રવિવાર, 28 માર્ચ, 2021

Life in India

શ્રી ગુણવંત શાહના આ વિચારો ખાસ સમજજો. 

(અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ  દેશ વિશ્ચ ગુરૂ બને ?) 

મારું કુટુંબ આર્યસમાજી હતું. મારા દાદી કબીરપંથી હતાં. 

✳️ બાળકોને મંદિરમાં જવાનું કહેવામાં આવતું ન હતું. 

✳️ મારો દીકરો મુંબઇમાં 13મે માળે રહે છે. એણે અપશુકનિયાળ 13નો આગ્રહ રાખેલો.

✳️મારી દીકરીએ જાણી જોઇને કમૂરતાંમાં લગ્ન કરેલાં. 

✳️ચમત્‍કારમાં મને લગીરે શ્રદ્ધા નથી
પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્‍કાર માનું છું. મને પ્રભુમાં અપાર શ્રદ્ધા છે. તેના અસ્‍તિત્‍વમાં કોઇ શંકા નથી. 
*20-22 વર્ષો પહેલાં 10 કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વરને ચડાવવાનો હતો ત્‍યારે મેં લખેલું કે એ પૈસા આંધ્રપ્રદેશમાં  શૌચાલયો માટે વાપરવા જોઇએ.* 

✳️મને અંધશ્રદ્ધા પ્રત્‍યે નફરત છે પણ શ્રદ્ધાને હું જરૂરી પરિબળ માનું છું. 

✳️અમિતાભે તિરૂપતીમાં કરોડના હીરા ધર્યા તે સામે મારો સખત વિરોધ  છે

શ્રદ્ધાળુઓને કહેવાનું પ્રાપ્‍ત થાય છે કે તમે ક્‍યારેક મંદિર જાઓ ત્‍યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજોઃ
✳️'પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્‍યાણ દેખાય છે?
✳️લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં
કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્‍નશીલ રહે તેમાં...?

✳️‘જો હું ભગવાન હોઉં તો મર્યા બાદ મારી પાસે આવનારને એમ નહીં પૂછું કે તમે રોજ કેટલી માળા કરતા? કેટલીવાર મંદિરે જતા?

✳️હું તેમને પૂછીશ, તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા? કેટલા ડૂબતાને તાર્યા? કેટલા પીડિતોની વહારે ધાયા? માનવતાનો પાસપોર્ટ અને સદ્‌કર્મોના સર્ટીફિકેટ વિના હું ?સ્‍વર્ગનો ‘વિઝા' કોઈ મોટા સંતને પણ નહીં આપું.

✳️આજપર્યંત એકાદ સંત એવો પેદા નથી થયો, જે પોતાના હજારો અનુયાયીઓ ?સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે 

✳️‘આ અનંત સૃષ્ટિમાં હું ય તમારા જેવો સાધારણ મનુષ્‍ય છું.

✳️મારામાં કોઇ દૈવી શક્‍તિ નથી.

✳️મારા ચરણસ્‍પર્શ કરશો નહીં.
મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં.

✳️મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં.
*ભગવાન દિવ્‍ય શક્‍તિ છે. 
*તમે ભગવાનને સાચી રીતે સમજ્‍યા હો તો*  
✳️મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!' 

✳️માણસને પોતાની અધૂરપો કે ઉણપો જાહેર કરવા માટે ખાસ્‍સી આંતરિક તાકાતની જરૂર પડે છે.

✳️નિખાલસપણે હોઇએ તેવા દેખાવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી.

તેમાંય લોકો એકવાર ખભે ઉંચકી લે પછી-

*‘હું તમારા જેવો સાધારણ માણસ છું' એમ કહેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્‍કેલ બની જાય છે.*

આસારામ અને નારાયણ સાંઈ સહિત લગભગ 150 જેટલા કહેવાતા સંતો જ્‍યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્‍સાનો પર ચલાવતાં હતા તે ખોટું કરતાં હતા.
            
ભારતમાં સૌથી મોટો  બિઝનેસ ધર્મ, બીજો રાજનીતિ અને ત્રીજો છે દલાલી. મહત્વની વાત એ છે કે ત્રણેય ટેક્સ-ફ્રી છે. કડવું છે પણ સત્ય છે.

 અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ  દેશ વિશ્ચ ગુરૂ બને?

*-શ્રી ગુણવંત શાહ* ✍🏼🌹

ટિપ્પણીઓ નથી: