેમાળ, હસતા,* *સકારાત્મક લોકો રાખો —* *અને તમે પોતે પણ તેવા બનો.* 

 *જીવન મુશ્કેલ બને, આંખમાં આંસુ* *હોય* ,

 *ત્યારે પણ સ્મિત સાથે ઊઠો અને કહો* —

“ *બધું સારું થશે, કારણ કે આપણે* *આગળ વધી રહ્યા છીએ!”* 

 *નાનો ટેસ્ટ :* 

જો તમે આ સંદેશો કોઈને મોકલ્યો નહીં,

તો તેનો અર્થ — તમે થોડા એકલા અને ઉદાસ છો 

આ સંદેશો તમારા પ્રિયજનને મોકલો —

તેઓ તમને ક્યારેય ભૂલશે નહીં! 

     *સદા યુવાન રહો.*

From Blogger iPhone client

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

Gandhiji and freedom

ગાંધીજીનો આજે વિદાય દિવસ....વિવિધ ચર્ચા થશે. 

એક વાત સતત
.. એમણે એકલાએ આઝાદી અપાવી હતી? 

ના, એમણે નહોતી અપાવી.....લ્યો આ જવાબ.

આ લેખ 2019નો છે પુનઃ પુનઃ મારી પાસે આવતો રહે છે. અનેક મેગેઝિન આ સૌજન્ય.....એવું લખીને છાપી ચૂક્યા છે.


Dt. 05-11-2019 

*આવો, ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી બાદ કરી નાખીએ*

 *જ્વલંત છાયા* 
      Mob. 99099 28387
      
【Jwalant Chhaya જ્વલંતભાઇ, અદ્ભુત હો.... આ લેખ લખતાં તમે કલમ અટકાવી શું કામ? હજી હાલવાં દેવું'તું ને ! લેખ પૂરો કરવાની જરુર જ નહોતી. ક્યા બાત હૈ ! જમાવટ છે જમાવટ... તાકાત વાળો લેખ.... જીયો જીયો.... એક શ્વાસે વાંચી ગયો, અફલાતુન !!! મિત્રો, વાંચો આ ગાંધીજી પર જ્વલંત છાયા દ્વારા લખાયેલ એક અસામાન્ય લેખ】

અગાઉ એવું લખી-બોલી ચૂક્યો છું કે ગાંધીજી એક સૂર્ય છે. એની સામે ધૂળ ઊડાડીએ અને કણું આપણી આંખમાં પડે તો જવાબદાર આપણે. હાથની મુઠ્ઠી ભરીને કોઇ ઘૂળ ઊડાડે તો સૂર્યને અસર ન થાય. પણ મોટા મોટા ભૂંગળા- ચિમની માંથી જ્યારે ધૂમાડો આકાશમાં ઉડવા લાગે તો વાતાવરણ ડહોળાય તો ખરું !! અને ગાંધીજીને ભાંડવાના કારખાના શરુ થયાં છે. પહેલાં જે ગણગણાટ હતો એ હવે અવાજમાં તબદીલ થયો છે. હજી વધારે બુલંદ બનશે. આ કંઇ નવું નથી, એમના સમયથી છે. *મોહનદાસ ગાંધી નામનો એક દરીયો ઘૂઘવે છે અને નાની મોટી ગટરો એનું માપ મન પડે ત્યારે આપે છે.* ફર્ક ગાંઘીજીને નથી પડતો પરંતુ પ્રજા તરીકે આપણને પડવો જોઇએ. મોટી ગેરસમજનું સર્જન સતત કરવામાં આવે છે કે ગાંધીજી એટલે કોંગ્રેસ. ગાંધીજી એટલે અમુક જ નેતાઓ માટેનો પ્રેમ ધરાવતા વ્યક્તિ.

ફૂટબોલના મેદાનમાં જેમ બોલ હોય એમ છેલ્લા ઘણા સમયથી એક બોલ - મુદ્દો ફેંકવામાં આવે છેઃ *દેશને આઝાદી ફક્ત ગાંધીજીએ નહોતી અપાવી.* ઘણા લોકો શહીદ થયા હતા. આમાં કોણ અસંમત છે?  સ્વયં ગાંધીજીએ પણ આવો દાવો કર્યો નથી કે આઝાદી એમના એકલાના લીધે આવી. *ગુલામીગ્રસ્ત આ રાષ્ટ્ર આઝાદ થવું જોઇએ એવો વિચાર 1857થી શરુ થયો. ગાંધીજીનો જન્મ 1869માં થયો.* આપણને જે વિપ્લવ-બળવો તરીકે ઘટના ભણાવાઇ એ હકિકતમાં પ્રથમ ક્રાંતિ હતી. એટલે આ વિવાદ-વિરોધ ગાંધીજીના વિરોધીઓ જ ઉભો કરી રહ્યા છે. બસ ફર્ક એટલો હતો કે *અનેક લોકો દેશ માટે નાની ઉંમરે શહીદ થયા. ગાંધીજી દેશ માટે મોટી ઉંમર સુધી જીવ્યા. એટલે દેશ માટે મરવું કેમ એ અનેક મહાન લોકો પાસેથી શીખી શકાય, દેશ માટે જીવવાનું શિક્ષણ ગાંધીજી-સરદાર પટેલ જેવા લોકો જ આપી શકે.*

ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્ય?  ઇતિહાસના દસ્તાવેજો તો કહે છે સુભાષચંદ્ર બોઝે. પણ ગાંધીજી કોઇ પદ,પ્રતિષ્ઠા,બિરુદમાં બંધાવા નહોતા સર્જાયા. *સ્થિતિ એવી થઇ ગઇ છે કે કોઇ પણ ટટપુંજિયો આવીને ગાંધીજી વિશે કંઇ પણ બોલે આપણી પ્રજા એને તાલીઓથી વધાવી લે છે.* 
 *કોઇ પાન ખાઇને પિચકારી મારે, થૂંકે એને અભિષેક ન કહેવાય એવી સાદી સમજ આપણે ગુમાવી રહ્યા છીએ.*

 ચલો એક પ્રયોગ કરીએ.-એમણે જીદગી ભર પ્રયોગ કર્યા એટલે તો એમનું જીવન યોગ બનીને આપણી સામે આવ્યું છે. એક પ્રયોગ કરીએ- *આઝાદીની સમગ્ર ચળવળ માંથી થોડી મિનિટ ગાંધીજીની બાદબાકી કરી નાંખીએ!!!* 

આવું કરવાનું કારણ એ છે કે સતત જો ફેલાવવામાં આવતું હોય કે ગાંધીજીએ તો કંઇ કર્યું નહોતું તો  પ્રશ્ન  થયો કે દુનિયા તો પણ કેમ આ વિભૂતિ પાછળ ઘેલી છે?  *બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન એટલી જાણે અવતાર પુરુષ હોય એમ એના એક વિધાનને ક્વોટ કરવામાં આવે છે કે દેશ આઝાદ થયો એમાં ગાંધીજીની અહિંસાનું કોન્ટ્રીબ્યુશન- પ્રદાન ઓછામાં ઓછું હતું.*  પરમ બુધ્ધિમાનો  આ સાંભળીને ચોંકી ઉઠે છે. એટલીને મનોમન અગરબત્તિ ધરવા લાગે છે. અરે ભાઇ, અહિંસા એ માત્ર આઝાદી માટેનો કન્સેપ્ટ જ નહોતો. *સૌ થી મહત્વની વાત કે ભારતની આઝાદી માટેની લડત એ ગાંધીજીના વિરાટ અને વિશાળ જીવનનો એક હિસ્સો હતી.* ફક્ત આઝાદી એમનું કાર્ય નહોતું અને જે આઝાદી મળી એમાં તો એ રાજી નહોતા જ. જુઠ જ ઓકવું છે એ તો કંઇ પણ કહે, બાકી દેશ આઝાદ જે રીતે થયો એ ભારત ગાંધીજીના સ્વપ્નનું હતું જ નહીં.

આપણે આપણા જ ચશ્મા પહેરીને બધું જોવા ટેવાયેલા છીએ. *રાષ્ટ્રવાદ શબ્દ કેવો સરસ છે? ગાંધીજી રાષ્ટ્રવાદી નહીં, રાષ્ટ્રપ્રેમી હતા.* દેશને બંધારણીય આઝાદી અપાવીને એમને સંતોષ નહોતો. ખરા અર્થમાં આર્થિક, સામાજિક, માનસિક આઝાદી એમનું લક્ષ્ય અને કલ્પના હતી. *એટલે આપણે ચલો ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી કાઢી જ નાંખીએ.*  અસહકાર આંદોલન, જેને લીધે વલ્લભભાઇ સરદાર બન્યા એ બારડોલી અને ખેડા સત્યાગ્રહ, 1909થી જેના બીજ રોપાયાં હતા અને અંગ્રેજ સરકાર હલી ગઇ એ મીઠાં સત્યાગ્રહ કે ભારત છોડો આંદોલન- આમાંનું કંઇ જ સફળ નથી. આ કંઇ કરવાથી આઝાદી નહોતી મળી એવું માની લઇએ. ગાંધીજીના અવસાન પછી 1948 પછી કદાચ દેશ આઝાદ થયો હોત. માની લઇએ. તો પણ ગાંધીજીનું જીવન જે સ્તર પર છે એવું બીજું કોણ જીવ્યું?  *આ તો કેવું છે ખબર છે, કે કૃષ્ણે ગોપીના ઘરમાં જઇને માખણ ન ચોર્યું હોત તો?! તો ભગવત ગીતા ન મળત? તો કંસવધ ન થાત?  તો મહાભારતના યુધ્ધમાં પાંડવોનો પરાજય થાત!!  માણખ ચોરી વગરનું કૃષ્ણ ચરિત્ર કેવું લાગે?* 

જે લોકો ગાંધીજી વિશે ભાઉ ભાઉ કરે છે એ લોકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે તો બોલતા જ નથી. સર, વિચાર તો કરો અહીંથી લંડન ગયેલો માણસ ત્યાં જઇને વેજિટેરીયનની મુવમેન્ટમાં જોડાય. આજે દુનિયાના અનેક દેશ આ ચળવળ અપનાવી ચૂક્યા છે. પછી એ જ વ્યક્તિ આફ્રિકા જાય, ત્યાં લાખો રુપિયાની પ્રેક્ટિસ છોડીને અન્યાય સામે લડે. એના પર ત્યાં હુમલો થાય. બેભાન થઇ જાય. ભાનમાં આવીને સૌથી પહેલો પ્રશ્ર્ન એ પૂછે કે મને મારનારનું શું થયું? એને છોડી મુકજો. કોઇ કામ એના પર ન ચલાવતા. એ હુમલો કરનાર પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સૌથી પહેલો ગાંધીજીની સાથે ઉભો રહે. ફિનિક્સ અને ટોલ્સટોય ફાર્મ. *ત્યાં પરદેશમાં ઇન્ડિયન ઓપિનીયન નામનું અખબાર અને અંગ્રેજ સરકાર એ છાપું બિલોરી કાચ રાખીને વાંચે.*

 ત્યારે ક્યાં ભારતની આઝાદીની વાત પણ હતી?

1915માં ભારત આવ્યા પછી ટ્રેનના થર્ડક્લાસના ડબ્બામાં આ બારિસ્ટર મુસાફરી કરે, ગરીબોની અવદશા જોઇને બે-ત્રણ માસ બે જ વસ્ત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા લે અને પછી એ જીવનભર પાળે. એક કિસ્સો તો છેક મોડે મોડે બન્યો- *નોઆખલી જતા હતા એ સમયે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં વરસાદને લીધી પાણી ભરાયું.  અધિકારીઓ કહેવા આવ્યા કે તમે બીજાં કમ્પાર્ટમેન્ટમાં બેસી જાઓ. ગાંધીજી કહે તો એ લોકો ક્યાં બેસશે?  પેલા કહે એમને અહીં શિફ્ટ કરશું. તો ડોસા કહે, જો એમને અહીં બેસાડી શકાય તો મને શું વાંધો હતો? રાષ્ટ્રપિતા એટલે કહેવાયા. એમાં આરટીઆઇ કરવાની જરુર નહીં.*   હિન્દુસ્તાનના સાત લાખ ગામડાંની આર્થિક આઝાદી માટે રેંટિયો શસ્ત્ર છે એવી સમજ. ખાદીનો વ્યાપ. “એક એક તાર કાંતું ત્યારે મારા મનમાં હિન્દુસ્તાનના કંગાળોનું ચિંતન છે.”  –
 આઝાદીની લડતમાં ગાંધીજીએ કંઇ નહોતું કર્યું બસ. પણ આ કોણે કર્યું?  

જેલમાં પણ પ્રાર્થના, જેલમાં પણ સ્વાધ્યાય. અરે કેવી કેવી કૃતિઓ જેને ગાંધીજીએ પ્રાર્થના બનાવી દીધી. કેવા કેવા સાક્ષરો, સમર્થ લોકોએ ત્યાં જાણે શરણું લઇ લીધું.-બહુ બહુ લંબાણ થઇ જશે. વિનોબા હોય કે સ્વામી આંનદ. કે કાકા કાલેલકર કે ઉમાશંકર જોશી….ગાંધીજીના વિચારથી કોઇ કોઇ અલિપ્ત રહી ન શક્યા. એ પ્રાર્થનાના પડઘા હજી ક્યાંક વાતાવરણમાં છે. ઘોંઘાટ વધુ છે એટલે આપણને ઓછા સંભળાય છે. *કુષ્ટરોગીઓની સારવાર ક્યા સમાંતર નેતાએ ગાંધીજીના પ્રમાણમાં કરી?  અને અસ્પૃશ્યતા નિવારણ માટે શેરી-શેરી પગપાળા ફર્યા ગાંધીજી. દેશ આઝાદ ન થયો હોત અને આ કલંક મટી ગયું હોત તો? દેશ આઝાદ થઇ ગયો તો પણ શું જો અસ્પૃશ્યતા યથાવત છે.* 

ચંદ્રકાન્ત બક્ષી 1981માં પાકિસ્તાન ગયા ત્યારે લિયાકત અલીના પત્ની રાનાને મળ્યા હતા. *પાકિસ્તાનના એ મહિલાએ બક્ષીને કહ્યું હતું. “અમારે આજે (1981માં) મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં પરદેશ મોકલવી હોય તો વિચાર કરવો પડે છે. ગાંધીજી 1919માં મહિલાઓને દારુના અડ્ડા સામે પિકેટીંગ કરવા રસ્તા પર લાવ્યા હતા.* 
 પાકિસ્તાનની મહિલાનું આ અવલોકન છે. જેને પેલા એટલી જેટલી પ્રસિધ્ધિ નથી મળી. સ્ત્રી સશક્તિકરણના આવાં તો સેંકડો ઉદાહરણ ગાંધીજીની જીવન માંથી મળે છે.-
 કબુલ માત્ર ગાંધીજીને લીધે દેશને આઝાદી નહોતી મળી. પણ આ બધું?  

જે સ્વદેશી માટે ભાઇ રાજીવ દીક્ષિત જીંદગી ભર દેશમાં ફર્યા. એ સ્વદેશીની વાત ગાંધીજીએ તો વીસમી સદીના પહેલા બે દાયકામાં કરી હતી..

હિન્દુ વિરોધી ગાંધી- એવું હસવું આવે હો. અરે હિન્દુઓનો સૌથી મહત્વનો, મોટો ગ્રંથ ભગવત ગીતા. આના અનાસક્તિયોગ પર ગાંધીજનું ભાષ્ય વાંચ્યું છે?  ભાષ્ય નહીં ફક્ત પ્રસ્તાવના જ વાંચીએ તો ખબર પડે કે આ કેટલા મોટા હિન્દુ હતા!!? રામનામ-એમના શ્વાસ હતું. અહિંસા આપણી સંસ્કૃતિ નથી. એવું પણ કોઇને લાગે છે. *અરે ભગવત ગીતાનો સાર શું? મહાભારત યુધ્ધનું શાસ્ત્ર નથી. ઊંડે જવું પડે. એ યુધ્ધની નિરર્થકતા કહેતું શાસ્ત્ર છે. સેંકડોના સંહાર અને ભીષણ રક્તપાત પછી પણ કોને શું મળ્યું? હેમાળે હાડ ગાળવા જ જવું પડ્યું ને?  તો એ યુધ્ધ શું કામ નું?  આ ભગવતગીતાનો સંદેશ છે. અશોકને લોકો સમ્રાટ કહે છે પણ એ તો પછી રાજપાટ છોડી ગયા. આ ભગવતગીતાને ગાંધીજીએ જીવનમાં ઉતારી હતી.* અને ગીતા હિન્દુઓનો ગ્રંથ નથી એ હિન્દુ શાસ્ત્રકાર દ્વારા વિશ્વને અપાયેલી જીવન જીવવાની જડીબુટ્ટી છે.

*ગાંધીજીની અહિંસા સામે આંગળી ચીંધવી એટલે મહાવીરની અહિંસા સામે શંકા, ગાંધીજીના સત્યને પડકારવું એટલે રાજા હરિશ્ચંદ્રના સત્યને પડકાર. ગાંધીજીના સર્વધર્મ સમભાવને પડકાર એટલે રામરાજ્યના કન્સેપ્ટ સામે સીધો સવાલ. ગાંધીજીની સહ્રદયતા સામે શંકા એટલે શ્રીમદ રાજચંદ્ર જેવા મહાપુરષ સાથે અસંમતિ. કારણ કે આ બધું એ કોઇને કોઇ વ્યક્તિ-વિભૂતિ કે વિભાવના પાસેથી પામ્યા હતા. હવે નક્કી આપણે કરવાનું આપણે આ બધા મહાન લોકોને માનવા કે કોઇ લલ્લુ ગાંધીજી વિશે કંઇ પણ બોલે એ માનવું?*  

- આમાં ક્યાંય ગાંધીજીની આઝાદીની ચળવળ વાળી વાત નથી.

આહારના પ્રયોગ,કેળવણી. આજે વિશ્વના પ્રગતિશીલ દેશો નઇ તાલીમના કન્સેપ્ટને અનુસરવા દફતર તૈયાર કરી રહ્યા છે એના ગુરુ ગાંધીજી હતા.

આપણને પેલા એટલી- એટલી બધીવાર આંખ સામે ધરવામાં આવે છે કે ગાંધીજીની પ્રતિભાને આપણે એમની આંખે જોવા લાગીએ છીએ. *ગાંધીજી વિશે આઇન્સ્ટાઇને કહ્યું હતું એ તો બહુ જાણીતું છે. ફ્રેન્ચ નવલકથાકાર રોમા રોલાંએ ઇંગ્લેન્ડની યુવતી મેડલિન સ્લેડને કહ્યુઃ “ગાંધીજી તો બીજા જિસસ ક્રાઇસ્ટ છે.”  અને મેડેલિન ભારત આવીને, મીરાં બનીને રહ્યાં.*  ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો ગાંધીજીને ખાસ મળવા જાય. એ ગાંધીજી ગોળમેજી પરિષદમાં જાય ત્યારે લેન્કેશાયરની મીલના મજુરોને મળે અને કહે કે “હું તમારું બૂરું નથી ઇચ્છતો પણ હિન્દુસ્તાનનો ભુખમરો ય નથી ઇચ્છતો.”  પોતડી પહેરીને જ બધાને મળે. સંદેશ સ્પષ્ટ કે હું તો ગરીબ દેશના લોકોનો પ્રતિનિધી છું. *અને કોઇ બાળક પૂછે કે તમને મારી મા કપડાં સીવી દે? તો કહે ચાલીસ કરોડ લોકોના સીવી શકશે?* 

-ગાંધીજીએ જ માત્ર દેશને આઝાદ કરાવ્યો એવું નથી.

આજે આપણને ગાંધી માંથી આપણા મનમાં રહેલી કાયરતાની, આપણા મનમાં રહેલી અનેક વૃત્તિની ગંધ આવવા લાગી છે, ગાંધીજીનો વિચાર ક્યાં સુધી  એવું આપણે પૂછીએ છીએ. પણ વિશ્વના અનેક દેશમાં ગાંધીજી ખીલી ચૂક્યા છે. ગાંધીજી મહેકી રહ્યા છે. *અમેરિકન પત્રકાર લુઇ ફિશરે લખ્યું હતુઃ  હું લેનિન, ચર્ચિલ, રુઝવેલ્ટ, સ્તાલિન, એટલી, આઇન્સ્ટાઇનને મળ્યો છું. પણ ગાંધી કરતાં વધારે ચમત્કારિક માણસને હું મારી જિંદગીમાં મળ્યો નથી, અમેરિકન સાપ્તાહિક ટાઇમે  મેન ઓફ ધ મિલેનિયમ -એક હજાર વર્ષના મહાપુરુષોની સૂચિમાં એક ડઝન નામ મુક્યાં હતાં એમાં જ્યોર્જ વોશિંગ્ટન પછી તરત ગાંધીજીનું નામ હતું અને પછી નામ હતાં કોલંબસ, ચર્ચિલ, હિટલર, સિગમંડ ફ્રોઇડ.*

*ઇંગલેન્ડના સામ્રાજ્ઞી એલિઝાબેથના લગ્ન પ્રસંગે ગાંધીજીએ હાથે વણેલી ખાદીનું ટેબલ કવર ભેટ મોકલ્યું હતું- રાજ પરિવારે વર્ષો સુધી એ સાચવ્યું. મુંબઇના ભૂતપૂર્વ ગવર્નર બેરન લોઇડ ઓફ ડોલોબ્રાએ દાંડીકૂચ વિશે કહ્યું હતુઃ ગાંધીએ અમને ખરેખર ધ્રુજાવી નાંખ્યા. દુનિયાના ઇતિહાસમાં આ સૌથી વિરાટ પ્રયોગ હતો.*
 – ગાંધીજીને લીધે જ દેશને આઝાદી મળી એવું કોણ કહે છે?

*બીજા વિશ્વ યુધ્ધ પછી અમેરિકાના મોટરકાર ઉદ્યોગના માંધાતા હેનરી ફોર્ડને ગાંધીજીએ ભેટ રુપે રેંટિયો મોકલ્યો હતો.  હોંગકોંગના એશિયાલિક સાપ્તાહિકે ગાંધીજીની હત્યા પછીના પચાસમાં વર્ષે લખ્યુઃ મહાત્મા ગાંધીને હવે શાંતિ માટેનું મરણોત્તર નોબેલ પારિતોષિક આપીને નોબેલ કમિટિએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી લેવું જોઇએ* 

*જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં એક રોડનું નામ મહાત્મા ગાંધી રોડ છે. બર્લિનની એક શાળાને ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. જ્યોર્જિયાના આટલાન્ટામાં માર્ટિન લ્યુથર કિંગ સેન્ટરમાં ગાંધીજીની છ ફૂટની કાંસ્ય પ્રતિમા ઊભી કરાઇ છે. નેલસન મંડેલાની આત્મકથા છે લોંગ વોક ટુ ધ ફ્રીડમ એમાં એમણે લખ્યું છેઃ અંધારાના એ દિવસોમાં ગાંધી પ્રેરક પ્રકાશ હતા. મેક્સિકોના ખેત મજુરોના નેતા સિઝારેએ ગાંધીજીની પરંપરાને અનુસરીને આંદોલન ચલાવ્યું હતું. ઇઝરાયલના સ્થાપક ડેવિડ બેન ગુરિયોના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો હોવાની વાત ચંદ્રકાંત બક્ષીએ 3 ઓગસ્ટ 1998ના ચિત્રલેખામાં લખી હતી.*

આ બધા દેશોની આઝાદીમાં ગાંધીજીનું શું યોગદાન હતું? કંઇ નહીં. છતાં વિશ્વ એમને વંદન કરે છે.  *જનરલ સ્મટ્સનું નામ સાંભળ્યું છે?  દક્ષિણ આફ્રિકામાં જેલમાં એમણે ગાંધીજીને હેરાન કર્યા હતા. પછી પ્રમુખ પણ બન્યા.   ગાંધીજીએ એમને હાથે બનાવેલા ચપ્પલ મોકલ્યા. સ્મટસે લખ્યું છે, એ ચપ્પલ મેં સાચવી રાખ્યા છે.ગાંધીના પેંગડામાં પગ નાખવાનું મારું ગજું નથી.*

*સુરાહવરદી- કટ્ટર મુસ્લિમ. કોલકતામાં હજારો હિંદુઓની કતલ કરાવવાનો એમના પર સંગીન આરોપ હતો. એ પછી તો પાકિસ્તાન ગયા. ત્યાં ગાંધીજીના રસ્તે આંદોલન કર્યું. એટલે એમની હત્યા થઈ.*

 ગાંધીજી રાજ્ય,રાષ્ટ્રના સીમાડા વટાવી ચૂકેલા વિશ્વ માનવ હતા. આપણને અમુક ક્વોટેશનનું ઝેર પીવડાવવામાં આવે છે. ગાંધીજી વિશે અમૃત કહી શકાય એવા અવતરણો,કવિતાઓ,દુહાઓ પણ છે. ગાંધીજી એટલે ફક્ત કોંગ્રેસ નહીં, ગાંધીજી એટલે ફક્ત આઝાદીની લડત અને નહેરુની પસંદગી નહીં. ગાંધીજી અને સરદાર, ગાંધીજી અને કસ્તુરબા એ પણ વિષયો છે. ગાંધીજી અને પર્યાવરણ પણ વિષય છે. *અને આનંદ છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તો આ પર્યાવરણ સહિતના અનેક મુદ્દે ગાંધીજીનું વારંવાર સ્મરણ કરે છે. એ લાલ કિલ્લા પરથી પણ ગાંધીજીને યાદ કરે છે અને ડિસ્કવરીના શો માં પણ એમને યાદ કરે છે.*  
દેશને ફક્ત ગાંધીજીને લીધે જ આઝાદી નહોતી મળી. એવું કહેવા વાળા મિત્રોને ખમ્મા-ઘણી ખમ્મા. પણ આટલા ચિંતકો, દેશનેતાઓ, પરદેશનેતાઓ એમને અનુસરે-વખાણે એ કંઇ ફક્ત દેશની આઝાદી માટે થોડું હોય? જે અન્ય કોઇ નેતા વિચારી પણ ન શકે એ ગાંધીજી જીવ્યા. એટલે હજી જીવે છે.

આપણે લાગી પડ્યા છીએ ગાંધીજીને કંઇ પણ કહેવા. ચલો, *ગાંધીજીને આઝાદીની ચળવળના ઇતિહાસમાંથી અલવિદા કહી દો. પણ માનવતાના ઇતિહાસમાંથી એમનું નામ નહીં નીકળી શકે*  ગાંધીજી માનવતાના શરીરમાં ફક્ત રક્ત નથી ડીએનએ છે. જે લોકોને ગાંધીજી નથી ગમતા એમને મારી વિનંતિ છે. એમના વિશે જાણીને વિરોધ કરાય, કરારી ટીકા કરાય. ગાંધીજીની ટીકા કરનારા લોકો થોમસ આલ્વા એડીસનના ૯૯૯ પ્રયોગની ટીકા કરે છે. ગાંધીજી સ્વાવલંબી હતા - ટીકામાં પણ. 

*ગાંધીજીને ધક્કો મારવાના બહુ પ્રયાસ થાય છે.ગાંધીજીને ધક્કો મારવાથી શું થાય? એક રેલ અધિકારીએ પીટર મારિત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર ગાંધીજીને ધક્કો માર્યો હતો. તો એક ક્રાંતિ સર્જાઇ. ધક્કો મારવાથી બેસી પડે એ ગાંધીજી નહીં. એને ધક્કો લાગ્યો તો એમણે સરકારોને ધકેલી દીધી.* એટલે પ્લીઝ ગાંધીજીને ધક્કો મારવાનું રહેવા દો. એ બેઠા છે ત્યાં બેસવા દો, કાંતતા હોય તો કાંતવા દો. ધક્કો મારશો તો વળી ક્રાંતિ થશે.

 
----------------------------
ટીમ
✍🏼
*Limited 10પોસ્ટ* વતી
મહેન્દ્ર મેરવાણા

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[34 ગ્રુપ, 8000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post 
.

રવિવાર, 26 જાન્યુઆરી, 2025

Family

*The family system will no longer stand. Studies say that it will soon collapse...*

*The reasons for that are:*

1. *Excessive intelligence, pride, and arrogance of having money.*

2. *Impatience that cannot tolerate even small mistakes. Lack of patience.*

3. *Children and adults are unable to sit down and talk to each other wholeheartedly.*

4. *Most of the time is spent on TV, phones, and other net programs. (You can tell what the hero and heroine of a movie somewhere ate and what they are doing, but you don't know what mom and dad ate and what they are doing at home)*

5. *Being bored with small things and staying away from even your own family.*

6. *The whole family is disturbed due to someone's rudeness and anger.*

7. *Not taking the advice of the elders in financial matters*

8. *Since husband and wife and parents often quarrel, children are afraid of marriage. They have come to a point where they don't want to get married...*

9. *Man is not interested in another man... Fighting for dominance. They like loneliness.*

10. *There are no mediators. They say they want everyone. Even if they say good things, they don't like it.*

11. *Managing a family is a great art. Another reason is that they do not know.*

12. *Human relations and sensitivity have been forgotten, and rude behavior has come. Husband and wife have forgotten to run the family together. The trend of "me", "me alone", "I must do what I say" has become prevalent.*

13. *Whatever happens on social media is true, they are acting as if what happens at home is a drama.*

14. *When someone dies, they post an attractive message and shake hands... They do not go to the houses to greet them. There is no situation where four people come to carry them.*

15. *People are becoming detached, as if they are all their own... They just watch and walk away even when there is a fight going on nearby, and do not try to stop it.*

*If this situation continues, it is not an exaggeration to say that not only the family system, but also the actual human relationships will be severed very soon..!*

✍🏻 Survey Janah Sukhinobhavantu..