રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

How to accept “No” in life?

“ — A BEAUTIFUL LESSON IN RAISING CHILDREN*


Yesterday, Dhruv went to Costco in Seattle.


Outside the store, he no soticed a little boy, hardly five years old, standing with packets of chips and a small board that said they were being sold for $20 for a Scouts charity fundraiser.


People were walking past him.


With the innocence and confidence of a five-year-old, he would approach them one by one:


“Would you like to buy a packet?”


Some bought.

Many smiled and politely said, “No, thank you.”


But the little boy did not look disappointed.

He simply smiled, turned to the next person, and tried again.


Dhruv stopped and bought a packet from him.


The boy smiled brightly and said, “Thank you!”


Curious, Dhruv asked him,


“How many packets do you still have to sell? And how long are you going to stay here?”


His answer was something Dhruv—and perhaps all of us—will remember for a long time.


“Till 100 people say NO to me.”


Dhruv was surprised.


The teacher standing beside the boy then explained:


“It is not important how many packets he sells. What is important is that he learns, at this age, how to hear ‘NO’… accept it… and still have the courage to ask the next person.”


What a lesson!


We spend so much time teaching our children how to succeed.


Study hard.

Come first.

Win the competition.

Get selected.

Achieve more.


But perhaps one of the greatest gifts we can give them is to teach them how to fail.


How to hear NO without losing confidence.

How to face rejection without feeling defeated.

How to fall without being afraid of getting up again.

How to understand that one rejection does not define their worth.


Because life will not always say YES.


There will be examinations we don't clear, opportunities we don't get, interviews we don't crack, relationships that don't work, and dreams that take longer than expected.


Success makes us happy.


But learning how to handle failure makes us strong.


That little five-year-old was not standing outside Costco merely selling chips.


He was practising courage.

He was collecting “NOs.”

He was learning resilience.

He was preparing for life.


Maybe instead of asking our children only,


“Did you win?”


we should sometimes ask,


“Did you try again after you failed?”


Don't raise a child who is only prepared for success.


Raise a child who is not afraid of failure.


A salute to that teacher.

A salute to his parents.

And a salute to that little boy who taught a grown-up world a very big lesson:


*Sometimes, 100 NOs can teach you more than one YES.*❤️

From Blogger iPhone client

સોમવાર, 31 ઑગસ્ટ, 2026

Atrocity act needs revision

◆ *એટ્રોસિટી એક્ટ ક્યારે લાગુ પડે?* ◆


◆ *આ કાયદો કેમ સંશોધન માગે છે.*◆


*જ્યારે કોઈ વ્યક્તિ SC-STના લોકોને જાહેરમાં અપમાનિત કરે, બળજબરી કરે, મારપીટ કરે, જમીન પડાવી લે, સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહિતની કોઈપણ પ્રકારની હેરાનગતિ કરે તો આ ગુનો દાખલ કરવામાં આવે છે. આવા લોકો સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ-1989 અંતર્ગત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુના માટે જે તે વ્યક્તિને IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ એક્ટ હેઠળ અલગ અલગ પ્રકારના ગુનાઓ કરવા બદલ 6 મહિનાથી 10 વર્ષ સુધીની જેલની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.*


ચોક્કસપણે કાયદા નો હેતુ ભારતના દલિત સમુદાય ને સન્માન પૂર્વક જીવવાનો અધિકાર પ્રદાન કરવાનો હતો. કાયદા ના ગઠ્ઠન પછી ૩૫ વર્ષે મહ્દઅંશે હવે તેનો હેતુ સિધ્ધ થઈ ચુક્યો છે. *પણ હવે ઘણા દલિતો અને ખાસ કરી ને દલિત આગેવાનો અને આરક્ષણ થી સરકારી ઉચ્ચ પદ પ્રાપ્ત દલિત અધિકારીઓ પણ આ કાયદા નો બ્ર્હમાસ્ત્ર (હથિયાર) તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.* 


*પોલીસ અધિકારીઓ અન્ય સમાજ અને ન્યાયાધીશો પણ જે તે કિસ્સામાં દલિત ફરિયાદી નો આક્ષેપ ખોટો છે તે જાણતા હોવા છતાં કાયદાને કારણે લાચાર થઈ જતાં હોય છે.*


*અત્યારે અન્ય સમાજ ના તમામ લોકો આ કાયદા ના કારણે પ્રતિપક્ષી દલિત સમાજ ની વ્યક્તિ પોતે અન્યાય કરતી હોય તો પણ સહન કરી લે છે. હવે કોઈ પણ બિનદલિત વ્યક્તિ કયારેય દલિત સમાજ ની વ્યક્તિ ને જાતિ વિષયક અપમાન જનક શબ્દ બોલતી જ નથી છતાં પણ સામેની મોટાભાગની દલિત વ્યક્તિ તેની સામે ખોટી રીતે આ કાયદાકીય હથિયાર ઉગામવાનો મોકો છોડતી જ નથી.આ એક ગંભીર સમસ્યા નું નિર્માણ થઈ ચુક્યું છે.*


*હવે એટ્રોસિટી કાયદા અનુસાર કોઈ ખોટી ફરિયાદ કરી જ ન શકે અને કરેતો ખોટો આક્ષેપ છે જાણી શકાય તેવા ફેરફારો આ કાયદા અંતર્ગત લાવવા જ જોઈએ.*


*"વક્ફ એકટ", "મુસ્લિમ પર્સનલ લો બોર્ડ", "મદરેસા ને આર્થિક સહાય", "હિન્દુ ધર્મસ્થાન અધિનિયમ" વિગેરે ની જેમ જ આ કાયદો પણ તાત્કાલિક ધોરણે સંશોધન માગે જ છે.*


◆ *આ પોસ્ટ દેશના તમામ પ્રબુધ્ધ નાગરિક, તમામ ન્યાયાધીશ, તમામ આઈ.એ.એસ.ઓફિસર્સ, તમામ રાષ્ટ્રપ્રેમી મિડીયા કર્મી, તમામ રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાન સુધી તમારાં દ્વારા પંહોચવી જ જોઈએ.*◆


■ એક રાષ્ટ્રપ્રેમી ભારતીય નાગરિક. ■

From Blogger iPhone client

બુધવાર, 26 ઑગસ્ટ, 2026

Doctor patient relationship and medical profession.

Doctor-Patient Relationship: Trust

🧩🧩🧩🧩🧩🧩🧩🧩🧩

Doctors are not killers... but the medical profession is slowly being killed!

In today’s world, surge pricing applies to almost everything.

The moment it rains, a ₹300 cab ride becomes ₹1,200.

During festive seasons, a ₹6,000 flight ticket jumps to ₹28,000.

Hotel tariffs go up.

Movie tickets get expensive.

No one calls this wrong.

Everyone simply says—"It's the law of demand and supply."

But when it comes to doctors, the rules change.

Whether a patient is stable or extremely critical...

Whether it's 2:00 PM or 2:00 AM...

Whether it's a 5-minute consultation or a 50-minute explanation...

People expect the doctor's fee to remain unchanged.

Whether it's a routine procedure or a life-threatening, complex surgery...

Both are viewed with the exact same lens.

But the reality is different.

As complexity increases—

Responsibility increases.

Risk increases.

Time increases.

Mental stress increases.

And the risk of litigation increases too.

Lawyers charge higher fees for complex cases.

Chartered accountants charge more for intricate work.

Engineers, architects, and consultants—everyone determines their fees based on the difficulty of the task.

No one objects to this.

Then why is a different standard expected only from doctors?

Patients want—

The best doctor,

The best hospital,

The most advanced technology,

The best ICU,

The maximum time,

The utmost attention...

But zero change in fees!

An even greater truth is that

Most doctors begin treatment in emergencies without asking for money first.

They stay up all night trying to save someone's life.

They sacrifice their own time, family, and health just to save a life.

Yet, no doctor can guarantee that every single patient will recover without fail.

Because doctors fight against nature...

They do not rule over nature.

Doctors are not gods.

Doctors are not machines.

Doctors are not servants.

They are professionals who use their higher education, skill, experience, and honest efforts to save human lives.

Society must realize one thing—

Complexity comes at a price.

A society that fails to respect skill, time, and responsibility...

Will not be able to retain exceptional doctors.

And in the end, all that remains is a weak and broken healthcare system.

Doctors are not killers.

However, unrealistic expectations, distrust, violence, and the demand for perfection in every single situation—all of these are slowly destroying the medical profession.

Respect doctors, because behind every successful treatment lie years of knowledge, experience, sacrifice, and countless sleepless nights.

🪷🙏🏻🪷

- Disclaimer - it's from the social media post

From Blogger iPhone client

બુધવાર, 19 ઑગસ્ટ, 2026

Meet loved ones while living

* *અંતિમયાત્રા* 

* અજ્ઞાત 


કોલેજની એ જૂની ઈમારતના પગથિયાં પર બેસીને ચાર મિત્રોએ એક વાર જીવનભર યાદ રહે એવું વચન આપ્યું હતું.


આરવ... 

કબીર... 

નીલ... 

અને માનવ...


ચારેય એકદમ જીગરજાન.


એકનો આનંદ એટલે ચારેયનો આનંદ... 

એકનું દુઃખ એટલે ચારેયનું દુઃખ.


એ દિવસે કેન્ટીનમાં ચા પીતા માનવ અચાનક હસીને બોલ્યો,


"અરે... આપણે એક વચન લઈએ?"


બધા હસ્યા.


"જેનો મૃત્યુ પહેલા થાય... એની અંતિમયાત્રાને બાકીના ત્રણ ખભો આપશે."


એક પળ શાંતિ છવાઈ ગઈ...


અને પછી ચારેય ખડખડાટ હસવા લાગ્યા.


"પાગલ છે તું!"


ચારેયના હાથ એકબીજા પર મુકાયા.


"પ્રોમિસ!"


એમને લાગ્યું હતું... 

મૃત્યુ હજુ બહુ દૂર છે.


પણ જિંદગીને ભવિષ્ય કહેતા ક્યારેય આવડતું નથી...


---


કોલેજ પૂરી થઈ...


સપનાં મોટાં થયાં...


રસ્તા અલગ થયા...


આરવ વિદેશ ગયો.


કબીર પોતાનો ધંધો ઉભો કરવામાં વ્યસ્ત થયો.


નીલ સરકારી નોકરીમાં જોડાયો.


અને માનવ...


એ તો ગામમાં જ રહ્યો.


વૃદ્ધ, બીમાર પિતાનું નાનકડું દુકાન સંભાળવા માટે તેણે પોતાના ઘણા સપનાં શાંતિથી બાજુ પર મૂકી દીધા.


શરૂઆતમાં... 

રોજ ફોન થતા. 

રાતે કલાકો સુધી વાતો.


પછી અઠવાડિયામાં એક વાર. 

પછી મહિનામાં એક વાર. 

અને પછી...


"મળીએ યાર..." 

"ચોક્કસ..." 

"આવતા મહિને..."


આ શબ્દો હંમેશા માટે અધૂરા રહી ગયા.


સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા... 

સ્ટેટસ પર ❤️... 

એકાદ "Take Care"... 

બસ આટલી જ મિત્રતા બચી.


---


એક રાત્રે... 

સાડા અગિયાર વાગ્યા હતા. 

જૂના WhatsApp ગ્રુપ પર એક મેસેજ આવ્યો.


"મિત્રો... માનવ હવે આપણી વચ્ચે નથી."


બસ... 

ફક્ત એટલું જ.


કબીરે તરત લખ્યું... 

"આવી મજાક ના કરો..."


નીલે ફોન લગાવ્યો. 

ફોન બીજાએ ઉપાડ્યો.


સામેથી ધ્રુજતો અવાજ આવ્યો... 

"દાદા... સવારે દસ વાગે અંતિમયાત્રા છે... શક્ય હોય તો... જરૂર આવજો..."


ફોન કટ થઈ ગયો.


ત્રણેયમાંથી કોઈને એ રાતે ઊંઘ ન આવી.


---


બીજા દિવસે... 

સફેદ ચાદરમાં શાંતિથી સૂતેલો માનવ એમની સામે હતો.


ચહેરો એ જ... 

હાસ્ય એ જ... 

પણ આંખો... 

હંમેશા માટે બંધ થઈ ગયેલી.


આરવે ધ્રુજતા હાથે એના કપાળને સ્પર્શ કર્યો. 

ઠંડું... 

એકદમ ઠંડું...


અને એના મોઢેથી અચાનક શબ્દ નીકળી ગયા... 

"અરે ઉઠ ને યાર... 

આપણે હજુ મળવાનું હતું..."


જવાબ ન આવ્યો.


---


ત્યાં જ માનવના વૃદ્ધ પિતા ધીમે ધીમે આગળ આવ્યા. 

એમની આંખોમાં આંસુ નહોતા. 

કારણ... 

બધા આંસુ પહેલાથી જ ખતમ થઈ ગયા હતા.


એમના હાથમાં એક નાનકડો લોખંડનો ડબ્બો હતો. 

એમણે કહ્યું... 

"આ... 

એ તમારા માટે મૂકી ગયો છે..."


ડબ્બો ખોલ્યો. 

અંદર ચાર પરબિડીયા હતા. 

ત્રણ મિત્રોના નામના... 

અને ચોથું... 

"માનવ" 

પોતાના નામનું.


એક પળ કોઈ કંઈ બોલ્યું નહીં. 

બધાએ પોતાનો પત્ર ખોલ્યો.


---


એમાં લખ્યું હતું... 

"જો તમે આ વાંચી રહ્યા હો... 

તો મેં મારું વચન પાળ્યું છે. 

હવે તમારો વારો છે. 

પણ... 

મારી અર્થીને ખભો આપતા પહેલા... 

એક કામ કરો."


ત્રણેયના હાથ ધ્રુજવા લાગ્યા. 

આગળ લખ્યું હતું...


"તમારા મોબાઈલની ગેલેરી ખોલો... 

જુઓ... 

છેલ્લા ત્રણ વર્ષમાં... 

આપણો એક પણ નવો ફોટો છે?"


... 

ત્રણેયે ફોન ખોલ્યા. 

હજારો ફોટા. 

નવી ગાડી. 

વિદેશ. 

ઓફિસ. 

ધંધો. 

બાળકો. 

રજાઓ. 

પ્રસંગો. 

બધું હતું. 

પણ... 

ચાર મિત્રોનો છેલ્લો ફોટો... 

પાંચ વર્ષ પહેલાનો. 

કોલેજ રીયુનિયનનો. 

બધા હસતા હતા. 

કોઈને ખબર નહોતી... 

એ જ છેલ્લો ફોટો બનશે.


---


પત્ર આગળ કહેતો હતો... 

"તમે મને ક્યારેય ભૂલ્યા નથી... 

ફક્ત... 

મળવાનું મોકૂફ રાખતા રહ્યા. 

હું પણ કહેતો રહ્યો... 

'કંઈ વાંધો નહીં... 

આગલી વખતે મળીશું.'


પણ... 

જિંદગીએ 'આગલી વખત' જ આપી નહીં."


આ એક જ લીટીથી... 

ત્રણેય તૂટી પડ્યા. 

ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. 

સ્મશાનમાં દરેકના રડવાનો અવાજ ગુંજતો હતો.


---


પણ... 

પત્ર હજુ પૂરો નહોતો થયો.


છેલ્લે લખ્યું હતું... 

"મારી છેલ્લી ઈચ્છા... 

મને અગ્નિ આપતા પહેલા... 

મારી સાથે એક સેલ્ફી લો. 

એને સોશિયલ મીડિયા પર ક્યારેય પોસ્ટ ના કરતા. 

જ્યારે કામ... 

પૈસા... 

જવાબદારીઓ... 

તમને તમારા માણસોથી દૂર લઈ જાય... 

ત્યારે ફક્ત એ ફોટો જોજો. 

અને જાતને પૂછજો... 

જીવતા માણસો માટે સમય નહોતો... 

તો મૃત માણસ માટે આટલા આંસુ કેમ?"


---


એ દિવસે... 

સ્મશાનમાં... 

ત્રણ મિત્રો... 

એક અર્થીની બાજુમાં ઉભા રહ્યા. 

કોઈ હસતું નહોતું. 

આંખો સુજેલી. 

હાથ ધ્રુજતા હતા. 

મોબાઈલનો કેમેરા ચાલુ થયો. 

એક ફોટો લેવાયો. 

અને એ એક ફોટામાં... 

આખા જીવનનું સત્ય કેદ થઈ ગયું.


---


છ મહિના પછી... 

દરેક મહિનાના પહેલા રવિવારે... 

એ ત્રણેય નિયમિત મળવા લાગ્યા. 

ફોન સાયલન્ટ. 

કામ બંધ. 

ધંધો બંધ. 

કારણ એમને સમજાયું હતું... 

વ્યસ્ત રહેવું એ સફળતાની નિશાની હોઈ શકે... પણ પોતાના માણસો માટે સમય ન હોવો એ જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.


---


🪷 *સંદેશ*


માણસ મિત્રના મૃત્યુથી એટલો રડતો નથી... 

જેટલો એ ના મળેલા પળો માટે રડે છે... 

એ મોકૂફ રાખેલી મુલાકાત માટે રડે છે... 

એક એવા ફોન માટે રડે છે... 

જે "કાલે કરું" કહેતા ક્યારેય કર્યો જ નહીં.


યાદ રાખજો... 

મૃત્યુ અચાનક આવે છે... 

પણ... 

"એક વાર મળવું હતું" એ પસ્તાવો જીવનભર જીવતો રહે છે.


આજે જ કોઈ જૂના મિત્રને ફોન કરો. 

કારણ... 

કેટલાક સંબંધો ફરી જોડાય છે... 

પણ કેટલાક સ્વજનો... 

ફક્ત યાદોમાં જ રહી જાય છે.


જીવતા માણસોને સમય આપો... 

 સ્વજનો ની અંતિમયાત્રામાં પહોંચવું જરૂરી છે... પણ એ પહેલા નિયમિત મળતા રહેવું એ વિશેષ જરૂરી છે.

From Blogger iPhone client

મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

Heaven and hell are here only

*માણસ મૃત્યુ પછી સ્વર્ગ મળશે એવી આશાએ* આખી જિંદગી ખૂબ પ્રયત્ન કરે છે. 

કોઈ ઉપવાસ કરે છે,

કોઈ દાન-ધર્મ કરે છે,

કોઈ તીર્થયાત્રા કરે છે,

તો કેટલાક દેવને માનતા રાખે છે. 

સ્વર્ગ એટલે કોઈ નવી હાઉસિંગ સોસાયટી જેવું છે,

જ્યાં એક નાનો ફ્લેટ મેળવવા માટે પુણ્યના ગુણ ભેગા કરવા પડે છે એવું લાગે છે...


પણ એક ક્ષણ થોભીને એવો પણ વિચાર કરો...

ખબર નહીં... કદાચ આપણે પહેલેથી જ સ્વર્ગમાં જ જીવી રહ્યા હોઈએ?

સવારે ઉઠતાની સાથે આજુબાજુ એકવાર ધ્યાન આપો.

એક બટન દબાવો એટલે અંધકાર પ્રકાશમાં બદલાય જાય.

બીજું બટન દબાવો એટલે પંખો ફરવા લાગે.

ત્રીજું બટન દબાવો એટલે ઠંડી હવા આખા રૂમમાં ભરાઈ જાય.

નળ ખોલો એટલે પાણી વહેવા લાગે.

ગેસ સળગાવો એટલે થોડી જ મિનિટોમાં જમવાનું તૈયાર.

ખિસ્સામાંથી મોબાઈલ કાઢો એટલે આખું વિશ્વ તમારી હથેળીમાં આવી જાય.

હજારો કિલોમીટર દૂર હોય એવા તમારા પ્રિય લોકો પણ થોડી જ સેકંડમાં તમારી સામે દેખાય.

આટલી બધી અદ્ભુત સુવિધાઓ... પણ આપણે એને બહુ સામાન્ય સમજીએ છીએ. આ બધું આપણો જન્મસિદ્ધ અધિકાર છે એવું વર્તન કરીએ છીએ.

એકવાર કલ્પના કરો...

બસો વર્ષ પહેલાનો કોઈ રાજા આજે તમારા ઘરે આવે, તો કદાચ તે પોતાના રાજમહેલમાં પાછો પણ ન જવા માંગે.

તે આશ્ચર્યથી પૂછશે —

"આ શું?" — ગરમ પાણી!

"પછી આ શું?" — ઠંડી હવા!

"આ શું છે?" — આખા વિશ્વની માહિતી!

"આ શું?" — દસ મિનિટમાં ઘરે આવી જતું જમવાનું!

ત્યારે તે હસીને કહેશે —

"મેં આખી જિંદગી રાજ કર્યું, યુદ્ધો જીત્યા, અઢળક સંપત્તિ મેળવી... પણ આવી સુવિધાઓ મને ક્યારેય નહોતી મળી."

આ સાચું જ છે!

આજે એક સામાન્ય માણસ પણ ઘણી સુવિધાઓની બાબતમાં જૂના જમાનાના સૌથી શક્તિશાળી રાજાઓ કરતાં પણ વધારે ધનવાન છે.

તોય...

આપણે ખુશ નથી.

કેમ?

કારણ કે માણસને જે મળ્યું છે એની કિંમત ધીમે-ધીમે ઓછી થઈ જાય છે.


AC ચાલુ છે — આનંદ નથી. 

બંધ થાય ત્યારે જ... તકલીફ થાય છે.

મોબાઈલ છે — આનંદ નથી. 

નેટવર્ક જાય એટલે દુનિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગે.

પોતાનું ઘર છે — સંતોષ નથી.

પાડોશીનું ઘર મોટું છે એનું દુઃખ.

પોતાની ગાડી છે — તૃપ્તિ નથી. 

બીજાની ગાડી મોટી છે એની ચિંતા.

એટલે માણસ પોતાના સ્વર્ગમાં ઊભો રહીને, બીજાના સ્વર્ગ સાથે પોતાની તુલના કરીને દુઃખી થાય છે.


પણ આ જ પૃથ્વી પર બીજું એક જગત પણ છે...

આજે પણ લાખો લોકો એક ઘડો પાણી માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.

લાખો પરિવારો પાસે પાકું ઘર જ નથી.

દિવસમાં બે ટંકનું જમવાનું પણ નક્કી નથી.

બાળકોના સપના શાળાના ઉંબરા સુધી પહોંચતા પહેલા જ તૂટી જાય છે.

શરીર ઢાંકવા માટે ઠીક કપડાં પણ નથી.


આપણે "સામાન્ય" સમજીએ છીએ એ સુવિધાઓ જ બીજાઓ માટે જિંદગીનું મોટું સ્વપ્ન છે.


આપણને ACનો રિમોટ ન મળે એટલે ગુસ્સો આવે.

એમને તડકાથી બચવા ઝાડનો છાંયો પણ નથી મળતો.


આપણે ડાયટ ચાર્ટ શોધીએ છીએ.

એ લોકો પછીના ટંકનું જમવાનું કેવી રીતે મળશે એ વિચારતા-વિચારતા સૂઈ જાય છે.


ત્યારે સમજાય છે...

સ્વર્ગ અને નરક એટલે મૃત્યુ પછી મળતી જગ્યાઓ નથી...

એ અહીં જ છે... 

આ પૃથ્વી પર જ... 

આ જ શહેરમાં... 

આ જ રસ્તા પર... 

ક્યારેક એક જ દિવાલની બે બાજુએ...


એક ઘરનો છોકરો તેનો નવો મોબાઈલ થોડો સ્લો થયો એટલે કંટાળે છે.

સામેના ઘરનો છોકરો ઓનલાઈન ભણવા માટે મોબાઈલ જ નથી એટલે રડે છે.


એક માણસ ગરમ પાણી પાંચ મિનિટ મોડું આવ્યું એટલે ફરિયાદ કરે છે.

બીજો માણસ આજે પાણી મળ્યું એટલે બસ છે એમ કહીને દેવને પ્રાર્થના કરે છે.


ફરક પરિસ્થિતિમાં જ નથી...

ફરક દ્રષ્ટિકોણમાં પણ છે.


કેટલાક લોકો ખરાબ પરિસ્થિતિમાં પણ હસતા શીખી ગયા છે.

તો કેટલાક લોકો બધી સુવિધાઓ હોવા છતાં ફરિયાદોમાંથી બહાર નીકળી શકતા નથી.


માણસની સૌથી વિચિત્ર આદત એ છે કે —

તેની પાસે જે નથી એનો હિસાબ તે રોજ કરે છે...

પણ તેની પાસે જે છે એનો હિસાબ તે ક્યારેય કરતો નથી.


દરેક રાત્રે સૂતા પહેલા ફક્ત પાંચ વસ્તુઓ લખીને જુઓ —

આજે હું શ્વાસ લઉં છું.

આજે મારી પાસે પીવા માટે પાણી છે.

આજે મને જમવાનું મળ્યું.

આજે મને રહેવા માટે એક ઘર છે.

આજે મારા લોકો મારી સાથે છે.

કદાચ આપણી જિંદગી જ બદલાઈ જશે.


કદાચ "સ્વર્ગ" એટલે કોઈ જગ્યા નથી... એ એક અનુભવ છે!

એવી જ રીતે "નરક" પણ કોઈ જગ્યા નથી... એ અનુભવને ભૂલી જવું એ જ નરક છે!


_આપણી પાસે જે છે એના માટે કૃતજ્ઞ હોવું એટલે સ્વર્ગ._

જે મળ્યું છે એ ભૂલીને, ફરિયાદોમાં જીવવું એટલે નરક.


મૃત્યુ પછી શું થાય છે એની કોઈને ખાતરીપૂર્વક ખબર નથી.

પણ જીવતા-જીવતા જ આપણને આ સુંદર પૃથ્વી, શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અન્ન, પ્રેમ કરનારા આપણા લોકો, એક બટન દબાવવાથી મળતી અસંખ્ય સુવિધાઓ મળી છે.

આટલું બધું હોવા છતાં પણ જો આપણે હંમેશા દુઃખી રહીએ...

તો એનાથી મોટું કમનસીબ બીજું કયું?


કદાચ દેવ હસીને કહેતો હશે —

*"મેં તને સ્વર્ગમાં જ રાખ્યો છે... પણ ત્યાં પણ તું ફરિયાદોની ઓફિસ જ ખોલીને બેઠો છે!"*


એટલે આજથી ફરિયાદો ન ગણો..

*"કૃતજ્ઞતા"* ગણો.

કારણ કે _"કૃતજ્ઞતા" વાળા હૃદયમાં જ *સાચું સ્વર્ગ હોય છે.*

From Blogger iPhone client

સોમવાર, 17 ઑગસ્ટ, 2026

In love for seven times

*સાત વાર પ્રેમમાં...*

એક ૧૮ વર્ષના પૌત્રએ તેના ૮૦ વર્ષના દાદાને પૂછ્યું: "દાદા... તમે એક જ સ્ત્રીને ૬૦ વર્ષ સુધી કેવી રીતે પ્રેમ કરી શક્યા?" પૌત્રને આવા જવાબોની અપેક્ષા હતી:

*"તમારે સમજણની જરૂર છે...!તમારે ખુલ્લી વાતચીત કરવી જોઈએ... તમારે સમાધાન કરવું પડશે અને ગોઠવણ કરવી પડશે..."!*પરંતુ દાદા હસ્યા, એક ક્ષણ માટે દાદી તરફ જોયું અને કહ્યું: *"તને કોણે કહ્યું કે હું ૬૦ વર્ષથી એક જ સ્ત્રીને પ્રેમ કરું છું…?*"

પૌત્ર આશ્ચર્યચકિત થઈ ગયો.

*દાદાજી આગળ કહે છે...*

“20 વર્ષની ઉંમરે, હું તેની સુંદરતા અને તેના જીવંત જુસ્સાના પ્રેમમાં પડી ગયો.

*તે મારો પહેલો પ્રેમ હતો…*

30 વર્ષની ઉંમરે, તે માતા બની. મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જે રાતભર જાગતી રહેતી હતી, ધીમે ધીમે અમારા બાળકને સૂવડાવા માટે પારણું હલાવતી હતી.

*તે મારો બીજો પ્રેમ હતો…*

40 વર્ષની ઉંમરે, મને તે બહાદુર સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જેણે સ્મિત સાથે અમારા પરિવારનો બોજ ઉઠાવ્યો.

*તે મારો ત્રીજો પ્રેમ હતો…*

50 વર્ષની ઉંમરે, મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જેણે અમારા બાળકોના ભવિષ્ય માટે પોતાના સપના અને ઇચ્છાઓનું બલિદાન આપ્યું.

*તે મારો ચોથો પ્રેમ હતો…*

60 વર્ષની ઉંમરે, તેના ચહેરા પર કરચલીઓ દેખાઈ આવી હતી, પરંતુ મને તે સાથી સાથે પ્રેમ થઈ ગયો જે ફક્ત એક નજરથી મારી ચિંતાઓ સમજી શકતી હતી.

*તે મારો પાંચમો પ્રેમ હતો…*

70 વર્ષની ઉંમરે, મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જે મને દરરોજ પૂછતી હતી: 'શું તમારી તબિયત તો બરાબર છે ને?' તેની ચિંતા મારા હૃદયને સ્પર્શી ગઈ.

*એ મારો છઠ્ઠો પ્રેમ હતો…*

અને હવે, ૮૦ વર્ષની ઉંમરે, હું એ સ્ત્રીના પ્રેમમાં છું જે મારી બાજુમાં ધીમે ધીમે ચાલે છે, મને અમારી જૂની યાદો વારંવાર કહે છે, અને મારી સાથે હસે છે.

*એ મારો સાતમો પ્રેમ છે…*

પૌત્ર ચૂપ રહ્યો.

દાદા હસ્યા અને અંતે કહ્યું: *લગ્ન એટલે આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે રહેવાનું નથી…!જીવન બદલાય ત્યારે… એ જ વ્યક્તિના જુદા જુદા સ્વરૂપો સાથે…, વારંવાર પ્રેમમાં પડવાનું શીખવાનું છે."*

સુંદરતા બદલાય છે. ઉંમર બદલાય છે. શરીર બદલાય છે. સંજોગો બદલાય છે. પરંતુ જો, દરેક પરિવર્તન દ્વારા, તમે હજી પણ… તમારા જીવનસાથીને જોઈ શકો છો અને…કહી શકો છો...

"*તમે હજુ પણ તે જ છો… જેને હું પ્રેમ કરું છું.*"

*લાંબા અને સુખી લગ્નજીવનનું એ જ સાચું રહસ્ય છે.*

કારણ કે... પ્રેમ એટલે ફક્ત એક જ વાર પ્રેમમાં પડવું નહીં. સાચો પ્રેમ એટલે જીવનના દરેક ઋતુમાં વારંવાર એક જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું. સાચો પ્રેમ એટલે એકસરખો રહેવાનો નથી.

*તે સાથે બદલાવાનો છે... અને દરરોજ…,એકબીજાને પસંદ કરવાનો છે.*

From Blogger iPhone client

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

Intensive vs relaxed parenting

આજકાલ 'ઇન્ટેન્સિવ પેરિન્ટિંગ' નો ટ્રેન્ડ વધ્યો છે, જેમાં માતા-પિતા બાળકો પાછળ સતત મંડ્યા રહે છે અને તેમને ક્ષણે-ક્ષણે રક્ષણ આપે છે. આનાથી માતા-પિતામાં ચિંતા વધે છે અને બાળકો માનસિક રીતે નબળા તથા નિર્ભર બને છે.

​૧. જો સમાજના દબાણમાં આવીને તમે બાળક માટે બધું જ જાતે કરવા જશો, તો કશુંક ન કરવા પર તમને અપરાધભાવ થશે. પણ યાદ રાખો, બાળકોમાં કુદરતી રીતે જ સ્વાવલંબી બનવાની ક્ષમતા હોય છે. માતા-પિતાનું કામ માત્ર આ ક્ષમતાને સહયોગ આપવાનું છે.

​૨. બાળકો વડીલોની નજર વગર, અન્ય બાળકો સાથે રમે તે જરૂરી છે. આનાથી તેઓ જાતે નિર્ણયો લેતા, સમસ્યાઓ ઉકેલતા, મિત્રો બનાવતા અને પોતાના જીવનની જવાબદારી લેતા શીખે છે.

​૩. બાળકોમાં મદદ કરવાની સહજ વૃત્તિ હોય છે. નાનપણથી જ તેમને ઘરના કામમાં જોડો. મોટા થતાં આ ટેવ તેમને આત્મવિશ્વાસ આપશે. તેમને પોતાની પસંદગીનું કામ પસંદ કરવા દો.

​૪. બાળક ૪ વર્ષનું થાય પછી તેના જીવનમાં તમારી મધ્યસ્થતા ઘટાડો. ઉદાહરણ તરીકે, ૯ વર્ષના બાળકે તેના ક્લાસનો સમય યાદ રાખવો અને ત્યાં પહોંચવાનું આયોજન જાતે જ કરવું જોઈએ. બાળક જેટલું વહેલું પોતાની જવાબદારી લેશે, તેટલું વધુ ખુશ રહેશે.

​૫. પ્રતિબંધોને બદલે સુરક્ષાના નિયમો શીખવો

​ડરના કારણે બાળકોને રોકવાને બદલે તેમને સુરક્ષાના નિયમો શીખવો—જેમ કે મિત્રો સાથે નીકળવું, અજાણ્યા લોકો સાથે ન જવું અને રસ્તો જોઈને ઓળંગવો. અતિ-સુરક્ષા આપવાને બદલે તેમને જાગૃત બનાવો.

From Blogger iPhone client